________________ આચાર્ય હરિભદ્રસૂરિ દશવૈકાલિક સૂત્ર, તત્ત્વાર્થસૂત્ર, પંચસૂત્ર અને આવશ્યક સૂત્ર ઉપરનું તેમનું વિવેચન ખૂબ જ જાણીતા છે. ઉપરાંત તેમણે લલિત વિસ્તરા, ધર્મ સંગ્રહણી, ઉપદેશપદ, ષોડશક,પંચાશક, બત્રીસ-બત્રીશી,વિશતિ-વિશિકા, પંચવસ્તુ, અષ્ટક, ધર્મબિંદુ અને અનેકાંત જયપતાકા પણ તેમણે લખ્યાં છે. યોગ ઉપર લખનાર તેઓ પ્રથમ જૈન વિદ્વાન હતા. તેમણે યોગબિંદુ, યોગ વિંશિકા, યોગશતક અને યોગદષ્ટિ સમુચ્ચય નામના ખૂબ જ અધિકૃત પુસ્તકો પણ લખ્યાં છે. જૈન સાહિત્યમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ સહુ તેમને કાયમ યાદ કરશે. હરિભદ્રસૂરિનું સમગ્ર જીવન શીખવા જાણવાની ઉત્કૃષ્ટ ઝંખનાથી ભરૅલું જણાય છે. પોતે રવીકૃત પ્રકાંડ બ્રાહ્મણ પંeત હોવા છતાં તે એટલા જ નમ્ર હતા કે સામાથ જૈન સાધ્વી પાસેથી શીખવા તૈયાર થયા. અભિમાન દૂર કરીને જ ફનાન પ્રાપ્ત થાય. જૈન આગમમાં જૈન ધર્મના તત્વાર્થ વાતો સહેલાઈથી સમજાઈ જાય તેવી શર્ત બતાવી છે. જૈન ધમેના ઉદ્ધાંતોને વ્યવહારમાં શ્રદ્ધા અને શરતબદ્ધ રીતે મૂકવા માટે આાગમૉની ઊંડી સમજ જક્ટરી છે. સૂમ છતાં તાર્કિક રસતેં સચોટ અને અર્થપૂર્ણ જૈન ઘર્મને સમજવામાં હરિભદ્રસૂરિના ગ્રંથ ૨ચનાઓ ખૂબ જ મદદશ્યપ થાય છે. | 57 જૈન કથા સંગ્રહ