SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ભાષાન્તર્ ૧. રાજીમતીના મનરૂપી સરોવરમાં રાજšંસ સમાન, યાદવકુળના શણગાર તેમિ જિનેશ્વરે પોતાના ચરણકમળથી જે ગિરિરાજને અલંકૃત કર્યાં છે, તે રૈવતગિરિની હું સ્તુતિ કરું છું. ર. તેજલપુર (હાલનું જૂનાગઢ) મુકુટસમાન શ્રી પાર્શ્વનાથ તથા ખેંગારદુગ (ઉપરકોટ, અસલી જૂનાગઢ)ના તિલકસમાન વૃષભ આદિ જિતેશ્વરા જેની તળેટીમાં નિળ પુણ્યને પુષ્ટ કરે છે તે ઉજયન્તગિરિ વિજય પામેા. શ્રીવિજયચ રિવિરચિત ૩. એ યાજન ઊંચા જેના શિખર ઉપર આકાશને સ્પર્શ કરતી, ચન્દ્ર સમાન ઉજજવળ જિતમદિરાની શ્રેણિ એકઠા કરેલા પુણ્યરાશિની જેમ શાભે છે. ૪, જયાં સુવ`ના દ ́ડકલશ અને આમલસાર વડે શ્રેષ્ઠ ઉત્તુંગ નેમિનાથનું મંદિર દેવાંગનાઓ અને વિદ્યાધરીઓને હર્ષ પ્રમાડે છે. ૫. જયાં પ્રાણી વડે નમસ્કાર કરાયેલી પ્રભુની પાદુકા નખના અગ્ર ભાગ વડે પાપના સમૂહને દૂર કરીને કપાળરૂપી ફલકમાં પુણ્યને અંકિત કરે છે. ૬. ત્રણે લેાકના લેચનને લેાભાવનાર નૈમિજિનેશ્વરનું જ્યાં દૃન થવાથી ચિત્ત પ્રસન્ન થાય છે અને દુઃખને સમૂહ દૂર થાય છે. ૭. વિશાળ રાજ્યને જીણુ તૃણુની જેમ તજીને પોતાના વિરહના દુ:ખથી વ્યાકુળ એવા પણુ બંધુજનોનો ત્યાગ કરીને ત્રણ ભુવનને અભયદાન આપનારી દીક્ષા નેમિ પ્રભુએ જ્યાં સ્વીકારી છે. ૮. લેાક અને અલેાકને પ્રકાશિત કરવાના સ્વભાવવાળુ' તથા જગતના જીવાને આનંદિત કરવામાં નવા મેઘ (પહેલી વર્ષા) સમાન કેવળજ્ઞાન નેમિનાથ ભગવાને જ્યાં પ્રાપ્ત કર્યું. ૯. જ્યાં પાંચસે છત્રીસ મુનિવરા સાથે એક માસનું અનશન કરી નેમિનાથ પ્રભુ મેાક્ષરૂપી અદ્ભુત સ્થાનને પામ્યા. ૧૦, જિનેશ્વરાનાં બિમ્બાથી ભરેલા વાસવશંડપ (ઇન્દ્રમ...ડપ)માં રહેલા નેમિનાથના સ્નાત્રમહેાત્સવમાં તત્પર બનેલા ભવ્ય પ્રાણીએ જ્યાં હજાર નેત્રવાળા હાય તેમ આન ક્તિ બને છે. ૧૧. સધળી નદીઓનું જયાં આગમન થયું હેાય તેવા, હુંમેશાં અમૃત સમાન પાણી વડે રમ્ય, ગજેન્દ્ર૫૬ નામના કુડ શાભે છે. ૧૨. અષ્ટાપદાવતાર વિગેરે શ્રીવસ્તુપાલકારિત પ્રશ`સનીય મ ંદિર (સમૂહ)માં જ્યાં પ્રથમ જિનેશ્વર બિરાજમાન છે. ૧૩. સિંહના આસન પર બેઠેલી, ઉત્તમ સુવર્ણ સમાન કાન્તિયુક્ત શરીરવાળી નેમિનાથના ચરણકમલમાં ભમરી સમાન આચરણ કરનારી અંબિકાદેવી જ્યાં સધની રક્ષા કરે છે, ૧૪. મિજિનેશ્વરના ચરણકમળથી પવિત્ર ખનેલ અવલેાકન શિખરને જ્યાં જોઈને ભવ્ય જીવે પોતાનાં નેત્રાને કૃતકૃત્ય બનાવે છે. ૧૫, જાંબુવતીના ઉરરૂપી કંદરામાં સિંહના બાળક સમાન શાંખે જ્યાં તપરૂપી તીક્ષ્ણ નખા વડે સંસારરૂપી હસ્તીના કુંભસ્થળને ભેદીને મુક્તિસુખ (મેતી સમાન નિળ સુખ) પ્રાપ્ત કર્યું, ૧૬. સિદ્ધિરૂપી સ્ત્રીમાં આસક્ત હૃદયવાળા રૂકિમણીના પુત્ર (પદ્યુમ્ને) (મુનિપદ પામ્યા પછી) જેના શિખર ઉપર આત્માને નિળ કરનાર તપશ્ચર્યા કરી મુક્તિસુખ પ્રાપ્ત કર્યું. ૧૭. તેજસ્વી દીપકની યાત સરખી અનેક ઔષધીઓના સમુદાયા જ્યાં શાભે છે તથા ધટાક્ષરા નામની તાપને દૂર કરનારી શિલાથી જે પર્યંત શાભી રહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230225
Book TitleVijaychandrasuri Virachit Raivatachal Chaityaparipati Stavan
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Stotra Stavan
File Size451 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy