________________
૨
સુબઇની એ કોલેજોના પ્રોફેસરાના અભિપ્રાય.
મુંબઇ તા. ૩૧-૩-૫૬
શ્રીમાન શેઠ શાંતીલાલ મંગળદાસ પ્રમુખ : શ્રી અખિલ ભારત જે. સ્થા. જૈન શ્રાોદ્ધાર સમિતિ, રાજકોટ.
પૂજ્યાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજે તૈયાર કરેલા આચારાંગ, દશવૈકાલિક આવસ્યક, ઉપાસકદશાંગ વગેરે સૂત્ર અમે જોયા. આ સૂત્રેા ઉપર સ ંસ્કૃતમાં ટીકા આપવામાં આવી છે અને સાથે સાથે હિન્દી અને ગુજરાતી ભાષાંતરો પણ આપવામાં આવ્યાં છે, સ ંસ્કૃત ટીકા અને ગુજરાતી તથા હિન્દી ભાષાંતરે જોતાં આચાર્ય શ્રીના આ ત્રણે ભાષા પરના એકસરખા અસાધારણ પ્રભુત્વની સચોટ અને સુરેખ છાપ પડે છે. આ સૂત્ર ગ્રંથમાં પાને પાને પ્રગટ થતી આચાર્યશ્રીની અપ્રતિમ વિદ્વતા મુગ્ધ કરી દે તેવી છે. ગુજરાતી તથા હિન્દીમાં થયેલા ભાષાંતરમાં ભાષાની શુદ્ધિ અને સરળતા નોંધપાત્ર છે. એથી વિદ્વદજન અને સાધારણ માણસ ઉભયને સ ંતાષ આપે એવી એમની લેખિનીની પ્રતીતિ થાય છે. ૩૨ સૂત્રોમાંથી હજુ ૧૩ સૂત્રે પ્રગટ થયાં છે. બીજા ૭ સત્રા લખાઈને તૈયાર થઈ ગયાં છે. આ બધાં જ સૂત્ર જ્યારે એમને હાથે તૈયાર થઇને પ્રગટ થશે ત્યારે જૈન સૂત્ર–સાહિત્યમાં અમૂલ્ય સંપત્તિરૂપ ગણાશે એમાં સંશય નથી. આચાર્ય શ્રી આ મહાન કાર્યને જૈન સમાજને-વિશેષત : સ્થાનકવાસી સમાજના સંપૂર્ણ સહકાર સાંપડી રહેશે એવી અમે આશા રાખીએ છીએ.
પ્રે. રમણલાલ ચીમનલાલ શાહ સેન્ટ ઝેવિયર્સ કૅલેજ, મુંબઈ, પ્રે. તારા રમણુલાલ શાહ. સાન્ડ્રીયા કેલેજ, મુંબઇ,
રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રોફેસર સાહેબને અભિપ્રાય.
જયમહાલ જાગનાથ પ્લેટ રાજકોટ, તા. ૧૮-૪-૫૬
પૂજ્યાચા` ૫. મુનિ શ્રી ધાસીલાલજી મહારાજ આજે જૈન સમાજ માટે એક એવા કાર્યોંમાં બ્યાસ થએલા છે કે જે સમાજ માટે બહુ ઉપયેગી થઈ પડશે. મુનિશ્રીએ તૈયાર કરેલાં આચારાંગ, દશવૈકાલિક, શ્રી વિપાકશ્રત વિમેં જોયાં.