SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ I lost himansode hindiesed Medicinesensitions of forevendorsease વૃષભ, શરીર લક્ષણોથી અંકિત, નેત્રો વિશાળ તેમ જ સ્વર સારંગ (પક્ષી) જે એમ ઋષભદેવ વિશે માહિતી આ ગુણત્કીર્તનરૂપ સ્તુતિમાંથી મળે છે. (૩૨) સૂર્યપુરી સંભવનાથ તેત્ર : આ તેત્રમાં ૧૧ પદ્યો છે. પહેલાં નવ પદ્યો કુલકરૂપ છે. આ નવ પદ્યો વસંતતિલકા છંદમાં છે. ૧૦ મું પદ્ય ઇંદ્રવજી છંદમાં છે અને ૧૧ મું પદ્ય શાર્દૂલવિક્રીડિત છેદમાં છે. પહેલાં નવ પદ્યોનાં ચારે ચરણના અંતમાં ચતુથી વિભક્તિનાં રૂપ છે. પ્રથમ પદ્યમાં સંભવનાથના મુખને ચંદ્ર જેવું અને એમનાં નેત્રને કમળ જેવાં નિર્મળ હોવાનું કહ્યું છે. તેમ જ એમના દેહની પ્રભાની પ્રશંસા કરાઈ છે. દ્વિતીય પદ્યમાં એમને સેનાની કુક્ષિમાં મૌક્તિક સમાન વર્ણવાયા છે. તૃતીય પદ્યમાં સંભવનાથને સૂર્ય બંદરના એટલે સુરતના મરમ અલંકાર કહ્યા છે. પાંચમા પદ્યમાં એમના શરીરને વર્ણ અષ્ટાપદ (યાને સુવર્ણ) જે સૂચવ્યું છે. સાતમા પદ્યમાં એમનું લાંછન ઘડો હોવાનો ઉલ્લેખ છે. કર્તાએ છઠ્ઠા પદ્યમાં “કલ્યાણસાગર” એવા શબ્દ દ્વારા પિતાનું નામ સૂચવ્યું છે. દશમા પદ્યમાં “કલ્યાણ શબ્દ છે, તે એમના નામને દ્યોતક છે. સુરત (સંસ્કૃત સૂર્ય પુર) આ દક્ષિણ તરફ ગુજરાતનું મહત્વનું સુવિખ્યાત શહેર છે. એને અંગે વિસ્તૃત માહિતી “સુરત સોનાની મૂરત માં અપાઈ છે. સંભવનાથની પ્રસ્તુત પ્રતિમા સુરતના ગેપીપરાના જિનાલયમાં છે. એમાં મારા બાપદાદાના નાણાવટમાંના મકાન માંના ગૃહચૈત્યની નમિનાથ વગેરેની ધાતુની પ્રતિમાઓ મારે ન છૂટકે પધરાવવી પડી છે. - યશવિજયગણિએ “સુરતમંડન મહાવીરસ્તવન” રચ્યું છે અને એ “સજન સન્મિત્ર યાને એકાદશ મહાનિધિ'માં (પૃ. ૪૨૭)માં પ્રસિદ્ધ કરાયું છે. તેમ જ અન્યત્ર પણ પ્રસિદ્ધ કરાયું છે. ( ૨ – ૧૬ ) સંભવનાથાષ્ટક : આ કૃતિમાં એના નામ પ્રમાણે આઠ જ પડ્યો નથી પરંતુ નવ છે. પાંચમા પદ્ય સિવાયનાં પડ્યો ઈ દ્રવજા છંદમાં રચાયાં છે. પાંચમાં પદ્યમાં દ્વિતીય ચરણમાં બાર અક્ષર છે. પહેલાં આઠ પદ્યો પૈકી પ્રત્યેકનું અંતિમ ચરણ આ પ્રમાણે છે : રેત ભવનાથમીરે ! ચતુર્થ પદ્યમાં આઠ પ્રાતિહાર્યોને બાંધે ભારે ઉલ્લેખ છે. એ આઠે પ્રાતિહાર્યો પ્રત્યેક તીર્થકર અને એમના પ્રત્યેના ઉત્કટ પૂજ્યભાવને લઈને દેવે રચે છે. એ એમના પૂજા 3) મ ઝ આર્ય કલ્યાણગૌતમસ્મૃતિ ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230233
Book TitleKalyansagarsuri krut Bhagavadgita Kinva Bhakti Sahityani Samiksha
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages20
LanguageGujarati
ClassificationArticle & Criticism
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy