________________
સાયર મિસિ, મેરુ લેખણી, તુ કાગલ અંબર સાર રે, તુહઈ મનની વાતડી તે, (તું) લિખિતાં નાવઈ પાર રે. ૩૧
૧૦૮
ભૂમંડલ કાગલ કરું, સાયર વિ મિસ થાઈ, સવિ ડૂંગર કાંઠા હવઈ, તુહ્મ ગુણ તુહિ ન લિખાઈ. ૨૨૩૭ સવિ અંબર કાગલ હવઇ, ગંગા-જલ મિસિ હોઇ,
જઉ સુરગુરુ તુહ્મ ગુણ લિખઈ, પાર ન આવઈ તોઈ. ૨૨૩૮ (શૃંગારમંજરી) આખિર બાવન ગુણ ઘણા, તુ કહુ તાં કેતા લિખીઇ રે; થોડઈ ઘણું કરી જાણયો, (તું) સુખ હોસ્યઇ તુમ્હે દેખી રે. ૩૨
(સીમંધરસ્વામીલેખ)
અક્ષર બાવન ગુણ ઘણા, કેતા લિખીઇ લેખિ; થોડઇ ઘણું કરી જાણયો, સુખ હો
ઇ તુમ દેખિ. ૨૨૩૫ (શૃંગારમંજરી) આ સમાંતર ઉદ્ગારોથી મધ્યકાળની કાવ્યરચના પ્રણાલિ ઉપર પ્રકાશ પડશે. પણ એ બાબત ધ્યાન બહાર ન રહેવી જોઈએ કે શબ્દશઃ સમાન હોય એવા ઉદ્ગારો તો ઓછા છે ને સમાંતર ચાલતા ઘણા ઉદ્ગારો વિગતો કે સંદર્ભનો ઓછોવત્તો ફરક બતાવે છે. સ્થૂળ વિગતોનો ફરક બહુ મહત્ત્વનો તેથી પણ એક જ ઉદ્ગારને કે એક જ ઉપમાનને નવા ભાવસંદર્ભમાં પ્રયોજવામાં કવિકૌશલ રહેલું છે એમ અવશ્ય કહેવાય. અને એ કવિકૌશલ્યને પ્રમાણવામાં આપણે સંકોચ ન અનુભવવો જોઈએ. એવા ઉદ્ગારોના પણ થોડાક દાખલા ઉપરનાં ઉદાહરણોમાં જોવા મળશે. અને આ ઉદ્ગારો ઉપરાંત બન્ને કૃતિઓમાં જે વિશેષ છે તે તો જુદું.
(સીમંધરસ્વામીલેખ)
સીમંધરસ્વામી લેખની વિશેષતા એ છે કે એમાં તીર્થંકરભક્તિ પ્રીતિભાવની નીકમાં વહે છે. જાણે કોઈ વિરહિણી સ્ત્રી પ્રિયતમને પત્ર લખતી ન હોય ! એવું લાગે છે. અલબત્ત, પત્ર લખનાર સ્ત્રી છે એમ કહેવા માટેનું પત્રમાં કોઈ ચિહ્ન નથી. પણ સીમંધરસ્વામીને સતત વહાલાજી તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે. તીર્થંકરદેવ પ્રત્યેના આવા પ્રીતિભાવનું આલેખન ઘણા જૈન કવિઓને હાથે થયું છે, છતાં કોઈને આમાં લૌકિક રાગની છાયા દેખાય ને તેથી એમાં અનૌચિત્યનો સંશય થાય એમ બની શકે. એક શક્યતા રહે છે. આ કૃતિની બે હસ્તપ્રતોમાં વહાલાજીને સ્થાને ‘અરિહંત’ ‘ભગવંત’ ‘સામી’ એવા શબ્દો મળે છે. તે આવી સંશયવૃત્તિનો સંકેત કરે છે. જોકે આટલા શબ્દના પરિવર્તનથી કંઈ આખા કાવ્યનો ભાવ બદલાઈ જતો નથી.
તીર્થંકરદેવ પ્રત્યે તો ગુણાનુરાગ જ સંભવે ને ? કાવ્યને આરંભે જ સાંગ રૂપક રચનાનો આશ્રય
Jain Education International
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
For Private & Personal Use Only
1
1
www.jainelibrary.org