SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ 2. ed......... bescestosterones-de-ps2. sooteesa... best bababdow[115] યશ પૂજ્યશ્રીના ફાળે જાય છે. જીવનભર અનેક રીતે સંઘના અભ્યય માટે અથાગ શ્રમ કરી સંઘને દઢમૂળ કર્યો. તેઓશ્રીના આ અસીમ ઉપકારો જવલંત આદર્શ રૂપે બની રહેશે, એમાં શંકા નથી. કેટિશઃ વંદન પૂજ્યશ્રીના પાવન પુનિત ચરણે! મળેલા જીવનને સાર્થક કરવા સકર્તવ્યની કેડી આપણને સાદ કરી રહી છે. એ સાદ સાંભળી સાબદા બનવા મહાપુરુષોની જીવનકથા તથા આપણા માટેની સતતુ હિતચિંતા આપણને અપ્રતિમ બળ આપી રહી છે. જીવનસાગરના અગાધ તળિયે રહેલાં બોધરહસ્યનાં રત્ન પામવા તે મરજીવા બનીને ડૂબવું પડશે, સંતોએ સાધેલી સાધનાના ક્ષેત્રની ગહરાઈમાં! જયારે માનવે માનવ-માનવ વચ્ચે પ્રેમ, સભાવના સેતુને હેશિયારીપૂર્વક તેડીને પણ ગૌરવ માન્યું છે, ત્યારે સમસ્ત જગતના જી પર નિકારણ અમીનજર કરી, પરમાર્થની નિર્મળ દષ્ટિ એ જ પોતાનું જીવન સમર્પણ કરનારા એ મહાપુરુષોને ન જાણે જીવનનાં વાસ્તવિક રહસ્ય કઈ સાધનાના બળે સમજાયાં હશે? જીવનનાં કલ્યાણ શેમાં નજરે ચડ્યાં હશે ? આપણું કરતાં તે અનેકગણી બુદ્ધિ અને શક્તિના સ્વામી એ મહાયોગી પુરુષના જીવનના આદર્શોને સામે રાખી આપણા જીવનના વ્યવહારને તપાસવા જતાં, આપણે અસત્યની ઘર આંધીમાં અટવાયેલા છીએ, એમ લાગ્યા વગર ન રહે ! માનવને જન્મ અને આર્યદેશની પવિત્ર ભૂમિ ! સર્વજ્ઞ વીતરાગનું શાસન અને જનમ-જનમની જંજાળમાંથી છોડાવનાર ધર્મ. આ બધું પ્રાપ્ત થયા પછી પણ જીવનનાં રહસ્યને ન સમજનારા આપણે શું જીવનને હારી જઈશું? કિનારે આવીને ડૂબી જઈશું ? ભજનનો થાળ સામે હોવા છતાં ભૂખ્યા રહેશું? ના, ના ! તે પછી દૃષ્ટિ કરીએ પેલી કર્તવ્યની કેડી ઉપર! આપણા જીવનને અસત્ આચરણ ઉપર રડવું આવશે. જ્યાં આપણને મળેલાં આ ઉચ્ચતમ્ જીવનનાં મૂલ્યો અને ક્યાં એ જીવનને જીવવાના આપણા રંગઢંગ? સંસારની સળગતી કારમી વાસનાને પોષવા કાંઈ આવા અણમલ જીવનને ખતમ કરવાના હોય? જીવનભર મારું-તારું કરીને મરી જતે માણસ મરવાના સમય સુધી નિર્ણય પણ નથી કરી શકો કે, હવે શું મારું ને શું સારું? પિતાના જ હાથે ઊભા કરેલા સંસારને સૂમસામ ઊભે રાખીને અનંતની યાત્રાએ ચાલ્યા જતા માનવને સેંકડો સંતો અને મહંતની, સંસારના મૂળને પારખવાની દિવ્યજ્ઞાન દૃષ્ટિરૂપી લાલ ઝંડી અફાટ સંસારના પ્રવાહમાં તીવ્ર વેગે વહી જતી જીવનનૌકાને ક્ષણભર પણ થંભાવી દેવાનું સૂચન કરે છે. અનેક સંયમી આત્માઓની સમ્યક સાધના રૂપી ઝંડી માનવીય કર્તવ્યોનું ભાન કરાવી, આત્માની સાચી આઝાદી મેળવવાની સાચી દિશા તરફ જલદીથી આવી રહી છે. યુગયુગની સાધના પછી સિદ્ધિના શિખરે બેઠેલે સંતપુરુષનો આત્મા ઉષ કરે છેઃ હે માનવી ! જીવન જીવી જાણ! ગુમ મવતુ સર્વે પામ્ ! 9 * શઆર્ય કથાશોનસ્પતિગ્રંથો ઝDE N ક.' . ' 42 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230103
Book TitleJivan jivi Jano
Original Sutra AuthorN/A
AuthorPurnabhadrasagar
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size531 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy