________________
સ્વપ્નમાં પણ મનમાંથી જતી નથી. અભિલાષા કેવી ઊંડી અને અતૂટ છે એ આથી દર્શાવાય છે. સ્વપ્નાવસ્થા કંઈ કાયમી નથી હોતી. રાત્રે ઊંધમાં જ સ્વપ્ન શક્ય. પછી એ પૂરું. આ સ્થિતિનો ઉપયોગ પણ કવિએ ભાવપ્રકટીકરણ માટે કર્યો છે.
સ્વપ્નનું મિલનસુખ રાત્રિ જતાં વિલાઈ ગયું. એની વેદના અહીં વ્યક્ત થઈ છે. રાત્રિ વૈરિણી અને દૈવને મસ્તીખોર કહીને પ્રેમમગ્ન મનના રોષને વાચા આપવામાં આવી છે, જે એ વેદનાને ઘનીભૂત બનાવે છે.
જવ સુપન માંહિ તું મિલઈ, તવ હર્ષ હીઈ ન માઈ,
હે હે રે દૈવ અટારડુ, વઇરિણી રયણી વિહાઈ. ૨.૩-૪
ક્યાં મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી પ્રદેશમાં પુંડરીકિણી નગરીમાં વિરાજતા સીમંધરસ્વામી અને કયાં પોતે ? આ દૂરત્વ કંઈ સહેલાઈથી પાર થઈ શકે એવું નથી. વચ્ચે છે ડુંગર અને દરિયા તથા આકરા ને મુશ્કેલીભર્યા માર્ગ. આથી મિલનની દુષ્કરતા. આ દુષ્કરતાને અંતરાયકર્મની વાત ગૂંથીને કવિ વિશેષ વળ આપે છે.
છે.
એકઇ રે ગામિ વસતડાં, અંતરાયવસિ ન મિલાઈ,
પરદેસિ વાહલા વેગલા, તસ મીલિઇ રે કેણઈ ઉપાય. ૯
આશાલુબ્ધ મનની નિરંતર પ્રતીક્ષા એક સાદા પણ અસરકારક ચિત્રથી મૂર્ત કરી છે આંણી વાટઈ જાણું આવસઈ રે, તિણિ વેધઈ રહું બારિ, આશા-બાધું મન રહઈ રે, ન લહઈ અસૂર સહવાર. ૨૪
સાંજ-સવારનું ભાન ન રહેલું એમ અહીં અન્યમનસ્કતા નથી, અખંડ પ્રતીક્ષાજાગરણની નિશાની
કાવ્યોદ્ગારને સ્વાભાવિકતા અર્પતી ને આત્મીય ગોષ્ઠિના ભાવને ઉપકારક થતી બોલચાલની વાભંગિઓ કાવ્યમાં વારંવાર મળ્યા કરે છે. નીચેની વાગિ કેવી લાક્ષણિક અને અર્થપૂર્ણ છે તે જુઓ :
Jain Education International
તુઝ ઉપરિ મુઝ નેહડઈ રે, સાખી ચંદ સુજાંણ,
ઘણું કહું સ્યું કરિનૂં રે, તુઝ હાથિ મુઝ પ્રાણ. ૨૫
કારમું-અદ્ભુત, અસાધારણ વાત ઝાઝી તો શું કરું એ વાગ્ભગિથી તારા હાથમાં મારા પ્રાણ એ કથનને કેવો ઉઠાવ મળે છે ! એનું કેવું મૂલ્ય સ્થાપિત થાય છે !
કૌશલનાં ઘણાં ઉદાહરણો આગળ આવી ગયાં છે. એટલે હવે અહીં કવિની તાજગીભરી
સીમંધરસ્વામીલેખ
For Private & Personal Use Only
૧૮૧
www.jainelibrary.org