SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ હેય છે. આ પ્રમાણે વિગત નિશ્ચયનું તાત્પર્ય થયું–સામાન્યાભાવ એના નિમિત્તે આ નયની પ્રવૃત્તિ થાય છે. સર્વ દ્રવ્યોના વિષયમાં સામાન્યનો અભાવ આપાદન કરવા માટે જ આ પ્રયત્નશીલ રહ્યાં કરે છે. આ નય આ પ્રમાણે કહે છે કે લૌકિક વ્યવહારમાં ઉપયેગી ઘટાદિક વિશેષ જ હોય છે. કેમકે એમના વડે જ જલાહરણ (પાણી લાવવું) વગેરે ક્રિયાઓ નિષ્પન્ન થાય છે. લેકમાં આ વાત સર્વજન ગોચર છે. આમાં કોઈને પણ કોઈપણ જાતને વાંધો નથી. આથી વિશેષથી વ્યતિરિત સામાન્યનું લેકવ્યવહારમાં કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. એથી વ્યવહારનય લેકવ્યવહારમાં અનુપયોગી હોવાથી સામાન્યને સ્વીકારતા નથી. એથી. લોકવ્યવહાર છે, પ્રધાન જેમાં એવો આ નય કહેવાય છે. અથવા વ્યવહારનય સર્વ દ્રવ્યના વિષચેપ વિશેષ રૂપમાં નિશ્ચય કરવા નિમિત્ત પ્રવૃત્ત થાય છે. આ જાતના અર્થ પણુ વિ' નિશ્ચયાર્થી ને થાય છે. આને ભાવ આ પ્રમાણે છે કે ઘટાદિક જે પદાર્થો છે, તેમાંથી દરેકે દરેકમાં નિશ્ચયથી પાંચ વણે, બે ગંધ, પાંચર અને આઠ સ્પર્શ આ બધા ૨૦ ગુણ હોય છે. છતાંએ ગોપાલાંગનાદિ સાધારણ જનાને આ વાતને સર્વત્ર નિશ્ચય હેતું નથી, પરંતુ કેઈ એક સ્થળમાં જ તેમને શ્યામ, નીલ વગેરે વર્ણને નિશ્ચય હોય છે. જ્યાં એમને વિનિશ્ચય હોય છે, વ્યવહારનય તેને જ ત્યાં સત્ રૂપથી અંગીકાર કરી લે છે, બીજાઓને નહિ. કેમકે આ નય આ જાતના લોકવ્યવહારમાં તત્પર હોય છે. તથા (વઘુઘરાણી નુપુળો વિઠ્ઠી મુળવવો ફુઈ વિચિરાં ઉgravi rો હરો) અજુ સૂત્રનય વિધિ પ્રત્યુત્પન્નગ્રાહી હોય છે. પ્રત્યુત્પનશાહીનું તાત્પર્ય વર્તમાનકાળ, ભાવી પર્યાયને ગ્રહણ કરવાને જેને સવભાવ છે, એવું થાય છે. આનો ભાવ આ પ્રમાણે છે કે “અતીત અનાગત પર્યાયને માનવું આ એક પ્રકારની કુટિલતા છે. આ કુટિલતાને નહિ માનતા ફકત વતમાન ક્ષણવત પર્યાયને કહેનાર માનનાર આ નય હોય છે. “જનું સૂત્રરીતિ £ગુહૂત્ર એવી તે વ્યુત્પત્તિ છે અતીત અને અનાગત એ બન્ને અવસ્થાઓ ક્રમશઃ વિનટ અને અનુત્પન્ન હોવા બદલ અસત્ રૂપ હોય છે. અસત્ અલ્પપગમ જ કુટિલતા છે. આ કુટિલતાનો પરિહાર કરીને ફકત વર્તમાન કાલિક વસ્તુને તે સ્વીકાર કરે છે. એથી આનું નામ ઋજુ સૂત્ર એવું છે. અથવા “siggો’ ની સંસ્કૃત છાયા “દgયુર” એવી પણ થાય છે. જેનું શ્રત જુ-સરલ અકુટિલ છે. એ એને અર્થ છે. ઈતર જ્ઞાનાથી મુખ્યતયા તથાવિધ પરોપકારનું સાધન થતું નથી, જેવું કે શ્રુતજ્ઞાનથી થાય છે, એથી આ નય એક શ્રુતજ્ઞાનને જ માને છે. “સુચનાને ૨ નિવત્ત તoicી અcuળો ય ઉસિ કાણા તં પરિમાવો' અહીં “રિમાર' શબ્દનો અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૭૧
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy