SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકમ જેમ કેઈ ચતુર ખેડુત ખેડડ્યા વિનાની જમીનમાં બી વાવતે નથી અને વાવે તે તે બીજ નકામું જાય છે. તેમ પંચ-પરમેષ્ઠા-નમસ્કારથી હૃદયરૂપી જમીનને પવિત્ર કર્યા વિના સામાયિક સફળ નથી થઈ શકતી ! તેટલા માટે શિષ્ય પ્રથમ નમસ્કાર કરે છે, કમ મંતે ઈત્યાદિ. ટ્રે મન્ત કલ્યાણ તથા સુખને દેવાવાળા, અથવા માત્ત સંસારનો અંત કરવાવાળા, અથવા માત=જન્મ જરા મરણ રૂપ ભય તથા ઈહલોકાદિ સાત ભયને અંત કરવાવાળા, હું મયદ્વાન્તઅર્થાત કામભોગોને નાશ કરવાવાળ, અથવા શું મત=મ- એટલે ઇંદ્રિયગણનું દમન કરવાવાળ, અથવા દે માત્ત=સમ્યકજ્ઞાન દર્શન ચારિત્રથી સુશોભિત હે ભગવન્! (ગુરૂમહારાજ !) હું સભ્ય જ્ઞાન, સમ્યગદર્શન અને સચારિત્ર રૂપ રત્નત્રયની પ્રાપ્તિ અથવા રાગ અને દ્વેષથી રહિત, દરેક પ્રાણીને મારી જેમ જેવાવાળા તથા ચિંતામણિ, કલ્પતરૂ, કામધેનુ, સ્પર્શમણિ વિગેરેથી પણ અતિશ્રેષ્ઠ જગતરૂપી ભયંકર અટવીમાં ભટકતા પ્રાણીઓના બધાં દુઃખોને નાશ કરનાર, સમ્યકજ્ઞાન-દર્શન-ચારિત્રથી યુક્ત આમસ્વરૂપની પ્રાપ્તિરૂપ સામાયિક કરૂં છું, એટલા માટે યાજજીવ (જિંદગીભર) હું દરેક સાવધ વ્યાપારને ત્રણ કરણ ત્રણ યોગથી ત્યાગ કરૂં છું. * સમતા ભાવની પ્રાપ્તિ વિના રાગદ્વેષનો ક્ષય થતું નથી અને રાગદ્વેષના ક્ષય વિના કેવલજ્ઞાન કેવળદર્શનની પ્રાપ્તિ થતી નથી અને કેવળજ્ઞાન કેવળશનની પ્રાપ્તિ વિના મુકિત મળતી નથી. મોક્ષનું મૂળસાધન સામાયિક જ છે, એથી સામાયિક, કેવલ સાંસારિક સુખ આપનાર ચિન્તામણિ પારસમણિ આદિથી પણ ઉત્તમ કહેલ છે. ત્રણ કરણ આ છે– (૧) કુત, (૨) કારિત, (૩) અનુમદિત. કૃત–પતાની ઈરછાથી પિતે કરવું કારિત–બીજી વ્યક્તિ પાસે કરાવવું. અનુદિત-જે સાવદ્ય વ્યાપાર કરી રહ્યો હોય, તેને સારું જાણવું. ત્રણ યંગ આ છે (૧) મન, (૨) વચન, (૩) કાયા. પ્રશ્ન–સૂત્રમાં ત્રિવિધેન (ત્રણ પ્રકારે) કહેલું જ છે, પછી મનેતા=(મનથી), વાવ (વચનથી) #ાન (કાયાથી) કહેવાથી પુનરૂકિત (કહેલાને ફરી કહેવું) થાય છે. આ “ત્રણ પ્રકારે” એ વિશેષણ “મન, વચન, કાયા”નું જ હોઈ શકે છે. જે એમ માનવામાં આવે તે એને અર્થ એ થશે કે “ત્રણ પ્રકારના મનથી, ત્રણ પ્રકારના વચનથી અને ત્રણ પ્રકારની કાયાથી આરંભ ન કરે. અર્થાત્ મન, વચન, કાયાના પણ ત્રણ ત્રણ ભેદ બનશે, એવો અર્થ શાસ્ત્રવિરુદ્ધ છે. શાસ્ત્રમાં ભગવાને મન આદિના ત્રણ ભેદ બતાવ્યા નથી, પરંતુ મન આદિના વ્યાપારને તે ત્રણ પ્રકારના બતાવ્યા છે. ઉત્તર–એ શંકા બરાબર નથી. જે ત્રિવિધેન ન કહીને કેવળ મન વાવ જન કહ્યું હતું તે અર્થ બરાબર બંધ બેસત નહિ; કારણ કે કે જેમ કહે કે “હેય અને ઉપાદેયને ત્યાગ અને ગ્રહણ કરે” તે એ વાકયમાં ક્રમાનુસાર હેયરની શ્રી આવશયક સુત્રમ ભાગ
SR No.040008
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages111
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy