SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. શેઠ શ્રી હુકમચંદજી આત્મબળથી પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વનું નિર્માણ કરીને વિશિષ્ટ બુદ્ધિમત્તા, અનુપમ સાહસ અને પ્રબળ પુરુષાર્થ દ્રારા દેશના ઔદ્યોગિક, આર્થિક, સામાજિક અને સાંસ્કારિક ક્ષેત્રોમાં અનેકવિધ ફાળો આપનાર શેઠ હુકમચંદજીનું નામ વેપારી જગતના મહાપુરુષ તરીકે જાણીતું છે. અપાર ભૌતિક સંપત્તિના ઉપાર્જન દ્વારા અનેન્ય પ્રખ્યાતિ પામનાર અને તેનો સદુપયોગ કરી સામાજિક ઉદ્ધારકોમાં અગ્રેસરનું સ્થાન પ્રાપ્ત કરનારા આ યુગના પ્રતિભાશાળી પુરુષોમાં તેમની પ્રતિભા આગવી હતી. અવિચલ સહિષ્ણુતા, ઉદારતા, નિરભિમાનતા, ધાર્મિકતા, પરોપકારિતા તથા વિદ્રજજનો પ્રત્યેનો પ્રેમ-આ તેમના મુખ્ય અસાધારણ ગુણો હતા. તેમની વ્યાપારિક કુશળતા અને પરોપકારિતાએ તેમને સમસ્ત હિન્દુસ્તાનમાં કીર્તિ અને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરાવ્યાં હતાં. જન્મ અને બાલ્યકાળ : શેઠ હુકમચંદજીનો જન્મ વિ. સં. ૧૯૩૧માં થયો હતો. તેમનો જન્મ થયા બાદ તેમના પુણ્યપ્રતાપથી લક્ષ્મી દિવસે દિવસે અધિકાધિક વૃદ્ધિ પામવા લાગી. તેમના પિતાનું નામ શેઠ સરૂપચંદજી અને માતાનું નામ જબરીબાઈ હતું. શેઠ સરૂપચંદજી તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા. વ્યાપાર-વ્યવસાયમાં પ્રખર બુદ્ધિમત્તાને લીધે ८० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249012
Book TitleSheth Hukamchandji
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Story
File Size320 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy