SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. મુ. શ્રી. ચદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુજી) : આપણું સંસ્કારધન ૨૧૩ ન વધે તેા આપણા જીવનમાં ત્યાગનું દન કેમ થાય ? વસ્તુને છેડવા માટેની અભિરુચિ કેમ જાગે ? શાશ્વત અને અશાશ્વતના વિવેક કરવા એ જ તેા વિદ્યાનું પ્રથમ પાસુ છે. બીજુ દર્શીન એ કે મારામાં જે છે એ જ તત્ત્વ વિશ્વના મધા જ આત્માએમાં નિવાસ કરી રહ્યું છે; તે એકાંતમાં અને જાહેરમાં હું મારા પ્રત્યે જેવું આચરણ કરું છું. એવું જ આચરણ હું જગતના જીવે પ્રત્યે કરું. આ દૃષ્ટિથી એના વિચારમાં, એના ઉચ્ચારમાં, એના આચારમાં એક જાતની ઉચ્ચતા-શુચિતા આવે છે. આ ઉચ્ચતા લેાકેાને રાજી કરવા મહારથી લાવેલી નથી, પણ એ અંદરથી ઊગેલી છે. વિશ્વના પ્રાણીમાત્રમાં ચૈતન્યના નિવાસનું એણે દશન કર્યુ છે. આવી દૃષ્ટિવાળા માણસે આપણને દરેક દેશમાં મળી આવે છે. અબ્રાહમ લિ`કન એક વાર વ્હાઈટ હાઉસ જતાં કીચડમાં ડુક્કરને તરફડતું જુએ છે. પેાતે કીચડમાં જઈ એને કીચડમાંથી કાઢી એ પછી જ વ્હાઈટ હાઉસ જાય છે. ત્યાં કાઈ એ ડ્રાઈવરને પૂછ્યુ કે લિંકનનાં કપડાંને કીચડના ડાઘા કેમ લાગેલા છે? ડ્રાઈવરે કહ્યુ કે ‘ ડુક્કરને કીચડમાંથી બહાર કાઢતાં ડાઘા લાગ્યા છે.' આ સાંભળી એક મિત્રે આવી લિંકનને ધન્યવાદ આપ્યા, ત્યારે લિંકને કહ્યું. “ રહેવા દે, મેં આ કામ ધન્યવાદ માટે કે બીજાને માટે નથી કર્યું, પણ ડુક્કરને કાદવમાં તરફડતું જોઈને મારા મનમાં એક વ્યથા જાગી અને એ વ્યથાના કાંટા કાઢવા ડુક્કરને કાઢ્યા વિના છૂટકો નહેાતેા.” આટલું' કહીને લિંકન ચાલતા થયા. બીજાને દુ:ખી જોઈને પાતે દુઃખી થવુ', આ એક સમભાવ અવસ્થા, પ્રાણીમૈત્રીની ભાવના, વિશ્વમાં રહેલા ચૈતન્યમાં પેાતાના જેવા જ એક ચૈતન્યનું દર્શન. પેાતાના દુઃખને દૂર કરવા માટે જેવા પ્રયત્ન કરીએ એવા જ પ્રયત્ન જગતના જીવા પ્રત્યે આપણે કરતા રહીએ, કરવા માટેની આપણી સતત અભિલાષા હાય, ત્યારે જાણવું કે આપણામાં વિદ્યાના પ્રકાશ આવતા જાય છે. આવી વિદ્યા વડે કરીને આપણે ધનવાન બનતા જઈએ છીએ. રાજસ્થાનના ગામડાના એક પ્રસંગ છેઃ એ ભાઈએ છે. માટાભાઈના વસ્તાર વધારે છે, નાનાભાઈના વસ્તાર થાડા છે. અન્નેનાં ખેતરા છે, વચ્ચે એક વાડ છે. કાપણી પછી ડૂડાંના ઢગલા થયા છે. રાત્રે માટે ભાઈ વિચારે છે કે આ મારા ભાઈ નાના છે, મેં સંસારમાં માણવાનું બધું માણી લીધું છે, મારી જરૂરિયાત પણ ઓછી છે; નાના ભાઈ ને વધારે જીવવાનું છે, જરૂરિયાત પણ વધારે છે. આ વિચારથી એ પેાતાના ખેતરમાંથી પૂળા લઈને નાના ભાઈના ખેતરમાં નાખી આવે છે. એ જ રાત્રિના બીજા પ્રહરમાં નાના ભાઈને વિચાર આવે છે કે મેટા ભાઈના વસ્તાર વધારે છે, એ કેવી રીતે ચલાવતા હશે ? હું તે જુવાન અને સશક્ત છું, રળી શકું એમ છું. એટલે એ પેાતાના ખેતરના પૂળાઓને મેાટા ભાઈના ખેતરમાં નાખી આવે છે. આવી રીતે બે-ત્રણ દિવસ ચાલ્યું. ચાથી રાત્રિએ અન્ને ભાઈ એ ભેગા થઈ ગયા. એકે પૂછ્યુ· · તું કયાં જાય છે ?’ ખીજાએ પૂછ્યું ‘તું કયાં જાય છે ?' અન્નેના હાથમાં પૂળા. પેલે આને ત્યાં નાખવા જાય અને આ પેલાને ત્યાં નાખવા જાય ! આનુ' નામ વિદ્યા છે, આ સાચી કેળવણી છે. નાના મોટાના વિચાર કરે, મેાટા નાનાના વિચાર કરે. બન્નેમાં એકબીજાને સમજવાની વૃત્તિ છે. આવી વિદ્યાથી સમાજનું દન પ્રાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230034
Book TitleAapnu Sanskardhan
Original Sutra AuthorN/A
AuthorChandraprabhsagar
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size864 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy