SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ વિધિપક્ષ (અચલગચ્છ)ની પ્રતિભાસંપન્ન ચાર ગુરુશિષ્ય યુગલજોડીઓ – શ્રી દેવજી દામજી એના [ આ લેખ મોકલનાર શ્રી દેવજીભાઈ ના શ્રી ક. ઇ. ઓ. જૈન જ્ઞાતિ મહાજનના આગેવાન છે. તેઓ ધર્માનુરાગી, ગચ્છપ્રેમી અને ઈતિહાસવિદ્દ છે. આ લેખમાં તેમણે ૯૦૦ વર્ષોના ઇતિહાસને સાર રજૂ કર્યો છે. – સંપાદક] [ (૧) આર્ય રક્ષિતસૂરિ – જયસિંહસૂરિ, (૨) મહેદ્રપ્રભસૂરિ – મેરકુંગસૂરિ, (૩) ધર્મમૂર્તિસૂરિ – કલ્યાણસાગરસૂરિ તથા (૪) ગૌતમસાગરસૂરિ – ગુણસાગરસૂરિ આદિ અતિ મહિમાવંત અને પ્રભાવશાળી ચાર ગુરુશિષ્ય જોડીઓએ ગ૭ના ઉત્થાન અને ઉત્કર્ષ માટે તથા અન્ય ગચછના હુમલાઓ સામે એને અદ્યાપિ પર્યત ટકાવી રાખવામાં અથાગ પુરુષાર્થ કર્યો છે અને આત્મસમર્પણ દ્વારા શાસનની જે અનુપમ સેવા બજાવી છે, તે અંગેનું ખ્યાન “શ્રી પા' ગુજરાતી ભાષામાં પ્રોજેલ ૨૫૭૨ ફકરાવાળા ૬૪૪ પાનાના દળદાર ગ્રંથ “અંચલગચ્છ દિગ્દર્શનમાંથી દરેક ફકરા ( paragraphs) ના ક્રમાંક અનુસાર અને કેટલીક નૂતન વિગતે સાથે રજૂ કરું છું. – લેખક] પ. પૂ. આચાર્યદેવ ૧૦૦૮ શ્રી નેમસાગર સૂરીશ્વરજી મ. સા. ની સૂચનાથી મુલુંડના શ્રી અચલગચ્છ જૈન સમાજે અચલગચ્છને પ્રમાણભૂત (authentic) ઈતિહાસ પ્રાંટ કરવાનો નિર્ણય કર્યો. આ વિકટ કાર્ય “પાર્થ” ઉપનામથી પિતાને ઓળખાવતા, આર્ય રક્ષિતસૂરિ, યસિંહસૂરિ, કલ્યાણસાગરસૂરિ, આદિ પુસ્તકોના લેખક, “અંચલગચ્છીય લેખ સંગ્રહના સંશોધક અને સંપાદક શ્રી પાસવીર વીરજી ધુલા ( M.A. ને એંપ્યું, જેમને આગમ-પ્રભાકર પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી, મુનિશ્રી કાંતિસાગરજી, પંડિત લાલચંદ ભ. ગાંધી, શ્રી અગરચંદ નાહટા આદિ ઇતિહાસવિદેએ હસ્તલિખિત પ્રત અને નેધે આપી અતિ ઉપયેગી કીંમતી સહાય કરી. તદુપરાંત એ આર્ય કયાણગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230230
Book TitleVidhipaksha Gacchani Pratibha Sampanna char guru Shishya Yugal Jodio
Original Sutra AuthorN/A
AuthorDevji D Khona
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages16
LanguageGujarati
ClassificationArticle, Ascetics, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy