________________
૨૧
શાસનપ્રભાવક
ભાષાનુ લાલિત્ય, શૈલીની સુંદરતા મુક્ત ઝરણાની જેમ ભાવાના અસ્ખલિત પ્રવાહ વહાવે છે. આ ગ્રંથ મુખ્યત્વે ધમ કથાનુયાગ છે. તેમાંનાં વર્ણન શ્વેતાં ચારે અનુયાગા ઘટી શકે છે. આ કથામાં ન્યાય, દર્શન, આયુવેદ, યેતિષશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, ધાતુવિદ્યા, વ્યાપાર, યુદ્ધનીતિ આદિ વિવિધ વિષયાનુ વર્ણન છે. આ કથાના આઠ પ્રસ્તાવ છે. પ્રથમ પ્રસ્તાવ વિષયની ભૂમિકા રૂપે છે. ખીન્ત પ્રસ્તાવમાં કર્યું, જીવ અને સ'સારની અવસ્થાએનું રૂપક રૂપે વર્ણન છે. ત્રીજા પ્રસ્તાવમાં ક્રોધ, વિષયાસક્તિની પરિણતિ કથાના માધ્યમથી સમજાવી છે. ચેાથા પ્રસ્તાવમાં પોતાના પ્રતિપાદ્ય વિષયનું વિસ્તારથી વર્ણન અને અનેક અવાન્તર કથાએ છે. આઠમાંથી ચાર પ્રસ્તાવ મહત્ત્વના છે. તેમાંય ચેાથે પ્રસ્તાવ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ‘ઉપમિતિભવપ્રપંચ કથા ’ ગ્રંથ પૂર્ણ થયા પછી એનું વાચન ભિન્નમાલ નગરમાં કર્યું હતું. આ ગ્રંથની પ્રતિલિપિ ‘ ગણા’નામનાં સાધ્વીએ તૈયાર કરી હતી. તે દુ સ્વામીના આજ્ઞાતિ'ની હતાં. આ ગ્રંથ વિ. સં. ૯૬૨ માં જેઠ સુદ પાંચમને ગુરુવારે પૂર્ણ થયા હતા. ઉપશમભાવથી પિરપૂણૅ આ કથાવાચન સાંભળી લેાક પ્રસન્ન થયે! અને જૈનસંધે આચાય સિદ્ધષિ`સૂરિને સિદ્ધવ્યાખ્યાતા 'ની પદવી અર્પી હતી. આ કથા વિ. સં. ૯૯૨માં રચાયેલી હોવાથી આચાય સિદ્ધષિને સમય વિક્રમની દસમી સદી સિદ્ધ થાય છે.
ન્યાયશૈલીની ટીકા રચનારાએમાં અગ્રેસર, સમર્થ આગમ ટીકાકાર આચાર્ય શ્રી શીલાંકરિજી મહારાજ
4
ટીકાકાર આચાર્યાંમાં શ્રી શીલાંકસૂરિનું નામ પ્રસિદ્ધ છે. તેમનાં બીજા નામે શીલાંકાચાય, શીલાચાય, વિમલમતિ, તત્ત્પાદિત્ય વગેરે છે. સંસ્કૃત અને પ્રાકૃત અને ભાષાએ પર તેમનુ પ્રભુત્વ હતું. ન્યાયશૈલીની ટીકા રચનારાઓમાં તે સૌથી પહેલા છે. આજે પ્રાપ્ત થતી આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્રની વિશાળ ટીકાએ તેમની વિદ્વત્તાની પરિચાયક છે. આચાય શીલાંકસૂરિની ગુરુપર પરાના સંબંધ નિવૃત્તિકુલ સાથે છે; નિવૃત્તિસ્કુલ ( ગચ્છ )ના આચાર્ય માનદેવસૂરિ તેમના ગુરુ છે. આચારાંગસૂત્રની ટીકામાં પેાતાને નિવૃત્તિકુલીન ’ અને ચઉપન્નમહાપુરિસચરિય''માં પોતાને માનદેવસૂરિના શિષ્ય બતાવ્યા છે. આ સિવાય તેમના ગૃહસ્થજીવનની વિગત કે સાધુજીવનની વિગતો મળતી નથી. શ્રી શીલાંકાચાયે ગમે! પર ટીકાએ રચવાનું યશસ્વી કાર્ય કર્યું છે. તેમણે · ચવન્નમહાપુરિસચરિય', આચારાંગ ટીકા, સૂત્રકૃતાંગ ટીકા, ભગવતીસૂત્રની ટીકા, જીવસમાસની વૃત્તિ વગેરે ગ્રંથાની રચના કરી છે. આ સર્વ ગ્રંથો ગાંભુ ગામે રચ્યા છે. પ્રભાવકચરિત્ર પ્રમાણે શ્રી શીલાંકાચાર્ય અગિયાર અગશાસ્ત્રા આગમે! પર ટીકા રચી હતી. પણ વત માનમાં માત્ર આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્ર પરની ટીકાએ જ મળે છે, જેને પરિચય આ પ્રમાણે છે : આચારાંગ ટીકા : અને શ્રુતસ્કંધા પર રચેલી આ ટીકાનું ગ્રંથ પ્રમાણ ૧૨૩૦૦ શ્ર્લોક છે. મૂળ અને નિયુક્તિના આધારે આગમના પ્રથમ શ્રુતસ્કંધનું મહાપરિજ્ઞા નામનું સાતમું અધ્યયન
*
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org