SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ of dogwoodnochhhsodevbhooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo.[૧૪] પદ્યમાં પાર્શ્વનાથને સિદ્ધિના–મુક્તિના વિલાસયંત્ર તરીકે નવાજ્યા છે. (પાર્વયક્ષ, ધરદ્ર અને પાવતી દેવીના પરિચય માટે જુઓ ટિપ્પણ ૧૪) - કલિકુંડ પાર્શ્વનાથની પ્રતિમા ક્યાં છે તે આ કૃતિમાં કહ્યું નથી. સુરતમાં ચાંલ્લા ગલીમાં તેમ જ પાટણના ઢંઢેરાવાડામાં આ નામની પ્રતિમા છે. એ બેમાંથી જ એક અત્રે અભિપ્રેત હશે કે કેમ એ સ્પષ્ટ થતું નથી. આ તેત્રને કલિકુંડ શબ્દ અજ્ઞાતકક અને અંતમાં મંત્રવાળા “કલિકુંડ પાશ્વનાથ યન્ટ”નું સ્મરણ કરાવે છે. (“સજન સન્મિત્ર ૫. ૧૪૩) વળી ચાર પાઈય પદ્યમાં રચાયેલું કલિકુડ મંત્રાધિરાજ સ્તોત્ર પણ છે. (૧૦ – ૮) ગોહિક પાશ્વ સ્તવન : આ સ્તવનમાં ૧૧ પદ્યો છે, પહેલાં ૮ પદ્યોનો છેદ શાર્દૂલવિક્રીડિત છે. નવમું પદ્ય અનુટુભૂ છંદમાં છે અને દશમું સ્ત્રગ્ધરા છંદમાં છે. પદ્ય ૧-૮ પૈકી પ્રત્યેક પદ્યના અંતમાં ચતુર્થ ચરણ પાક યુવાä મને આવે છે. પ્રથમ પદ્યમાં પાર્શ્વનાથને વામન પુત્ર, મરુદેશને ઉત્તમ વિભૂષણ (મારવાડના શણગાર), “ઈક્વાકુ વંશમાં જન્મેલા અને ઉત્તમ પાન્ધવાળા કહ્યા છે. તૃતીય પદ્યમાં એમની વાણીને અમૃત વડે દેવાદિ રંજિત થાય છે એવો નિર્દેશ છે. ચતુર્થ પદ્યમાં એમને નાગનું લાંછન હોવાનું અને સાતમામાં અનન્ત ચતુષ્ટયના ધારક કહ્યા છે. પદ્ય નવ, દશ અને અગિયારમાં નિર્દોષ સાધેલા ભિન્નમાળ દેશના પુષ્પમાળ નામના અન્તર પ્રદેશમાં “ગૌડિક” ગામ આવેલું છે એમ જણાવાયું છે. કર્તાએ દશમા પદ્યમાં પોતાને ઉલેખ “કલ્યાણસાગરસૂરિ' તરીકે કરેલો છે. એ હિસાબે આ સ્તવન વિ. સં. ૧૬૪૯ થી વિ. સં. ૧૭૧૮ના ગાળામાં રચાયેલું ગણાય. આવું બીજુ સ્તવન તે “સિતેતરપુરીય સુવિધિનાથ સ્તવન છે. - દ્વિતીય પદ્યમાં કલિયુગનો ઉલ્લેખ છે. પાંચમા પદ્યમાં પાર્શ્વપ્રભુને પીતવારિધિ અર્થાત્ જેણે સમુદ્રનું પાન કર્યું છે એવા અર્થાત અગત્સ્ય ઋષિ કહ્યા છે. પદ્યાવતીના છંદો તેમ જ ગેડી પાર્શ્વનાથના છંદો તેમ જ તેને લગતી કેટલીક વિગતે મેં સંપાદિત કરેલ “છંદસંદેહમાં છે, એમાંનાં દશ સ્તવને “સજજન સન્મિત્ર'માં છે. (૧૧ – ૮) ગોડિક પાર્શ્વસ્તવન (ઑવ) : આ કૃતિમાં ૧૧ પદ્યો છે. એ પૈકી દસમામાં એને તેત્ર કહ્યું છે, તે ૧૧મામાં સ્તવન. આમ હોઈ મેં શીર્ષકમાં બન્નેને ઉલેખ કર્યો છે. દ્વિતીય પદ્યમાં ગૌડિક નામના માં શ્રી આર્ય કરયાણા પૌતમસ્મૃતિ ગ્રંથ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230233
Book TitleKalyansagarsuri krut Bhagavadgita Kinva Bhakti Sahityani Samiksha
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages20
LanguageGujarati
ClassificationArticle & Criticism
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy