________________
શ્રમણભગવતે
૨૦૮
રાજાની પ્રબળ ભક્તિ અને આગ્રહને લીધે શ્રી બપ્પભટ્ટસૂરિ લાંબા સમય ત્યાં સ્થિરતા કરી રહ્યા. બંનેને પ્રતિભાવ દિવસે દિવસે વધવા લાગે. આચાર્ય બપ્પભદિની કાવ્યરચનાથી
આમ” રાજા વિશેષ પ્રભાવિત થતું. ક્યારેક પૂછેલા પ્રશ્નોના ઉત્તર તરત મળવાથી તેમ જ સમસ્યાના સમાધાન માટે રચેલા લેકે સાંભળી આમ રાજા મંત્રમુગ્ધ થઈ જતું. તેમને બમ્પભદિસૂરિ સર્વજ્ઞ સમાન ભાસતા હતા.
એક વખત બપ્પભદ્રિસૂરિની ગૂઢાર્થસૂચક શૃંગારરસપ્રધાન કવિતા સાંભળીને “આમ” રાજાએ અન્યમનકપણાને ભાવ પ્રગટ કર્યો. રાજાની આ ઉપેક્ષાવૃત્તિ આચાર્ય બન્મભદિને ઠીક ન લાગી. તેમણે રાજા આમને જણાવ્યા વિના ત્યાંથી વિહાર કરી દીધો. જતાં જતાં કમાડ પર એક શ્લેક લખતા ગયા. પાછળથી આ શ્લોક દ્વારા આચાર્ય શ્રી વિહાર કરી ગયાની જાણ થતાં રાજાએ આચાર્ય બપ્પભટ્ટિસૂરિની અનેક સ્થળે તપાસ કરાવી, પણ તેમના કંઈ સમાચાર મળ્યા નહિ.
આ બાજુ આચાર્ય બપ્પભક્ટિ કાન્યકુથી ગૌડદેશ (મધ્ય બંગાળ) તરફ પ્રયાણ કરી કેટલાક દિવસે ગૌડદેશની રાજધાની લક્ષણાવતીમાં પધાર્યા. ત્યાં બપભદ્રિસૂરિને પરિચય વિદ્વાન વાકપતિ રાજ સાથે છે. વાષતિરાજ રાજા ધર્મરાજની સભાના પંડિત હતા અને પરમારવંશીય ક્ષત્રિય હતા. વાપતિરાજે બમ્પટ્ટિસૂરિના આગમનની વાત રાજાને કરી. ધર્મરાજ બપ્પભટ્ટના નામથી પરિચિત હતા. તેમની આચાર્ય બમ્પટ્ટિને મળવાની ઘણી ઇચ્છા હતી પણ ધર્મરાજના પ્રતિપક્ષી આમ રાજા સાથે બમ્પટ્ટિસૂરિને મિત્રતા હોવાથી બપ્પભદિસૂરિ પ્રત્યે રાજા ધર્મરાજને દષ્ટિકોણ સંદેહાસ્પદ હતો. તેમણે વાકપતિરાજને કહ્યું કે –“બપ્પભદિસૂરિને આમંત્રિત કરીએ, પણ આમ રાજાનું નિમંત્રણ આવવાથી તેઓ અહીંથી ચાલ્યા જાય તે એમાં હું મારું અપમાન સમજું. આથી આમ રાજા પિતે આપણી સભામાં ઉપસ્થિત થઈ પિતાના નગરમાં પદાર્પણ કરવાની ભાવના બપ્પભદ્રિસૂરિ પાસે કરે તે તેમને અહીંથી વિહાર થઈ શકે, અન્યથા નહિ. આ શરત આચાર્ય બપ્પભટ્ટિસૂરિ દ્વારા સ્વીકાર કરવામાં આવે તે તેમની અહીં રહેવાની વ્યવસ્થા થઈ શકે.” શ્રી બપ્પભદિસૂરિએ રાજાની આ વાત સ્વીકારી. તેઓ રાજા ધર્મરાજના રાજ્યમાં સન્માનપૂર્વક રહેવા લાગ્યા.
આ તરફ રાજા “આમને કેટલાક દિવસ પછી બપ્પભટ્ટિસૂરિ રાજા ધર્મરાજના રાજ્યમાં પહોંચી ગયાના સમાચાર મળ્યા. “આમ” રાજાએ તેમને બોલાવવા રાજપુરુષને મોકલ્યા. રાજપુરુષોએ પાછા આવી ત્યાંની હકીકત જણાવી કહ્યું કે–“રાજન ! આપ ત્યાં જાતે જઈ તેમને પ્રાર્થના કરે તે જ આચાર્ય બપ્પભદિસૂરિનું અહીં આગમન સંભવ છે.” સઘળી પરિસ્થિતિની જાણકારી મેળવી “આમ” રાજાએ વેશપલટો કર્યો અને પિતાના પ્રતિસ્પર્ધી ધર્મરાજની સભામાં પહેચા. બપ્પભદિસૂરિ તેમને ઓળખી ગયા. તેમણે લેખિતમાં ધર્મરાજને કહ્યું–“રાજ! આ તમારા પ્રતિદ્વી નરેશ છે.” ધર્મરાજ સમજી ન શક્યા. કારણ કે આ સરળ લાગતી લેક્તિ ૧૦૦ અર્થ ધરાવતી હતી. “આમ” રાજાએ પણ એવા જ રહસ્યપૂર્ણ અર્થઘટનથી શ્રી બપ્પભટ્ટસૂરિને પિતાના રાજ્યમાં પધારવાની પ્રાર્થના કરી અને ત્યાંથી ચાલ્યા ગયા. આ કાર્ય શ્ર, ૨૭
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org