________________
૧૪૪
શાસનપ્રભાવક
જન્મ આપ્યા. પુત્રના ગ વખતે પ્રતિમાએ નાગનું સ્વપ્ન જોયું હતું. સ્વપ્નના આધારે તેનું નામ નાગેન્દ્ર રાખવામાં આવ્યું. દિવસે જતાં નાગેન્દ્ર મેૉટા થવા લાગ્યું. પુત્રજન્મની પહેલાં જ વચનબદ્ધ થવાને કારણે પ્રતિમાએ પોતાના પુત્રને આચાય નાગહસ્તિના ચરણામાં સમિપત કરી દીધા. નાની વયના બાળકની પ્રતિપાલના માટે શ્રી નાગહસ્તિસૂરિએ તેની માતા પ્રતિમા પાસે રાખ્યા. આઠ વષઁની વયે બાળકને આચાય નાગહસ્તિએ પાતાના સંરક્ષણમાં લીધે. શ્રી સ’ગ્રામસિંહસૂરિ આચાર્ય નાગહસ્તિના ગુરુબંધુ હતા. આચાય નાગહસ્તિના આદેશ મુજબ શુભ મુહૂતે શ્રી સંગ્રામસિ’હસૂરિએ નાગેન્દ્રને દીક્ષા આપી. ત્યાર બાદ મંડન મુનિ પાસે બાળમુનિના અધ્યયનના આરભ થયા. મુનિ નાગેન્દ્રની બુદ્ધિ શીઘ્રગ્રાહી હતી. એક વર્ષમાં તેમણે વ્યાકરણ, ન્યાય, દન અને પ્રમાણુ આદિ વિવિધ વિષયનું જ્ઞાન સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યું. એક દિવસ નાગેન્દ્ર સુનિ ગોચરીમાં કાંજી વહોરી લાવી, ઇરિયાવહીપૂર્ણાંક આલોચના કરી, ગુરુને બતાવી. ગુરુએ પૂછ્યું “ આ ફયાંથી લાવ્યેા ? ”
ઉત્તરમાં મુનિ નાગેન્દ્રએ કહ્યું : “ અંત્રે તંવછીપ અરુઘ્ધિય પુતવંતી । નયસાહિયંનિય, નવદૂર કુળ મે વિન્ન ॥૨૮॥ ( તાંબાના જેવાં રક્તનેત્રવાળી, પુષ્પસરખાં દાંતની પંક્તિવાળી એવી નવવધૂએ મને કડછી ભરીને આ કાંછનું પાણી આપ્યું. ) ” શિષ્યના મુખેથી શૃંગારમય ભાષામાં આ લેાક સાંભળી અને એક રીતે ગેાચીમાં અગ્નિદોષ ાણી ગુરુ કાપિત થયા. તેઓએ કહ્યું કે, પાનિોઽસ '' ( અર્થાત્ તું રાગરૂપ અગ્નિથી પ્રદીપ્ત ગૌચરીના અગ્નિદોષથી લેપાયા છે.
''
મુનિ નાગેન્દ્ર હાજરજવાખી હતા. ગુરુ દ્વારા ઉચ્ચારાયેલા શબ્દને અર્થાન્તરિત કરી દેવા માટે મુનિ નાગેન્દ્ર નમ્ર બની કહ્યું કે, “ ગુરુદેવ ! પલિત્તમાં એક માત્રા–કાને વધારી મને પાલિત્ત ( અગ્નિદેષથી રહિત અને પાલેપથી આકાશમાં ઊડનારા ) બનાવવાની આપ કૃપા કરો. ’ માત્રા વધારવાથી વૃત્તિૌતુ સ ંસ્કૃત રૂપ વારિન્ન થાય. આ શબ્દથી મુનિ નાગેન્દ્રનું એ કહેવાનું તાત્પ હતું કે—મને આકાશગમનમાં ઉપાયભૂત પાદલેપ વિદ્યાનું દાન કરે, જેથી હુ પાદલિપ્ત કહેવાઉં. આમ એક માત્રા વધારવાથી પલિત્ત શબ્દના વિલક્ષણ અધ થઈ જાય તેવી મુનિ નાગેન્દ્રની તેજસ્વી બુદ્ધિ જોઇ ગુરુ પ્રસન્ન થયા. તેમણે ગગનગામિની વિદ્યાથી વિભૂષિત ‘વાહિતો મન ના શુભ આશીર્વાદ આપ્યા. ત્યારથી મુનિ નાગેન્દ્રનું નામ પાદલિપ્ત પ્રસિદ્ધ થઈ ગયું. દશ વર્ષની વયે ગુરુએ તેમને આચાર્યપદે સ્થાપ્યા. જૈનશાસનની પ્રભાવના માટે ગુરુના આદેશથી આચાય પાદલિપ્તસૂરિ એક વખત મથુરા પધાર્યાં. કેટલેક વખત ત્યાં રહી મથુરાથી તેઓ પાટિલપુત્ર પધાર્યા. તે વખતે પાટલિપુત્રમાં મુરડ રાજા રાજ કરતા હતા. શ્રી પાદલિપ્તસૂરિએ પોતાના અદ્ભુત વિદ્યાબળ અને કાવ્યથી મુરુડ રાજાને પ્રભાવિત કર્યાં. એક વખત મુરુડ રાજાના મસ્તકમાં ભયંકર પીડા ઉત્પન્ન થઈ. છ મહિના સુધી અનેક ઉપચાર કર્યાં, પણ કોઈ રીતે વેદના શાંત ન થઈ. રાજપરિવારમાં નિરાશા ફેલાઈ. એક દિવસ એક મંત્રીએ રાજાને કહ્યું કે—“ નાથ ! આપની વેદનાના સફળ ઉપચાર કદાચ આ પાદલિપ્તસૂરિના મંત્રપ્રયાગથી થાય. '' રાજા મુરુડે તરત જ આચાય પાદલિપ્તને ખેલાવવા કહ્યું. મંત્રી આચાર્ય
Jain Education International 2010-04
For Private & Personal Use Only
www.jainelibrary.org