SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ debasessed o[[૪૯] દ્વિતીય પદ્યમાં પાર્શ્વનાથનુરૂપ અનુપમ હોવાનુ` કથન છે. ચતુર્થાં પદ્યમાં રુચિર લક્ષણાથી એમને દેહ અલંકૃત હોવાનુ, પાંચમા પદ્યમાં તી કરોત્રકમ વડે ઉપાર્જિત ગેત્રવાળા હેાવાનું, અગિયારમામાં કુળના રક્ષક હોવાનું, ખારમામાં એમને વર્ણ‘ઇન્દ્રનીલ મણિ ’જેવા અને વાણી અમૃત સમાન હેાવાનુ કથન છે. સેાળમામાં પ્રભુ અનંત ચતુષ્ટયવાળા હોવાનુ કહ્યું છે. સત્તરમા પદ્યમાં ‘શુભસાગર’ દ્વારા કર્તાએ પેાતાનું ‘કલ્યાણસાગર નામ સૂચવ્યું છે. પદ્ય ૧-૧૬ પૈકી પ્રત્યેક પદ્યના ત્રણ ત્રણ અંશે કરાયા છે અને દરેકના અંત અનુપ્રાસથી અલ'કૃત છે. છઠ્ઠા પદ્યમાં કલ્યાણના બે અર્થ અને નવમા પદ્યમાં શૂ(સુ)રના અવાળા શબ્દ છે. દશમા પદ્યમાં ત્રણ અર્થાંમાં ‘ વિશ્વ’શબ્દ ચેાજાયા છે. એવી રીતે બારમા પદ્યમાં ‘ સુવણું 'ને! એ અમાં અને પંદરમા પદ્યમાં ‘ સારંગ ’ના ત્રણ અર્થાંમાં પ્રયેાગ કરાયા છે. આમ આ ગીતમાં અનેકાક શબ્દો વપરાયા છે. (૧૩- ૨૦) ચિ’તામણિ પાર્શ્વનાથ સંસ્તવન : આ ૧૧ પદ્યોની કૃતિમાં પાર્શ્વનાથના ‘ચિન્તામણિ' પાધ્ધનાથ તરીકે પદ્ય ૩, ૫, ૮, ૧૦ એમ વિવિધ પદ્યોમાં ઉલ્લેખ છે. પદ્ય ૧-૧૦ શાલિવિક્રીડિત છંદમાં છે, અને ૧૧મુ અંતિમ પદ્ય માલિની છંદમાં છે. પ્રથમ પદ્યમાં તીર્થંકરના દેહને અંગે ૧૧ પ્રશ્નો રજૂ કરાયા છે. જેમ કે, શુ એ કપૂરમય છે ? શું એ અમૃતના રસમય છે? ચન્દ્રનાં કિરણેામય છે? વગેરે. દ્વિતીય પદ્યમાં એમના યશને હંસ કહી એ યશ કેવા છે તે ખાખત સાત કૃદન્ત દ્વારા રજૂ કરાઈ છે. તૃતીય પદ્યમાં ‘ળિ’અન્તવાળા સાત શબ્દો યેાજાયા છે. આ ત્રણે પદ્યો કાવ્યરસિકાને આનંદજનક થઈ પડે તેવાં છે. પાંચમા પદ્યમાં ‘કલિ' કાળના ઉલ્લેખ છે, તે નવમામાં શાનિીના અને વેતાલને, દશમામાં કલ્પવૃક્ષ, કુમ્ભ અને ચિન્તામણિ રત્નને. પદ્યો ૭-૮ યુગ્મરૂપ છે. એ દ્વારા આ મન્ત્ર દર્શાવાયેા છે. ૐ તો શ્રી " નયિન... 6 આ મંત્ર આપવાની વિશેષતા સમગ્ર સંસ્કૃત ભક્તિસાહિત્યમાં જોવા મળે છે. આ મંત્રનું ધ્યાન કેવી રીતે ધરવુ તે બાબત આઠમા પદ્યમાં જણાવતાં કહ્યુ છે કે · ચિન્તામણિ પાર્શ્વનાથ ’નું ચેગીએ હૃદયકમળમાં સ્થાપીને, લલાટ, ડાખી ભુજા, નાભિ, અન્ને હાથ, જમણી ભુજા અને અષ્ટકમળમાં એમ સાત સ્થળે ધ્યાન ધરે છે. ૧૧મા પદ્યમાં પાર્શ્વનાથની પડખે પાર્શ્વયક્ષ હાવાનુ' કહ્યું છે. શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230233
Book TitleKalyansagarsuri krut Bhagavadgita Kinva Bhakti Sahityani Samiksha
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages20
LanguageGujarati
ClassificationArticle & Criticism
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy