________________
!! જી નેતાગાય નમઃ ।।
પ્રાકથન
વિ. સ. ૧૯૮૭ની સાલમાં ‘ શ્રીદેવિરતિ ધર્મારાધક સમાજ’ તરફથી અમદાવાદના શેઠ ભગુભાઈના વડામાં શ્રી જૈન સાહિત્ય પ્રદર્શન ’ ભરવામાં આવ્યું હતું. તે સમયે તેની વ્યવસ્થાપક સમિતિ તરફથી ચિત્રકળા, લેખનકળા તથા મયંત્રાદિ વિભાગના તરરી સેક્રેટરી તરીકે મારી નીમણુક કરવામાં આવેલી. એ પુણ્ય પ્રસંગે સેકડા વર્ષોથી જૈનભંડારાના ભૂમિગૃહોમાં છુપાએલ સાહિત્યરસ્મિનું નિરીક્ષણ કરવાની અણુમાલી તઃ પ્રથમવાર મને સાંપડી, અને જેમ જેમ તે સાહિત્યરશ્મિનુ બારીકાઈથી હું નિરીક્ષણુ કરતા ગયા તેમ તેમ તે રશ્મિના સર્જક જૈનાચાર્યા તેમજ ધર્મધુરંધર સાવરા તરફ પૂજ્ય અને પવિત્ર ભાવ વધતા ગયે;—સાથે સાથે તે સાહિત્યરશ્મિને પૂજ્ય અને પવિત્ર ભાવથી આશ્રય આપનાર જૈન મંત્રીશ્વરા તથા જૈન શ્રેષ્ઠિ તરફ પણ માનની લાગણી ઉત્પન્ન થઈ; ––એકલા પૂજ્ય અને પવિત્ર ભાવ ઉત્પન્ન થયા એટલું જ નહિ, પરંતુ તે પૂજ્યે મહાનુભાવાએ વિશાળ દૃષ્ટિથી અને આત્મકલ્યાણની પવિત્ર ભાવનાથી સર્જન કરેલાં અને જંગમાત્રના કલ્યાણની ભાવનાથી આશ્રય આપીને આજ સુધી સાચવી રાખેલાં તે સાહિત્યરશ્મિના વારસાને નાશ થતા અટકાવવા, તેના વારસદારાને તેની ખરી કિંમત સમજાવવા મારા મનમાં નિશ્ચય બંધાયા.
'
મારા આ નિશ્ચયના પરિણામે જ ચાલુ સાલના શિયાળામાં લગભગ અગિયાર હજાર રૂપૈઆના ખં કરીને “ જૈચિત્રકલ્પદ્રુમ નામના બહુમૂલ્ય ગ્રંથ જૈન જનતા સમક્ષ રજૂ કરી શકયેા; અને તે ગ્રંથમાં જ પાટણના પ્રાચીન જ્ઞાનભંડારાના દસ દસ વર્ષના બારીક નિરીક્ષણ ઉપરથી રાત્રિદિવસ અથાગ મહેનત કરીને ‘ લેખનકળા'ના વિષય ઉપર અજવાળું પાડતા વિર્ય મુનિમહારાજ શ્રીપુણ્ય
29