SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ છે અનેક શરીરના સમૂહરૂપ જે સંધાત છે તેને અનેક શરીરવૃંદ સંધાત કહે છે. તે અનેક શરીરવંદ સંઘાત શરીરની અનેકતા રૂપ હોય છે અથવા જીવની સાથે રહે છે. તેથી આ જન્માન્તરીય શરીરની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો એક જીવમાં દારિક, તેજસ અને કાર્મણ, આ ત્રણ શરીરને સદૂભાવ હોય છે આ દષ્ટિએ વિચાર કરવામાં આવે તે શરીરની અનેકતા રૂપ અનેક શરીરવૃંદ સંઘાતનું પ્રતિપાદન થઈ જાય છે ઉપર્યુક્ત ગતિ આદિ શબ્દમાં શ્રદ્ધ સમ સે છે. આ ગતિ આદિથી જે જીવ વિપ્રમુક્ત થઈ ગયેલ હોય છે તે જીવને ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બન્ધન, સંઘાત, સંહનન, સંસ્થાન અને અનેક શરીરવૃન્દસઘાતવિપ્રમુકત ગણવામાં આવે છે. એટલે કે એવા જીવના ગતિવિપ્રમુકત જાતિવિપ્રમુકત આદિ નામ નિષ્પન્ન થાય છે. ગતિ, જાતિ, શરીર આદિમાં જે શરીર શબ્દ છે તેનો અર્થ શરીરનામકમ છે. આ નામકર્મના ઉદયથી ઔદારિક આદિ શરીરની રચના થાય છે. તથા– છે અનેક શરીરવૃન્દ ” આ પદમાં જે શરીર' શબ્દ આવે છે તે શરીર શખ શરીર નામકર્મના કાર્યભૂત તે ઔદારિક આદિ શરીરોને વાચક છે. આ પ્રકારે તેમની વચ્ચે ભિન્નતા સમજવી જોઈએ. (હીનકુમારે) નામકર્મને નાશ થતાં જ તીર્થકર, શુભ, સુભગ સુસ્વર, અદેય, યશ કીર્તિ યુકત આદિ જે શુભ નામો હોય છે તેમને પણ નાશ થઈ જાય છે, તેથી એવા જીવનું ક્ષીણ શુભનામા” આ નામ નિષ્પન્ન થાય છે. (રવીન સુકામે) એજ પ્રમાણે નામકર્મને નાશ થતાં જ નરકગતિ, અશુભ, દુર્ભગ, દુવર, અનાદેય, અયશકીતિક આદિ અશુભ નામને પણ નાશ થઈ જાય છે તેથી એવા જીવન બક્ષીશાશુભનામા ” નામ નિષ્પન્ન થાય છે. (અનામે, નિનામે, રવીન ના) વળી નામકર્મ નિર્મૂળ થઈ જવાથી જીવના “અનામ, નિર્નામ, અને ક્ષીણનામ ” આ નામો પણ નિષ્પન્ન થાય છે. આ ત્રણે શબ્દને ભેદ અહ, નિર્મોહ અને ક્ષીણુમેહના જે જ સમજ. (ગુમાસુમળામવિમુ) ત્યારે આત્મા શુભાશુભ નામકર્મથી સર્વથા રહિત થઈ જાય છે ત્યારે તેને ગતિવિપ્રમુકતથી ક્ષીણનામ પર્વતના ઉપર્યુકત નામે નિષ્પન્ન થાય છે. - હવે સૂત્રકાર ગોત્રકમને ક્ષય થઈ જવાથી આત્માના જે જે નામો નિષ્પન્ન થાય છે, તેમનું નિરૂપણ કરે છે– અનુયોગ દ્વાર સુત્રમ ૨૪૨
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy