SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ E ss. . delets, lessfess.scieldslotsfest.selesed, daffodesfastest seeds festivals loofess૩૧ પુષ્પોની વૃદ્ધિ કરે છે. વ્યંતર દેવતાઓ મણિઓ, રત્નો અને સુવર્ણથી નિર્મિત એક જન પ્રમાણ પીઠબંધ તૈયાર કરે છે. તે પીઠબંધ ઉપર વૈમાનિક દેવતાઓ રત્નમય પ્રથમ પ્રાકાર બનાવે છે. તેના કાંગરાઓ મણિઓના હોય છે. તેને ચાર દ્વાર હોય છે. તે પતાકાઓ, તોરણ, ધજાઓ વગેરેથી સુશોભિત હોય છે. જ્યોતિષી દેવતાઓ સેનાને બીજો પ્રકાર બનાવે છે. તેને રત્નમય કાંગરાઓ હોય છે. તેને ચાર દ્વાર હોય છે. ભવનપતિ દેવતાઓ ત્રીજો રૂપાનો બાહ્ય પ્રાકાર રચે છે. તેને સેનાના કાંગરાઓ હોય છે અને ચાર કાર હોય છે. કલ્યાણ ભક્તિને ધારણ કરનાર દેવતાઓ ચૈત્યવૃક્ષ, રત્નમયપીઠ, દેવછંદ, સિંહાસન આદિ અન્ય રચનાઓ પણ કરે છે. આ રીતે સમવસરણ (દેશના સ્થાન)ની રચના થાય છે. તે પછી ભગવંત સેનાનાં નવ કમળ ઉપર પગ મૂકતા મૂકતા તથા ચારે પ્રકારના દેવતાઓથી પરિવરેલા સમવસરણમાં પધારે છે, તીર્થને પ્રણામ કરે છે અને સિંહાસન ઉપર પૂર્વાભિમુખ વિરાજમાન થાય છે. એ વખતે દેવતાઓ બીજી ત્રણ દિશાઓમાં ભગવાનના ત્રણ રૂપની રચનાઓ કરે છે. આ રચના કરે છે દેવતાઓ, પણ થાય છે ભગવંતના અતિશયના પ્રભાવથી. તે વખતે બાર પર્ષદાઓ પિતે પોતાના સ્થાનમાં બેસી જાય છે. તે વખતે ભગવંત જનગામિની, સર્વ સંદેહનાશિની અને સર્વભાષાસંવાદિની એવી સર્વોત્તમ વાણી વડે ધર્મદેશના આપે છે. તે દેશના દ્વારા ભગવંત મેક્ષમાર્ગ બતાવે છે. તે ભગવાન જગત ગુરુ, જગતના નાથ, જગતના તારક, અનંત ગુણેના કારણે સર્વોત્તમ, અનંત શક્તિવાળા, અનંત મહિમાવાળા, ચેત્રીસ અતિશયેથી સહિત, અષ્ટ મેડા પ્રાતિહાર્યોથી શોભતા, વાણીના પાંત્રીસ ગુણો વડે દેવતાઓ, અસુરે, મનુષ્યો અને તિર્યને આનંદિત કરવા સર્વ ગુણ સંપન્ન અઢાર દોષોથી રહિત હોય છે. તેઓ જઘન્યથી એક કરોડ ભક્તિવાળા દેવતાઓથી સદા સહિત હોય છે. આવા ભગવંત સ્વયં કૃતાર્થ હોવા છતાં પણ પરોપકાર માટે જગત ઉપર વિચરે છે. શાસ્ત્રોમાં કહ્યું છે ? ચિત્રીસ અતિશયોથી સહિત, અષ્ટ મહા પ્રાતિહાર્યોથી શોભતા અને મેહથી રહિત એવા તીર્થકરેનું ધ્યાન પ્રયત્નપૂર્વક કરવું જોઈએ. ચાર અતિશય જન્મથી, અગિયાર કર્મક્ષયથી અને ઓગણસ દેવકૃત એમ ત્રીસ અતિશય ભગવંતને હોય છે. અશોક વૃક્ષ, દેવ વિરચિત પુષ્ય પ્રકર, મનોહર દિવ્ય ધ્વનિ, સુંદર ચામરયુગ્મ, શ્રેષ્ઠ આસન, ભામંડલથી દેદીપ્યમાન શરીર, મધુર નાદયુક્ત દુંદુભિ અને ત્રણ છત્ર-એમ ભગવંતના અષ્ટ મહા પ્રાતિહાર્ય કોના મનમાં પ્રમોદ ઉત્પન્ન કરતા નથી ! એમ શીઆર્ય કથાગૌતમસ્મૃતિ ગ્રંથ 2D , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230255
Book TitleSarva tirthankaronu Sankshipta Samanya Swarup
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Tirthankar
File Size650 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy