SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ બધાને જ સત ગણ્યા અને એના સમર્થનમાં બુદ્ધવચનોય ટાંક્યાં. આમ તેઓ સર્વાસ્તિવાદી ઠર્યા અને કહેવાયા. સૌત્રાન્તિક બૌદ્ધો તેમના આ મતનું ખંડન કરી અને બુદ્ધવચનોનો અનુકૂળ અર્થ ઘટાવી માત્ર વર્તમાન ધમને જ સત તરીકે સ્વીકારે છે. વૈશેષિક દર્શનના અસતકાર્યવાદની છાયા આમાં દેખાય છે. વિજ્ઞાનવાદી બૌદ્ધો બધી જ ક્ષણિક વસ્તુઓને સત નહિ માનતાં માત્ર ક્ષણિક વિજ્ઞાનને જ સત માને છે. માત્ર વિજ્ઞાન યા ચેતનને જ સત માનવાની આ વાત તેમને શાંકર વેદાન્તીઓની સમાન ભૂમિકાએ મૂકે છે પરંતુ તે બન્ને વચ્ચે ભેદ એ છે કે, વિજ્ઞાનવાદીઓનું વિજ્ઞાન ક્ષણિક છે, ઉપરાંત તેઓ વિજ્ઞાનના નાના સન્તાનોમાં માને છે; જ્યારે શાંકર વેદાન્તીઓ વિજ્ઞાન–બ્રહ્મને કુટસ્થનિત્ય અને એક જ માને છે. વિજ્ઞાનવાદીઓ સતની ત્રણ કોટિઓ સ્વીકારે છે : પરમાર્થ સત, સંસ્કૃતિ સત અને પરિકહિપત સત. આપણે કહી શકીએ કે, એમને મતે ક્ષણિક વિજ્ઞાન જ પરમાર્થ સત, બાહ્ય ક્ષણિક વસ્તુઓ સંસ્કૃતિ સત્ અને નિત્ય દ્રવ્ય આદિ પરિકલ્પિત સત, સંસ્કૃતિ સત્ અને પરિકપિત સતને જેમ સત્તા પ્રકારો કહ્યા છે તેમ તેમને અસતના પ્રકારો પણ ગણી શકાય. શૂન્યવાદીઓ શૂન્યને અર્થાત પ્રજ્ઞાને જ સત માને છે. તેઓ પણ સતની ત્રણ કોટિ સ્વીકારે છે : પરિનિપજ, પરતત્ર અને પરિપિત. જેનો સ્વભાવ સ્વતન્ત્ર છે તે પરિનિપન્ન, જેનો સ્વભાવ પરત– છે તે પરતત્ર અને જેનો સ્વભાવ કપિત છે તે પરિકહિપત. વિજ્ઞાનવાદી અને શુન્યવાદીની વચ્ચે જે કોઈ ખાસ ભેદ હોય તો તે એટલો જ છે કે, એક પરમાર્થ સતને વિજ્ઞાન કહે છે જ્યારે બીજે પરમાર્થ સતને શન્ય—પ્રજ્ઞા કહે છે, ઉપરાંત, એક માને છે કે ધ્યાનની સાધના દ્વારા વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે બીજો માને છે કે બુદ્ધિ દ્વારા બુદ્ધિની ક્ષુદ્રતાનું ભાન થતાં પ્રજ્ઞાનો સાક્ષાત્કાર થાય છે. પ્રારંભિક કાળમાં આપણે સતની વ્યાખ્યા બાંધવાના પ્રયત્નોની અપેક્ષા ન રાખી શકીએ. તે કાળે તો દર્શનકારોનું કાર્ય સ્વસમ્મત સત તત્ત્વોને ગણાવવાનું જ રહેતું. ન્યાય-વૈશેષિકો સત અને અસત બે તત્વોમાં માને છે. દ્રવ્ય, ગુણ, કમે, સામાન્ય, વિશેષ અને સમવાય આ છ ભાવ પદાર્થો સત તત્વના વિભાગો છે. અભાવ પદાર્થ એ એક અસત્ તવ છે. ભાવ પદાર્થોમાંથીય અર્થ’ નામ તો તેઓ દ્રવ્ય, ગુણ અને કર્મને જ આપે છે. સાંખ્યકારો ફૂટસ્થ નિત્ય પુરુષ અને પરિણામી પ્રકૃતિ બન્નેને સત્ ગણે છે. વેદાન્તીઓ માત્ર પુરુષને જ સત્ તરીકે સ્વીકારે છે. જેને જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ આ પાંચ દ્રવ્યોને અસ્તિકાયરૂપે વર્ણવે છે. બૌદ્ધો માત્ર ધર્મોને સત્ ગણે છે. સતની વ્યાખ્યા આપવાનું તો આ પછી શરૂ થયું. બૌદ્ધોએ સત નું લક્ષણ ક્ષણિકત બાંધ્યું. તેમણે કહ્યું કે, “ચત હતુ તતુ ક્ષળિY !” એથી તદ્દન ઊલટું શંકરે સત નું લક્ષણ ત્રિકાલાબાધિતત્વ આપ્યું અર્થાત એમને મતે ફૂટસ્થ નિત્યતા જ સલ્લક્ષણ છે. આમ બૌદ્ધોએ માત્ર પર્યાયો કે વિકારોને જ સત માન્યા જ્યારે શંકરે અમુક ખાસ વિશિષ્ટ અર્થમાં માત્ર દ્રવ્યને જ સત ગયું. જૈનોએ દ્રવ્ય અને પર્યાય બન્નેને વસ્તુના સ્વભાવભૂત ગણ્યાં છે અને તેથી એમણે સતની વ્યાખ્યા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયોગિતા કરી છે. ઉત્પાદ-વ્યય પર્યાયના થાય છે એને દ્રવ્ય ધ્રુવ રહે છે. આમ સદુ૫ વસ્તુ દ્રવ્યપર્યાયાત્મક હોઈ તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સિદ્ધ થાય છે. જૈનસમ્મત સલક્ષણગત ધ્રૌવ્યનો અર્થ સાંખ્યની જેમ માત્ર સ્વભાવાશ્રુતિ જ લેવાય છે અને નહિ કે ફૂટસ્થ નિત્યતા. અલબત્ત, એ ધ્યાનમાં રાખવું જોઈએ કે સાંખ્ય સતના બે ધોરણો–પરિણામી નિત્યતા અને ફૂટસ્થ નિત્યતા–સ્વીકારે છે જ્યારે જેન એકધારી રીતે સત નું એક જ ધોરણ–પરિણામી નિત્યતા––સ્વીકારે છે; ६ किं पुनस्तत्त्वम् ? सतश्च सद्भावोऽसतश्चासद्भावः । न्यायभाष्य ( काशी सं. सिरिझ), पृ० २ ७ अर्थ इति द्रव्यगुणकर्मसु । वैशेषिकसूत्र, ८. २. ३. ૮ ત-દાવાગ્યર્થ નિત્યમ્ ! તરવાર્થસૂત્ર, પૂ૦ ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230251
Book TitleSat Asat
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Logic
File Size528 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy