SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્યાણસાગરસૂરિજીની શ્રુતાપાસના —શ્રી હીરાલાલ ૨. કાપડીઆ ઉપલબ્ધ સાહિત્ય જોતાં કલ્યાણસાગરસૂરિએ રચેલી એછામાં ઓછી ૩૨ કૃતિએ આજે મળે છે. આ એમના ઉપલબ્ધ કૃતિકલાપને આપણે એ વગ માં વિભક્ત કરી શકીએ. આ ખત્રીશ કૃતિઓમાં કેટલીક સંસ્કૃત કૃતિએ છે અને કેટલીક ગુજરાતી કૃતિઓ છે. હિંદીમાં કે પ્રાકૃતમાં એમણે કોઈ રચના કરી હાય, તેા પણ હાલ એકે હિંદી રચના કે પ્રાકૃતની રચના આપણને ઉપલબ્ધ નથી થઈ. મિત્રહિયારા : . આને મિત્રજિનિ ય તેમ જ હ્રિનિળય પણ કહે છે. એમાં એક કરતાં વધારે લિગનાં અર્થાત નર, નારી અને નાન્યતર જાતિનાં સંસ્કૃત નામેાની સૂચિ છે. આમ આ વ્યાકરણના વિષયની કૃતિ છે. આ કૃતિ કલ્યાણસાગરસૂરિજીએ વિક્રમ સંવત ૧૭૦૬ માં પેાતાના શિષ્ય વિનયસાગરને માટે સંસ્કૃતમાં રચી છે. આ કૃતિના ઉલ્લેખ ઉદયસાગરે વિ. સ. ૧૧૦૪ માં રચેલી સ્નાત્રપ’ચાશિકામાં ‘શિવસિં’ તરીકે કરેલ છે. મિશ્રહિ ગયેારા વિવર : ‘અ’ચલગચ્છ દિગ્દર્શન’(પૃ. ૪૫૨) માં આ વિવરણુ સ્વપજ્ઞહાવાનુ` સૂચવાયુ` છે. સાથે સાથે કહ્યું છે કે, ‘જુઆ' ડૉ. બુહલરના છઠ્ઠો રિપાટ (પૃ. ૭૬૨).’ આ રિપોર્ટના ઉલ્લેખ જિનરત્નકાશ' (પૃ. ૩૧૦) માં લીધેા છે, પણ તેમાં વિવરણના ઉલ્લેખ નથી. (૧) તેઓશ્રી વિ. સં. ૧૯૭૦ થી ૧૯૯૦ સુધી જીવ્યા હૈાવાના ઉલ્લેખ ‘જિનરત્નકાશ' (પૃ. ૩૧૦) પર છે, તે બ્રાન્ડ છે. (૨) જિનરત્નકાશમાં શિષ્યનું નામ વિનીતસાગર છે. (૩) પ્રસ્તુત કૃતિના પ્રણેતા સ'અ'ધી જૈન ગ્ર'થાવલિ (પૃ. ૩૧૧) માં અપાયેલી માહિતી પણ યથાર્થ નથી. ૧. ઓછામાં ઓછી ૩૨ કૃતિએ કહેવાનું કારણ એમ છે કે, જિનસ્તેાત્રા તરીકે દર્શાવાયેલી કૃતિઓમાં કેટલાં સ્તોત્રા છે, તે જાણવામાં આવ્યું નથી. શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230062
Book TitleKalyansagarsuri ni Shrutopasna
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size493 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy