SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ destestostecesoteste de destacados estestostecostestastedes deste destestostesteste stede sa stalada destesso tedestedeste desteedtesto destestostestostestoster અચલગચ્છાધિપતિ પૂ. દાદાશ્રી ગૌતમસાગરસૂરિજી મ. સા. સ્વયં જિંદગીને છેલ્લા શ્વાસ સુધી પિતાના મુનિજીવનમાં અને રત્નત્રયની આરાધનામાં લીન હતા. તેઓ સં. ૨૦૦૮, વૈશાખ સુદ ૧૩ ના ભજનગરમાં કાળધર્મ પામ્યા હતા. પણ તે અગાઉ સં. ૨૦૦૧ ના માગશર સુદ ૧૧, રવિવારે તેઓએ ગછને ચેતવણી આપતો પત્ર લખ્યો હતો. તે પત્ર ભૂજના સંઘપતિ નાથા નારાણજી હસ્ત, સાકરચંદ પાનાચંદને લખ્યું હતું તે પત્રની નકલે અંચલગચ્છાધિપતિ છેલ્લા શ્રી પૂજ જિતેંદ્રસાગરસૂરિજી તથા અન્ય સંઘને પણ મેકલવામાં આવેલી. તે પત્રમાંથી ગ૭ના ભાવિ આધ્યાત્મિક વિકાસ અંગે તેઓના હૃદયની વિચારણાઓ અને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. (તે પત્ર “અંચલગરછ દિગ્દર્શન” પૃ. ૬૦૦ પર પણ પ્રકાશિત છે) તે પત્ર પરથી જણાય છે કે શ્રી જિનેન્દ્રસાગરસૂરિની પાટે ગચ્છનાયક તરીકે ત્યાગી મુનિને જ સ્થાપવા જોઈએ. અને પૂજ્ય દાદાશ્રીએ તે એટલે સુધી જણાવ્યું કે “એ ત્યાગી ગચ્છનાયકને હું મારે સમગ્ર સાધુ-સાધ્વી સમુદાય સોંપી દઉં, આ તેમની ઉદાત્ત અને મંગલ ભાવના પ્રત્યે શિર મૂકી જાય છે. પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા. ને ઉપરક્ત પત્ર અનુસાર ખાસ કંઈ કાર્યવાહી ન થઈ અને સં. ૨૦૦૪, કાર્તિક વદ ૧૦ ના છેલ્લા શ્રીપૂજ શ્રી જિનેંદ્રસાગરસૂરિ ભુજપુર પિશાળમાં સ્વર્ગસ્થ થયા. હવે ગરનાયક કોણ ? અલબત, તે વખતે યતિઓ-ગોરજીઓની સંખ્યા પણ નહીંવત હતી. આવી સ્થિતિમાં શ્રી જિને દસાગર સૂરિ પછી શ્રીપુજ ગરછનાયક કેને બનાવવા ? તે પ્રશ્ન હતો જ. બહોળા ત્યાગી સમુદાયના નાયક પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મહારાજ હતા. ઉપરાંત પત્ર અંગે ખાણ કાર્યવાહી ન થઈ હોઈ, પૂ. દાદાશ્રીએ સં. ૨૦૦૩ માં પિતાને સમગ્ર અજ્ઞાવતી સાધુ-સાધ્વી સહાય પિતાને પ્રશિષ્ય ૫. ઉપાધ્યાય શ્રી ગુણસાગરજી ગણિવર્યને યોગ્ય જાણી પી દીધો હતો. આમ્ર છતાં ગચ્છનાયકને પ્રશ્ન ઉપસ્થિત જ હતો. શ્રીપૂજ શ્રી જિનેન્દ્રસાગરસૂરિના ગૃહસ્થ વેશધારી શિષ્ય શ્રી ક્ષમાનંદજી કે જેઓ શ્રી જિનેંદ્રસાગરસૂરિના પટ્ટધર થવા પોતાને અસમર્થ સમજતા હતા, તેમને પણ આ વાત મનમાં ખટકતી હતી, કે ગચ્છનાયક વગર ગ૭ કેમ શોભે છે. અંતે તેઓની પણ પસંદગી વિશાળ સમુદાયના ગણનાયક પરમ ત્યાગી પૂ. દાદાશ્રી ગૌતમસાગરા મહારાજ સાહેબ પર જ પડી. જો કે પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મહારાજ સાહેબ સદાય પદનીથી દૂર રહ્યા હતા, આમ છતાં ૮૮ વર્ષની વૃદ્ધ ઉંમરે પણ તેમને સતત શાસન અને ગોન્નતિની ચિંતા હતી જ. સં. ૨૦૦૯ ના મહા વદમાં રામાણી (કરછ) ના દેવજદંડ પ્રતિષ્ઠા અને સુવર્ણ મહોત્સવ પ્રસંગે પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મસા., પૂજ્ય ઉપાધ્યાયજી ગુણસાગરજી મ. સા. સમેત મુનિવરની પાવન નિશ્રા હતી. વિધિવિધાન કરાવનાર શ્રી ક્ષમાનદ હતા. પ્રતિષ્ઠા વખતે અનેક સંઘ અને આગેવાન શ્રાવકેની ખૂબ જ અવરજવર હતી. દરમ્યાન ગ૭માં ત્યાગી એવા ગરછનાયકની ઉણપ બધાને સાલતી હતી. આ ચર્ચાએ તે પ્રસંગે મહત્તવને વળાંક લીધો. શ્રી ક્ષમાનંદજીએ આગેવાને સમજાવી પછી સંઘને સાથે લઈ વિનંતિપૂર્વક ગચ્છાધિપતિ અને સૂરિપદ માટે પૂ. દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા.ને પણ ખૂબ પ્રયતને સમજાવી અને મનાવી લીધા. શ્રી ક્ષમાનંદજી તથા શ્રી સંઘ અને આગેવાનોની વિનંતિને પૂ. દાદાશ્રીએ સ્વીકાર કરી લીધું અને ત્યાં નાણુ સમક્ષ ક્રિયા પણ કરવામાં આવી. પ્રતિષ્ઠાના નવગ્રહ, દશ દિકપાલાદિ પુજનેનાં વિધિવિધાનોમાં “અચલગચ્છાધિપતિ પ. ચી શ્રી આર્ય કયાહાગૌતમ સ્મૃતિગ્રંથો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230151
Book TitleJinshasanna Shangar rup eva Sadhu Sadhvijione Soneri 39 Shikhamano
Original Sutra AuthorN/A
AuthorGautamsagarji
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size701 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy