SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવૃત્તિ માનવી આજ સુધી કરતો આવ્યો છે એ માત્ર કૃતિ છે. અને તે અંગેનાં કોઈ પણ બહાના અને કારણ વજૂદ વગરનાં સુગડિયા અને પાડી દાઢેલાં છે જૈન દર્શન માને છે કે તમામ જીવો સરખાં છે, જીવસત્તા એ સમાન છે. માત્ર ઇન્દ્રિયોનાં વિકાસની દૃષ્ટિએ એમાં ભેદ છે. જૈન દર્શનની અહિંસા તમામ જીવ સૃષ્ટિને આવરી લે છે. નાનામાં નાના કોઈ પણ જીવની હિંસા તો ન કરવી પણ દરેક જીવને હિંસામાંથી ઉગારવો કારણ બધા જીવો સુખ ચાહે છે, દુઃખ કોઈને ગમતું નથી. તમામ જીવો પ્રત્યે આદર એ મૂળ- ભૂત સૂત્ર છે. એવી દલીલો કરવામાં આવે છે કે પશુના બલિદાનિથી દેવો રીઝે વરસાદ પડે, દેવોનાં આશીવિદ મળે, એ પશુનાં માંસનો પ્રસાદ ખાવાથી પુણ્ય મળે અને વળી બિલદાન અપાયેલ પશુને સદ્ગતિ મળે. અમુક સંપ્રદાયો તો માને છે કે પશુઓમાં આત્મા નથી અને કતલ કરવામાં આવે તો એમને કંઈ પીડા થતી નથી. અમુક સ્થાપિત હિતો વાળા વર્ગે પોતાની દુકાન ચલાવવા માટે આ બધું ઉપજાવી કાઢેલું છે. વળી માણસને માંસભક્ષણ કરવું પણ હોય તો પણ તેઓ મૃત્યુ પામેલાં પાનું માંસ નથી ખાતાં પણ માંસ મેળવવા માટે પશુની હત્યા કરે છે સરવાળે તો શબનું જ માંસ ખાય છે. પરંતુ જીવતા પ્રાણીને શબ બનાવ્યા પછી જ ખાય છે. પશુઓને જ્યારે કતલખાને લઈ જવાય છે. ત્યારે એને ઘણો ભય અને વૈદના થાય છે કારણકે મૃત્યુ નજર સામે ઉભેલું હોય. છે છે, જેને કારણે કેટલાંક જાનવરો તો ક્રોધી અથવા પાગલ બની જાય છે, અત્યંત ભય પામી ભાગવા માંડે છે. એમની આંખમાંથી આંસુની ધાર ચાલી જાય છે. જાનવરોની હત્યા વખતનું દ્રશ્ય ભયાનક હોય છે. ભયંકર વેદનાથી તેઓ ચીસો પાડે છે, તરક્કે છે. જેમ જેમ લોહી વહેતું જાય છે તેમ તેમ રીબાય છે. જીવતા જીવની ચામડી અને માંસ નિર્દયતાથી અલગ કરી દેવામાં આવે છે, કતલ પહેલાંની વેદના અને આક્રોશ થકી Toxin જેવા ઝેર ઉત્પન્ન થાય છે કે જેનું માંસ પણ ઝેરમય બની જાય અને આવું માંસ ખાવાથી મનુષ્યમાં તાણ અને સન્નિપાત જેવા રીંગ થાય છે. એક માન્યતા એવી છે કે માંસ ખાવામાં પ્રોટીન મળે છે અને તંદુરસ્તી વધે છે. આ માન્યતા ભૂલ ભરેલી છે. કારણ એટલાજ પ્રોટીન શાકાહરી વગેરે પદાર્થોમાં પણ મળી રહે છે. જ્યારે વિજ્ઞાને સાબિત કર્યું છે કે વધારે પડતાં પ્રોટીન યુક્ત આહારથી અનેક રોગો પેદા થાય છે અને માનવીની પ્રજા ઉત્પત્તિની ક્ષમતા ઉપર હાનિકારક અસર પડે છે. 19 G માંસ ભક્ષણથી એક બાજુ મનુષ્યની પાશવતા વધતી જાય છે, તેમ બીજી બાજુ બુદ્ધિથી તે હિન થતો જાય છે. માંસ ભક્ષણ ઉત્તેજના વધારે છે નૈતિકતા અને મનોબળને શણ કરી નોંગે છે. માંસભક્ષકનું મસ્તક વિચારવામાં શ્રીંણ બનનું જાય છે. હમણાં હમણા જાનવરોમાં બીમારીઓ ઘણી વધતી જાય છે. જાનવરોને જુદા જુદા પ્રકારની બસ્સો બીમારી થાય છે. તેમાંથી સો જેટલી નો તેનું માંસ ખાનારને પણ થાય છે, કેન્સર, ટ્યુમર જેવી બીમારી શ્રીમદ્ જય-સિનોર અભિનન્દન શૈગુજરાતી વિભાગ Jain Education International 1 એનાં ઉદાહરણ રૂપે છે. માંસ ભક્ષણથી કૃમિનો પણ રોગ થાય છે. પેર્યકરોનાં લીવર અને ફેફસામાં પાણી જેવી એક પદાર્થ વિજ્રકા) હોય છે, જે પ્રાણીઓને કષ્ટ આપ્યા કરે છે. આ પદાર્થવાળું માંસ ખાવામાં આવી જાય તો તે મનુષ્યના શરીરનાં અવયવો માટે ખૂબ નુકશાનકારક પુરવાર થાય છે. 百 થોડાંક વર્ષો પહેલાં લંડનની એક ઇન્સ્યુરન્સ કંપનીએ શાકાહારીઓના વીમા માટે છ ટકા વળતર માટે પ્રસ્તાવ મૂક્યો હતો. કારણકે તેમનું માનવું હતું કે માંસાહારી કરતાં શાકાહારીઓ સ્વસ્થ અને દીર્ઘાયુ હોય છે. માંસ ભક્ષણથી કોઈ સંતોષ નથી મળતો, પણ દર્દ, પરેશાની અને ક્યારેક મૃત્યુ મળે છે. માનવીની નજીક એવા કેટલાંક વાનરોની જાતિ પણ શાકાહારી છે. માણસની જેમ એના શરીરની પણ રચના શાકાહાર માટે યોગ્ય છે, માંસ ભક્ષણ માટે નહીં. માણસ અને આ વાંદરાઓમાં પણ કોઈ વીરવાળા પંજા નથી કે તીક્ષ્ણ દાંત નથી. ચાર્લ્સ ડાર્વિન અને જુલિયન હકી જેવા વૈજ્ઞાનિકો એ પણ આને સમર્થન આપ્યું છે. સૃષ્ટિનાં મહાકાય અને શક્તિશાળી પ્રાણીઓ પણ શાકાહારી છે. હાથી, ઉંટ, ઇરાક. ગેંડો, હિપોપોટેમસ, ગાય, બળદ, ભેંસ વગેરે બધા શાકાહારી છે. શાકાહારી પ્રાણીઓનું મોંઢુ ગોળ હોય જ્યારે માંસભક્ષીઓનું લંબગોળ આકારનું હોય. માંસભક્ષી પ્રાણીઓનાં આંતરડાની લંબાઈ ટુંકી હોય છે જે માંસ ભક્ષણને અનુરૂપ છે. જ્યારે શાકાહારીમાં તે લાંબા હોય છે. અને શાકાહારને તે અનુરૂપ છે. માંસભક્ષી જાનવરનું લીવર, યુરીક એસીડ અને અન્ય ઝેરી પદાર્થો જે માંસાહારથી ઉત્પન્ન થાય છે. તે નાના આંતરડા વડે જલ્દીથી બહાર ફેંકી શકે છે, જ્યારે મનુષ્યના લાંબા આંતરડામાં ભોજન સામગ્રી ઘણા સમય સુધી રહે છે જેથી માંસ ખાનાર માણસના પેટમાં ઉત્પન્ન થયેલાં પદાર્થો અધિક સમય સુધી રહે છે Toxins વિ- લિવર ઉપર બોજા રૂપ બને છે. આવા ઝેરો અંદરને અંદર શોષાય જાય છે અને કોઈને કોઈ રોગને જન્મ આપે છે. છે કળભક્ષી પ્રાણીનાં આગળનાં દાંત વિકસિત હોય છે અને પાછળનાં દાંત પીસવા અને ચાવવા માટે યોગ્ય હોય છે જ્યારે માંસભક્ષી પ્રાણીમાં આગલાં દાંત નાના હોય છે અને પાછળનાં લાંબા અને તીક્ષ્ણ હોય છે; ફળભક્ષી પ્રાણીનું જડબું ખોરાક ને પીસવા, ચાવવા માટે યોગ્ય હોય છે, જ્યારે માંસભક્ષી પ્રાણીનું જડબું ઉપર નીચે બન્ને બાજુ કામ કરે છે અને ચીરફાડની ક્ષમતા ધરાવે છે. ફળભક્ષી પ્રાણીની લાળ પૂર્ણ વિકસિત પ્રક્રિયા છે તે ખારાશ યુક્ત હોય છે અને મીઠાશ તેમજ સ્ટાર્ચને પચાવવામાં સહાયક હોય છે. માંસભક્ષી પ્રાણીની લાળ ઐસિયુક્ત હોય છે. અને માંસમાં રહેલા પ્રોટીન ને પચાવવા સહાય રૂપ થાય છે. વળી. સ્ટાર્ચને પચાવવા માટેના રસ - ટીયાલીન એમાં બિલકુલ હોતો નથી. ફળભક્ષી પ્રાણીઓનું પેટ લાંબુ અને ચોરસ જેવું હોય છે અને એની રચના અટપટી હોય છે, ત્યારે માંસભક્ષી પ્રાણીનું પેટ સીધું, ગોળાઈવાળું અને થેલી જેવું હોય છે જે શાકાહારીઓ કરતાં દસ ૮૫ For Private & Personal Use Only क्रोध आग में जो गया, उस के सद्गुण नाश । जयन्तसेन दूर रहो, होगा स्वतः विकास Fry.org
SR No.230204
Book TitleManvi Ek Shakahari Prani
Original Sutra AuthorN/A
AuthorShilpa N Gala
PublisherZ_Jayantsensuri_Abhinandan_Granth_012046.pdf
Publication Year
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Society
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy