SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ઉપયનગિરિના કેટલાક અપ્રકટ ઉકીર્ણ લેખે આ લેખને ઉલેખ (સ્વ.) મુનિ શ્રી દર્શન વિજયજીએ કર્યો છે૧૯; પણ ત્યાં વાચના આપી નથી. વર્ષના છેલ્લા બે અંક વંચાતા નથી; પણ મુનિશ્રીએ સં. ૧૫૦૦ વર્ષ જણાવ્યું છે, જે લેખમાં આવતા પ્રતિષ્ઠાપક આચાર્યરૂપે શ્રીરત્નસિંહ સૂરિના નામને કારણે લખ્યું હશે; કેમકે પ્રસ્તુત સૂરિવરે આ મંદિરમાં મૂળનાયક જિન વિમલનાથની પ્રતિષ્ઠા સં. ૧૫૦૯માં થયેલી તેવું સમકાલિક સાહિત્યિક પ્રમાણ છે; પરંતુ સાંપ્રત મૂર્તિ જિન વિમલનાથની હેવા છતાં, અને તેની પ્રતિષ્ઠાની મિતિ સં. ૧૫૦૯ હેવાને સંભવ હોવા છતાં, ખત પ્રતિમા આ મંદિરના મૂલનાયક વિમલનાથની અસલી પ્રતિમા નથી લાગતી; કેમકે આની પ્રતિષ્ઠા તે “સૂરયત (સૂરત) નિવાસી શ્રીમાળી કુટુંબ કરાવી છે; જ્યારે મંદિર ખંભાતવાસી શ્રેષ્ઠી શાણરાજ અને ભુંભવનું કરાવેલું હોઈ તેમનાં નામ ત્યાં હવા ઘટે. વળી મૂળનાયકનું બિંબ પિત્તળનું હતું, છતાં લેખમાં અન્યથા મંદિરના પ્રતિષ્ઠાપક બૃહદૂતપગચ્છનાયક રત્નસિંહસૂરિનું નામ મળતું હોઈ આ લેખ એક મૂલ્યવાન ઐતિહાસિક દસ્તાવેજ બની જાય છે. (૧૦) સગરામ સેનીને કહેવાતા મંદિરની જગતી પરની (અને મૂળ મંદિરની પાછળની) દેવકુલિકામાં એક આદિનાથના ચોવિસી પટ્ટ પર સં. ૧૫(૦૨) નું વર્ષ અંકિત છે જેની પ્રતિષ્ઠા આગમગછના કેઈ (દેવેન્દ્ર?) સૂરિની કરેલી હેવાને ઉલેખ પ્રાપ્ત થાય છેઃ યથાઃ स्वस्ति संवत १५(०१)९ वर्षे वैशाष वदि ११ शुक्रे वीसलनगर-वास्तव्य श्री श्रीमालज्ञाती श्रे. लषमण भार्या [लीटी १] लषमादे सु. मेघावामणकमण भा. जागू श्रीआदिनाथबिंब कारित ગામ છે [ીટી-૨] પ્રતિષ્ઠિતં –(ફૂરિ 8) fમ છે [ી. રૂ] - પ્રતિમા વિસનગર (વિસનગર) ના શ્રીમાળી શ્રાવકોએ ભરાવેલી છે. (૧૧) આ લેખ રત્નસિંહસૂરિના શિષ્ય ઉદયવલ્લભસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત, મૂળ ગભારામાં વર્તમાન મૂળનાયકની બાજુમાં રહેલ, પીળા પાષાણની પ્રતિમા પર છે. લેખમાં જિનનું નામ આપ્યું નથી, તેમ જ લાંછન સ્પષ્ટ રીતે દેખાતું ન હોઈ ઓળખ શકય નથી બની. [૨] સં ૨૧૨૨ વર્ષે વૈ. વ . [૫૨] સા. માં મ. વિરે સુતા હી •• [प.३] श्री उदयवल्लभसूरिभिः હાલ મૂળનાયક રૂપે પૂજાતી, પણ જિન નેમિનાથની શ્યામ પ્રતિમા પર પણ સં. ૧૫૧૯ ને * (રામંડલિકના શાસનને ઉલલેખ કરત) લેખ છે અને બીજે સં. ૧૫૨૩/ઈ.સ.૧૪૬૭ને મૂળનાયક જિન વિમલનાથના ભેંયરામાંથી મળી આવેલ પિત્તળમય પરિકર પર છે. જે રત્નસિંહસૂરિ તેમ જ ઉદયવલભસૂરિના ઉપદેશથી કરાવવામાં આવેલું, અને તેની પ્રતિષ્ઠા ઉદયવલભસૂરિના શિષ્ય જ્ઞાનસાગરે કરેલી.૨૩ (પરિકર પિત્તળનું હેઈ, અસલી મૂળનાયક વિમલનાથની પ્રતિમા પણ પિત્તળની હેવાનો પૂરે સંભવ છે.) Jain Education International · For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230039
Book TitleUjjayant Girina Ketlak Aprakat Utkirna Lekho
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Lakshman Bhojak
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy