SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ મેત્રાધિરાજ-ચિંતામણિ કરવા આ પૂજા મંત્રને ૧૦૦૦૦ દસ હજાર જાપ કરવો, પછી શાક, પિન્યાક, મંદાદિ, સર્વ ધાન્ય, શુભફળ, દહિં અને પકવાન વગેરેના નૈવેધથી તથા બલિ અને દીપ દાન કરવાથી વિદ્યા સિદ્ધ થાય. શરીરમાં સ્પંદન થાય અને નાડીઓના હલન ચલનથી બંધ થાય. ઈડા, પિંગલા અને સુષુષ્ણ એમ ત્રણ નાડી છે. આ ત્રણે અનુક્રમે સ્ત્રી, પુરુષ અને નપુંસક સંજ્ઞાવાળી છે. એમના પ્રવાહથી સાથે તથા અસાધ્યનું જ્ઞાન થાય, આ નાડીઓની ૨૧ વર્તના છે. યંત્ર, ૨૮ ૧૬ પાંખડીયા કમળાકૃતિવાળું ચિત્રકાવ્ય છે. • યંત્ર, ર–પ્રતમાં વિધિ નથી. યંત્ર, ૩૦ આ યંત્ર પ્રભુ પાર્શ્વનાથના પૂજાવિધાનથી સર્વકલ્યાણકારક થાય છે અને જિનેશ્વરના ચરણારવિંદની માફક ભક્તિ વગરના જીવોને નિષ્ફળ નીવડે છે. આ યંત્ર કંકુ, ગોરોચન વડે સેનાની લેખિનીથી ભોજપત્ર પર લખી ઘી અને મધમાં સ્થાપન કરે તે શત્રુવર્ગને નાશ કરે. આ યંત્ર હું અને પર્ શબ્દથી રહિત અમાવસ્યા અથવા મંગળવારના દિવસે સ્મશાનના વસ્ત્રઉપર વિષ, રૂધિર અને (સ્મશાનના) અંગારાથી લખી અગ્નિએ તપાવે અગર શત્રના ઘરે નાંખે છે તે શત્રુના કુલનો નાશ કરે. આ યંત્ર રાજ, અગ્નિ, પિશાચ, સિંહ, ચોર, હાથી, દુષ્ટ વિષ, શાકિની અને શત્રુ વર્ગને નાશ કરનાર છે. યંત્ર, ૩૧– આ યંત્ર કળશ ઉપર, હાથે અથવા દંડ ઉપર સ્થાપન કરવાથી સર્વ પ્રકારના વિષને દૂર કરે છે.
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy