________________
“જીતક૫ત્ર*
હસ્તલિખિત પ્રતિ–પ્રસ્તુત ગ્રન્થના સંશોધન માટે પૂજ્યપાદ પ્રવર્તક શ્રી ૧૦૦૮ શ્રી કાતિવિજયજી મહારાજના વડોદરાના હસ્તલિખિત જેન જ્ઞાન ભંડારની નવી લખાયેલ માત્ર એક જ પ્રતિનો આધાર લેવામાં આવ્યો છે. આ પ્રતિને, લીબડીના જૈન જ્ઞાનભંડારની કોઈ વિદ્વાને સુધારેલ પ્રાચીન પ્રતિના આધારે મે સુધારી હતી. આ ઉપરાંત, પ્રસ્તુત ગ્રંથને સુધારવા માટે આવશ્યકનિયુકિત, પિંડ
ક્તિ, ઓઘનિયુકિત, વ્યવહારભાષ્ય, બૃહત્કલ્પભાય, પંચકલ્પભાષ્ય વગેરે ગ્રંથોનો પણ ઉપયોગ કરવામાં આવ્યા છે, અને જેમ બને તેમ પ્રસ્તુત ગ્રંથને શુદ્ધ કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે.
પ્રસ્તુત ગ્રંથની હસ્તલિખિત પ્રતિમાં અમે બે ખાસ વિશેષતાઓ જોઈ છે: એક પાસવર્ણવિષયક અર્થાત દમલિય તો ઢોરિત ફિયાન્સેfહું આ પ્રમાણે ઘણે ઠેકાણે પ્રાચીન સમયથી કરેલા પરસવોં છે. અને બીજી વિશેષતા–જ્યાં જ્યાં પ્રસ્તુત ગ્રંથની જે જે સ્ત્રગાથાનું ભાષ્ય સમાપ્ત થાય છે ત્યાં તે તે ગાથાના અંકને તાડપત્રીય પ્રતોમાં આવતા પત્રાંકદર્શક અક્ષરકો દ્વારા દર્શાવવામાં આવ્યો છે. ઉપરોક્ત પરસવણું અને ગાથાદર્શક અક્ષરોકે આખા ગ્રંથમાં કરવામાં આવ્યા હશે, પરંતુ લેખકાદિની અજ્ઞાનતાને લીધે કેટલેક ઠેકાણે આ વસ્તુ કાયમ રહી છે અને કેટલેક ઠેકાણે છે પરિવર્તન પણ થયું છે. અમે, આ બંનેય વસ્તુઓ અમારા પાસેની પ્રતિમાં જે પ્રમાણે ભળી છે તે રીતે કાયમ જ રાખી છે. આથી અમે એટલું જ જણાવવા ઈચ્છીએ છીએ કે, આ ગ્રંથમાં પરસવર્ણ વગેરે જે છે તે અમે હસ્તલિખિત પ્રતિને આધારે જ કરેલા છે.
જીતક૯૫ભાષ્ય–પ્રસ્તુત ભાષ્યગ્રંથ એ કલ્પભાષ્ય, વ્યવહારભાષ્ય, પંચકલ્પભાગ, પિંડનિર્યુક્તિ વગેરે ગ્રંથોની ગાથાના સંગ્રહરૂપ ગ્રંથ છે, કારણ કે ગ્રંથમાં એવી ઢગલાબંધ ગાથાઓ છે, જેને ઉપરોક્ત ગ્રંથોમાંની ગાથાઓ સાથે અક્ષરશઃ સરખાવી શકાય.
ગ્રંથકાર–આ પુસ્તકમાં છવકલ્પસૂત્ર અને તેના ભાગનો સમાવેશ કરવામાં આવ્યું છે. છતકલ્પસૂત્રના પ્રણેતા ભગવાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે એ નિર્વિવાદ હકીકત છે. આ સંબંધમાં તેમ જ ભગવાન જિનભણિના સમયનિર્ણય વિષે વિદર્ય શ્રીમાન જિનવિજયજીએ પોતે સંપાદન
*શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત “જતકલ્પસૂત્ર'ના સંપાદનની (પ્રકાશક–શ્રી બબલચંદ કેશવલાલ મોદી, અમદાવાદ, સં. ૧૯૯૪) પ્રસ્તાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org