SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ વાચક મેઘરાજકૃત નલ-દવદંતી ચરિત ઃ ૧૮૫ વાટે જાતાં રે તવ દિન આમે, દલ દીઠો વનમાંહિ; સાદ કરે છે કો એક તિહાં રહ્યો, રાખો પસારી માંહિ. અને આવી જ રીતે, નળના પ્રશ્નના જવાબમાં નિષધ દેવતા કહે છે નળ રામે રાખ્યો તેહ કરંડીઓ, પૂછી ભીમી વાત; શાળ પ્રશંસા સુર સુવિશેષે, સધળી કરે રે વિખ્યાત. આ જ પ્રસંગના નિરૂપણમાં ઋષિવર્વને બતાવ્યું છે કે સાપ નળના ડાબા હાથે કરડ્યો. જૈન પરંપરાની કથામાં વર્ણવ્યા પ્રમાણે સાપ નળને હાથે કરડે છે, પણ તે કયા હાથે તેનો નિર્દેશ કરવામાં આવ્યો નથી. પરંતુ ઋષિવર્ધને પોતાના રાસમાં ડાબા હાથનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે : Jain Education International અહિ વલગાડી ઓઢણુઇ, જઈ સિરી ટાંમિ; ફૂંકતા નલરાજા તિસિં, ડસીઉં કરિ વાંમિ. ઋષિવર્ધનને અનુસરી વાચક મેધરાજે પણ એમ જ લખ્યું છે : એહવું ચિંતવિ ઓઢણુ નાખીઓ, વળગ્યો અહિ તણે બાથ; આધો જઈ તે નળ મૂકૈ જિસે, ડસીઓ ડાવે હાથ. કવિ રામચન્દ્રસૂરિના ‘ નલવિલાસ નાટક 'તે અનુસરીને ઋષિવર્ધને પોતાના રાસમાં જે ફેરફાર કર્યો છે તે વાચક મેધરાજે પણ ચાલુ રાખ્યો છે. નળ દધિપર્ણ રાજાને ત્યાં કદરૂપા હંક તરીકે રહે છે ત્યારે ભીમરાજા તરફથી મોકલવામાં આવેલો દૂત ‘ કુશલો’ પ્રથમ નળની માહિતી મેળવી લાવે છે અને પછી ધિપર્ણ રાજાને ત્યાં જઈ નલ–દવદંતીનું નાટક ભજવી બતાવી હુંકિ એ નળ છે એની વિશેષ ખાતરી લાવે છે. આ પ્રમાણે એક નવો પ્રસંગ, જે રામચન્દ્રસૂરિએ પોતાના નાટકમાં પ્રયોજ્યો છે તે ઋષિવર્ષને પોતાના રાસમાં લીધો છે અને તેને અનુસરીને વાચક મેધરાજે પણ તે પ્રસંગ લીધો છે. જૈન પરંપરાની નલકથામાં આવો કોઈ પ્રસંગ નથી. એ પ્રસંગનું મેધરાજે કરેલું વર્ણન જુઓ. તવ દધિપણું નૃપ પૂછીને, નળ નાટક મનરંગે રે; માંડે કુશલો આદર કરી, લેઈ સયલ ઉપાંગ રે. ( દૂહા ) જિમ નળ ધરથી નીસર્યાં, આવ્યો વનહ મઝાર; એકલડો નાશી ગયો, મૂકી સતી નિરાધાર. જિમ જિમ વીતક વાંદીએ,તિમ ખૂંચે સંકેત; તિમ તિમ જૂરે મન ધણું, હૂંકિ દુઃખ સમેત. વળી કુશલો ખોલે તિહાં, રૅ નિષ્ઠુર નિર્લજ્જ; એકલડી પ્રિયા તજી, તે શું કીધો કેજ્જ, જગમેં પાપી છે ઘણાં, દ્રોહી પણ લખ હોય; રે નિર્ગુણ નળ તું સમો, અવર ન દીઠો કોય. સૂતી વિશ્વાસે સતી, પ્રિય ઉપર બહુ રાગ; તે મૂકીને જાયતાં, કિમ છૂટા તુš પાગ. સ્વામીદ્રોહી ને ગુરુદ્રોહી, મિત્રદ્રોહી અતિ ધી; વળી વિશ્વાસે ધાતકી તેનું મોહ મ દીઠ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230223
Book TitleNal Davadanti Charita
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages23
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy