SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ chchhabhai Pate[૧૨૭] નથી. હાથ-મનાવટના ઊંચા કાગળામાં હાથથી લખાયેલ સાહિત્ય ઘણા લાંખે સમય ટકી શકે છે. ૧૫. જૈનશાસનને વફાદાર રહી ધમાર્ગે જીવન જીવનાર ત્યાગી સાધુ-સાધ્વીએ દરેક પોતાનાથી બની શકે તેટલુ જાતે લખવાનું રાખે તેમ જ છપાવવાને બદલે લહિયાએ મેળવીને લખાવવાનું ચાલુ રાખે. હાથનુ લખેલુ જ વાંચવાની ટેવ રાખે તે શાસનની સુંદર પ્રણાલિકા અવિચ્છિન્ન ચાલુ રહે. ૧૬. વૈરાગ્ય, તત્ત્વજ્ઞાન તથા ધર્માનુષ્ઠાન વડે અધ્યાત્મ રસમાં ઝીલનારા મુનિજનાના પવિત્ર હાથથી લખાયેલ સાહિત્ય હાથમાં લેતાં જ વૈરાગ્ય અને ધમ શ્રદ્ધા ઉત્પન્ન કરે. કારણ કે એના પિવત્ર પરમાણુની અસર એ પુસ્તકમાં હોય છે. ૧૭. પ્રચારની દૃષ્ટિએ યાંત્રિક સાધનાનું અવલંબન લેવાય છે. તેમાં યયંત્રવાદનું પોષણ છે. આર’ભાદિ પાપ રહેલ છે. આ સંસ્કૃતિ પ્રત્યે અનાદર છે. જ્ઞાનની આશા તના વધે છે. ૧૮. છાપેલ પુસ્તકમાં થયેલી એક ભૂલ પાંચસો, હજાર કે જેટલી નકલ છાપી હેાય તેટલીમાં રહે છે. લખેલી દશ કે વીસ પ્રત એકડી કરી હોય તેમાં ભૂલ હોય, તે જુદી જુદી હાય, તે પણ એમાંથી સાચા પાઠ તારવી શકાય છે. ૧૯. પ્રચારના મેહમાં આરંભનુ પેષણ અને શ્રુતની વિરાધના થાય છે, એ ભૂલી જવાય છે. ગુરુ-શિષ્યભાવ જે ઉચ્ચ પ્રકારની વિનયમર્યાદા ઉપર ટકેલ હતા; તે અધિક પડતાં પુસ્તકે મળવાથી ઘટતા જાય છે. એથી નક્કર બાધ થતા નથી. આડંબર વધતે જાય છે. ૨૦. અઢાર દેશના માલિક પરમાડુ ત કુમારપાળ મહારાજાએ ધરક્ષા માટે હાથમાં લખેલા શાસ્ત્રના ભંડારો ગામેગામ કરાવ્યા હતા. ૨૧. વસ્તુપાળ-તેજપાળ જેવા ઉત્તમ શ્રાવકે એ શ્રુતજ્ઞાનને લખાવવા અને સાચવવા માટે તે વખતમાં આઠ કરોડને ખર્ચ કર્યાં હતા. ૨૨. બીજા પણ ઘણા શાસનરાગી શ્રાવક-શ્રાવિકાઓએ પુસ્તકે લખાવવામાં પેાતાના દ્રવ્યને સદ્વ્યય કર્યાની હકીકત ઘણીપ્રશસ્તિમાં મળી આવે છે. શ્રાવકના છત્રીસ કને એળખાવનાર ‘મન્હ જિણાણુ’ સઝાયમાં પુત્થય લિઝુણુ કહેલ છે. એટલે પુસ્તક લખાવવુ' એ શ્રાવકનુ અવશ્ય કર્તવ્ય છે. સ્ત્રીઆર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230098
Book TitleJinagam lakhan Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Agam
File Size443 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy