SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ esens e esseedsMessesse vessessessessfects sessessodessessoriosofesse desig[૧૪] એ નિદેશ છે કે, શાંતિનાથનું વદન શરદ ઋતુના શુદ્ધ ચંદ્ર જેવું છે અને એમનું ચિત્ત શંખના જેવું નિર્મળ છે. વિશેષમાં તેઓ દુર્ગતિના સાગર માટે અગત્ય જેવા છે અર્થાત્ દુર્ગતિને સાગર તેઓ પી ગયા છે, એમણે એનો નાશ કર્યો છે. પદ્ય એકમાં ત્રિભુવનને નગર કહ્યું છે. તૃતીય પદ્યમાં “કલિ” યુગને ઉલેખ છે, છઠ્ઠા પદ્યમાં બ્રહ્મ લેકનિકોને નિર્દેશ છે, નવમામાં “દ્વાપર'થી શું સમજવું ? એ પ્રશ્ન ઉદ્ભવે છે. પદ્ય ૧૬ માં શાંતિનાથને અચિરાના પુત્ર કહ્યા છે. પદ્ય ૧૮ માં કર્તાએ પિતાનું નામ “કલ્યાણ” અને પદ્ય ૧૯ માં કલ્યાણોદધિ” અર્થાત્ “કલ્યાણસાગર” દર્શાવેલ છે. (૭ – ૧૩) પાર્વજિન સ્તવન : આ સ્તવનમાં દશ પડ્યો છે એ કુલકરૂપ છે. પદ્યો ૧ થી ૯ તેટક છંદમાં છે. ૧૦ માં અંતિમ પદ્યને છંદ કે તે પ્રકાશિતમાં જણાવ્યું નથી. (એ છંદ માત્રામેળ છંદ હરિગીત હોય તેમ લાગે છે.) આ કૃતિમાં દ્વિતીય પદ્યમાં પાર્વનાથના બન્ને હાથ શુભ લક્ષણથી લક્ષિત, એમની ગતિ ગજરાજના જેવી અને એમના દાંતને તેજ વડે તેજસ્વી અને સુંદર વદનવાળા એમ નિદેશ છે. પાંચમા પદ્યમાં એમની સુંદર આકૃતિથી દેવાદિ મેહિત થયાને ઉલ્લેખ છે. છઠ્ઠી પદ્યમાં એમને અવાજ મેઘની ગર્જના કરતાં વિશેષ હોવાનું કથન છે. આઠમા પદ્યમાં એમને દેહ ઈન્દ્રમણિની પ્રભાવાળો કહ્યો છે. વિશેષમાં એ જ પદ્યમાં ધરણેન્દ્ર દ્વારા સેવિત અને દશમામાં પદ્માવતી દેવી દ્વારા સારી રીતે સ્તુતિ કરાયેલા વર્ણવેલા છે. આઠમા પદ્યમાં શાંત રસને નવમા રસ તરીકે નિર્દેશ છે. કર્તાએ દ્વિતીય અને દશમા પદ્યમાં “શુભસાગર” શબ્દ દ્વારા પોતાનું નામ સૂચવ્યું છે. દેવી પદ્માવતીને વર્ણ સુવર્ણ જેવું છે. વાહન કુર્કટ જાતિને સર્પ છે. એને ચાર હાથ છે. એના જમણા બે હાથમાં કમળ અને પાશ છે, તે ડાબા બે હાથમાં ફળ અને અંકુશ છે. કેઈએ ૩૨ પાઈય (પ્રાકૃત) પદ્યમાં ‘વઈરુટ્ટા થુત્ત’ (વૈરાગટયા તોત્ર) રચ્યું છે. તેના દ્વિતીય પદ્યમાં ધરણ નાગૅદ્રને પદ્માવતી’ અને ‘ વૈયા એમ બે પત્ની હોવાનું કહ્યું છે. આર્ય નન્ટિલે ૩૦ ગાથામાં વઈરુટ્ટા–થવણું કહ્યું છે. (“જિનરત્નકોશ વિ. ૧, પૃ. ૩૪૦માં વજોન્ડી સ્તવન કહ્યું છે. વોડી અશુદ્ધ જણાય છે. આ સ્તોત્ર “સજજન સન્મિત્ર'માં પૃ. ૧૫૧ પર છે.) એમ શ્રી આર્ય કહ્યાગૌતમસ્મૃતિગ્રંથ, ઈE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230233
Book TitleKalyansagarsuri krut Bhagavadgita Kinva Bhakti Sahityani Samiksha
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages20
LanguageGujarati
ClassificationArticle & Criticism
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy