SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ •ered seedlessles ofessf%essful li.sl-sills & sessies of self-life is sidessessfessoft મંડલ અગ્રેસર પૂ. દાદા શ્રી ગૌતમસાગરજી થયા, જેમનું જીવનવૃત્તાંત આપણે આગળ જોઈશું. (૧૫૬૯) ધર્મમૂર્તિ સૂરિને સમય શાંતિકાળ હતે. અકબર આદિ મોગલ સમ્રાટોએ દરેક ધર્મ પ્રત્યે સમદશિતા દાખવી હોઈને એ સમય દરેક દષ્ટિએ સુવર્ણકાળ હતે. દરેક ધર્મ બહારના ભયથી ચિંતામુક્ત બની ગયા હોઈને તેમણે આંતરિક સુધારણ તરફ નજર દોડાવી. જૈન ધર્મના ગએ પણ એ જ માર્ગ અપનાવ્યું. દરેક ગચ્છના પટનાયકેએ કિદ્ધાર કરીને શ્રમણ જીવનના આચારવિચારમાં કડકાઈ આણી. (૧૫૭૦) આચારવિચારની શુદ્ધિ પછી ગ્રંથોદ્ધારનું કાર્ય અત્યંત મહત્ત્વપૂર્ણ હતું. મોગલકાળ પહેલાં ભારત આક્રમણ અને હલ્લાઓથી ઘેરાયેલું હતું. રાજકીય આક્રમણે ધર્મઝનૂનમાં પરિણમ્યાં હોવાથી જૈન ધર્મનાં અમૂલ્ય ગ્રંથરત્ન આગમાં હોમાઈ ગયાં, કેટલાંક નષ્ટપ્રાય થયાં. ઘણા ગ્રંથે આક્રમણના ભયે ભૂમિગૃહ કે એવાં સુરક્ષિત સ્થાનમાં ભંડારાઈ ગયા હોઈને જનસાધારણ માટે સુલભ રહી શક્યા ન હતા. ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી ગ્રંથદ્ધારનું સુંદર કાર્ય થયું. ધર્મમૂર્તિસૂરિ અને કલ્યાણસાગરસૂરિના સમયમાં ગ્રંથદ્ધારનું કાર્ય આ ગચ્છના ઈતિહાસમાં સીમાચિન્હ રચે એવું વિશિષ્ટ રીતે મહત્ત્વપૂર્ણ છે. (૧૫૫) વૃદ્ધાવસ્થાથી શરીર જર્જરિત થઈ ગયું હોવા છતાં, ઉગ્રવિહારી આચાર્ય જૂનાગઢમાં સ્થિરવાસ ન રહેતાં પ્રભાસપાટણ પધાર્યા. એક વખત મધ્યરાત્રિએ ગચ્છઅધિષ્ઠાયિકા મહાકાલી દેવીનું સ્મરણ કર્યું. ગુરુવર્ય દેવીને ત્રણ પ્રશ્નો પૂછે છે : “મારા આયુનું પ્રમાણુ કહો, ગઝેશપદ કેને પ્રદાન કરવું તથા અબુદા દેવીએ આપેલી વિદ્યાઓ કેને આપવી ?” દેવી ખુલાસો કરે છે: “હવે આપનું આયુષ્ય માત્ર પાંચ દિવસનું બાકી છે. દક્ષિા પર્યાયમાં નાના હોવા છતાં મહાન આચાર્ય કલ્યાણસાગરસૂરિને તમારે ગણેશપદ પ્રદાન કરવું, કેમ કે, આજે પણ તેઓ જિન શાસનને ઉદ્યોત કરનારા જણાય છે. આગામી કાળમાં પણ તેઓ એવા જ યશસ્વી નીવડશે, તેમ જ વિદ્યાઓ પણ તમારે તેમને અપવી; કેમ કે, હું પણ તેમનું સાન્નિધ્ય કરું છું અને હવે પછી પણ કરીશ.” (૧૫૯૬ ) પછી પ્રભાતે ધર્મમૂર્તિસૂરિએ કલ્યાણસાગરસૂરિને એકાંતમાં બોલાવીને સૂરિમંત્રપૂર્વક આકાશગામિની, અદશ્યકારિણી આદિ વિદ્યાઓ આપી જણાવ્યું : “હે વત્સ! હવે તમારે ગચ્છને ભાર ઉપાડી જિનશાસનની પ્રભાવના કરવી. પ્રજનપૂર્વક ગચ્છાધિષ્ઠાયિકા મહાકાળી દેવીનું સ્મરણ કરવું, તેમ જ પટધર જઈને તથા તેની પરીક્ષા કરીને તેને આ વિદ્યાઓ આપવી ઈત્યાદિ કહીને ગુરુએ બીજા પણ કેટલાક મંત્રોની શ્રી આર્ય કલ્યાણગોલમસ્મૃતિગ્રંથ BOLE - 1 : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230230
Book TitleVidhipaksha Gacchani Pratibha Sampanna char guru Shishya Yugal Jodio
Original Sutra AuthorN/A
AuthorDevji D Khona
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages16
LanguageGujarati
ClassificationArticle, Ascetics, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy