SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ destestostestadadadadadado de desbostostogastade desta dades de edastadostasutade so destestado de dedestacadesetestetestetestado d e destusestede L O L અવકાશયાત્રી એન્ડર્સે કહ્યું : “ચંદ્ર પરના સૂર્યોદય અને સૂર્યાસ્તથી હું ખૂબ પ્રભાવિત થઈ ગયો છું. આ ગ્રહ ઉપર સંખ્યાબંધ ચીજોના પ્રહારે થયા હોય તેમ લાગે છે. નાની વિગતે નિહાળી શકાય છે. ચંદ્રની અંધારી બાજુએ રેતીના ઢગલા છે.' (તા. ર૬-૧૨-૬૮) તા. 24-12-68 ના દિને ભારતીય સ્ટાન્ડર્ડ સમય સાંજે 6-22 મિનિટે ચંદ્રની બીજી પ્રદક્ષિણ વખતે ટેલીવિઝન સેટ ઉપર અવકાશયાત્રીઓએ 12 મિનિટનો કાર્યક્રમ આપેલ અને તેમાં તેઓએ જણાવેલ વિગતેમાંની કેટલીક આ વિગતે વિચારણીય છે. : - પ્રસારિત કરેલ ચંદ્રની તસ્વીરમાં વિશાળ ખડકો જોયા. - - અવકાશયાત્રી લેવેલે કહ્યું : “સી ઓફ ફર્ટીલીટી” પૃથ્વી પરથી જેવું લાગે છે, તે નથી. - ચંદ્ર રાખડી રંગનો છે. તેને કઈ ખાસ રંગ નથી. (જો કે, તા. 26-12-68 ના નિવેદનમાં યાત્રીઓએ ચંદ્રને વેત અને શ્યામ સાગર જે વર્ણવ્યો હતે. એટલે ચંદ્રના રંગ સંબંધી નિવેદનમાં સાચું શું ?). - જમીન સરળતાથી નિહાળી શકાય છે. - વિશાળ ખડકેવાળાં મેદાનો, ખરબચડાં મેદાન અને પર્વત ઉપર ઘણા ખડકો દેખાય છે. - વિશાળ ખડકોવાળી દિવાલે છ થી સાત મજલા જેટલી ઊંચી છે. - જવાળામુખીનાં મુખે બંધ થયેલાં છે. આમાંના ઘણાં ગળાકાર છે. (જો કે, તા. 26-12-68 ના અવકાશયાત્રી એન્ડર્સના શબ્દોમાં ચંદ્રની ખૂબ નજીક છતાં જવાળામુખી છે કે કેમ તે ચેકકસ થયું નથી.) - તા. 26-12-68 ના નિવેદનમાં જણુવ્યું છે કે, ભૂમિ પરની અંકુશ કચેરીએ તેમને અન્ય કેઈ સૂર્યોદય, તેનો અહેવાલ તથા તારાઓ ઉપર નજર રાખી સૂર્યોનાં કિરણેથી તેમાં ઝળકાટ આવે છે કે કેમ ? વગેરે વિગતે જણાવવા કહેલું, ત્યારે અવકાશયાત્રીઓએ કહેલું : “અમે હાલ આ બધી વિગતો સાચવી રાખી પૃથ્વી પર પાછા ફર્યા બાદ તેના પર અભ્યાસયુક્ત એક નેંધ રજૂ કરીશું.' સત્ય જે હોય તેને રજૂ કરતાં અવકાશયાત્રીઓ શા માટે અચકાયા હશે ? જોયેલી વિગતે ઉપર અભ્યાસયુક્ત નોંધ તૈયાર કરવાનો આગ્રહ હકીકતમાં તેઓએ કંઈક નવું જોયું, જાણ્યું હશે એમ સૂચવે છે. કઈ પણ જાતના પૂર્વગ્રહ વિના સત્યના સંશોધક તરીકેની જવાબદારી ધ્યાનમાં રાખી, બનતા પ્રયને સંપૂર્ણ ચોકસાઈ કરીને વિગતે મેળવીને તેના આધારે વિચારણીય બાબતે રજૂ કરવી જોઈએ. આજે બુદ્ધિશાળી કહેવાતા યુગમાં પણ પ્રચાર સત્યની બાબત વસ્તુ-સત્યની કેટીમાં ખપવા . માંડી છે. તેથી સમજ, વિવેકી વિચારકોએ તટસ્થતાના સરાણ પર ચકાસીને તેને પારખવાની જરૂર છે કે, પ્રચાર સત્ય તરીકે કઈ ચીજ છે અને વસ્તુ સત્ય તરીકે કઈ ચીજ છે? C - - મી શ્રી આર્ય કkયાણગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230069
Book TitleKharekhar Apollo yan Chandrapar Gayu Che
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size655 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy