SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ છીૌનસ્તોત્રકો [૬ શ્રી પાર્શ્વ પિતાના રચેલા પ્રતિષ્ઠાસાહારમાં વિલહણને પિતાની સ્તુતિ કર્તા તરીકે દર્શાવેલ છે. જુઓ નિમ્ન લિખિત કલેક– इत्युपश्लोकितो विद्वद् विल्हणेन कवीशिना । श्रीविन्ध्यभूपतिमहासान्धिविग्रहिकेण यः ॥ ७ ॥ પરંતુ આ સર્વેમાંથી કોઈએ રચેલા ગ્રંથો અદ્યાવધિ મારા જોવામાં આવ્યા નથી અને અહિં પૃ. ૧૯૪ ઉપર મુકિત પાર્શ્વનાથ તેત્રને અંતે મહાવિકિ: આ ઉલ્લેખ છે તેથી હું ઉપરક્તજ કર્તા સ્વીકાર્યા છે. ૬ પાશ્વદેવગણિ - ઇ. સ. ૧૯૩૨ માં અમે પ્રસિદ્ધ કરેલા રેનસ્તોત્ર સંદેહના પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં ઉવસગ્ગહરં સ્તોત્રની ટીકા તથા પદ્માવત્યષ્ટક વૃત્તિના રચયિતા તરીકે શ્રીચંદ્રસૂરિ (અપરનામ) પાશ્વદેવગણિ ઉલ્લેખ કરેલો, પરંતુ આ વિભાગમાં મુદ્રિત ઉવસગ્ગહરં સ્તોત્રની વૃત્તિના અને કર્તાએ રચના સંવત, ગ૭ કે ગુરૂનામ વગેરે કંઈ જણાવેલ નથી, અને જુદા જુદા ગચ્છોમાં આ નામની ત્રણ વ્યક્તિઓ થએલ છે તેથી અનાગમાં કેઈને અન્યાય અપાઈ જાય નહી એટલા માટે દરેકને અહિં ટુંકમાં પરિચય આપ ઉચિત ધારીએ છીએ. ૧ વિ. સં. ૧૧૬૯માં ચંદ્રગચ્છ યા સરવાળગચ્છના ઈશ્વરણિના શિષ્ય વીરગણિએ દધિપ્રદ (દાહોદ)માં રચેલી ૭૬૯૧ ગ્લૅક પ્રમાણ પિંડનિર્યુક્તિ પરની વૃત્તિમાં મહેન્દ્રસૂરિ અને દેવચંદ્રગણિ સાથે આધારભૂત હતા તે. ૨. વિ. સં. ૧૧૯માં બૃહદ્દગચ્છના જિનચંદ્રસૂરિના શિષ્ય આમદેસૂરિએ યશોનાગશેઠની વસતિમાં રહીને આરંભેલી દેવેંકગણિ–નેમિચંદ્રસૂરિકૃત આખ્યાનક મણિકેષ પરની વૃત્તિ ધવલપુર (ધોળકા)માં અદ્ભુતની વસતિમાં પૂર્ણ કરી હતી તેના લેખન, શોધનાદિ અને આધાહરણમાં નેમિચંદ્ર અને ગુણકર સાથે સહાય કરનાર.
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy