SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ અન્તના બે ભંગ એછાં કરી નાખવાથી અનાનુપૂરી બની જાય છે. અનાનવનું આ પ્રકારનું સ્વરૂપ છે. આ સૂત્રની વ્યાખ્યા સમજવા માટે ૯૮નું સૂત્ર વાંચી જવું. હર્વક આદિ જે ત્રણ લોક છે તેમના વિષે હવે અહીં થોડું થન કરવામાં આવે છે ઔપનિપિકી દ્રવ્યાનવીના પ્રકરણમાં દ્રવ્યાનુપૂવને અધિકાર હોવાથી ત્યાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનું પૂર્વાનવી આદિ રૂપે કથન કરવામાં આવ્યું હતું. પરંતુ અહી ક્ષેત્રાનુપૂવીને અધિકાર ચાલી રહ્યો છે તેથી અહીં અલક આદિ ક્ષેત્રનું પૂર્વાનપૂર્વી આદિ રૂપે કથન કરવામાં આવ્યું છે. લેકના ઉર્વલક અલેક (તિયક) આદિ જે ત્રણ વિભાગ કરવામાં આવ્યા છે તેનું કારણ એ છે કે મયકની વચોવચ મેરુપર્વત છે. તેની નીચેના ભાગને અલક અને ઉપરના ભાગને ઉલાક કહે છે તથા બરાબર રેખામાં તિરછી ફેલાયેલે મધ્યક છે. મલેકને તિર વિસ્તાર અધિક હોવાને કારણે તેને તિયક પણ કહે છે લેકની ઉપરથી નીચે સુધીની લંબાઈ ૧૪ રાજુપ્રમાણ છે. અને તેને વિસ્તાર અનિયત છે તે પાંચ અસ્તિકાથી વ્યાપ્ત છે. લોકના ત્રણ વિભાગ નીચે પ્રમાણે છે-(૧) અધઃ (૨) મધ્ય અને (૩) ઉર્વ આ રત્નપ્રભા પૃથ્વી પર બસમભૂભાગવાળા મેરુ પર્વતના મધ્યમાં આકાશના બે પ્રતરમાં-એટલે કે બબ્બે પ્રદેશોના વર્ગમાં આઠ રુચકપ્રદેશ છે. તે બે પ્રતરમાંના એક અષસ્તન પ્રતરથી લઈને નીચે ૯૦૦ જનની ઊંડાઈને પાર કરવાથી સાત રાજ કરતાં અધિક વિસ્તારવાળે અલેક આવે છે અથવા “અધ: ' ૫૪ અશુભ અર્થનું વાચક છે. તે અલકમાં ક્ષેત્રના પ્રભાવને લીધે અધિકતર અશુભ દ્રવ્યપરિણામ જ હોય છે. આ રીતે અથષા પરિણામવાળાં દ્રવ્યોથી યુક્ત હેવાને કારણે તે લેકને અલકને નામે એાળખવામાં આવે છે. એજ વાત સૂત્રકારે “ મહા બો વરિજાજો” ઈત્યાદિ ગાથા દ્વારા પ્રકટ કરી છે, ઉપર જે બે પ્રતરની વાત કરી છે તેમાંના એક ઉપેરિસન પ્રતરથી લઈને ૦૦ એજન ઊંચે જવાથી સાત રાજ કરતાં સહેજ ઓછા વિસ્તારવાળો ઉર્વલેક આવે છે. તે લેક ઊંચે આવેલું હોવાથી તેનું નામ ઉર્વક છે. અથવા “ઉશબ્દ અહી શુભ અર્થને વાચક છે તે ઉદ્ઘલેકમાં ક્ષેત્રના પ્રભાવથી દ્રવ્યોનું પરિણામ સામાન્ય રીતે શુભ જ હોય છે આ રીતે શુભ પરિણામવાળાં દ્રથી યુક્ત હોવાને કારણે તે લોકન નામ ઉર્વક પડ્યું છે. એજ વાત સૂત્રકારે નીચેની ગાથા દ્વારા વ્યકત કરી છે રિ રિએ ઈત્યાદિ આ પૂર્વોકત અલેક અને ઉર્વીલોકની વચ્ચે ૧૮ યોજનના પ્રમાણુવાળે તિર્યક-મધ્યલક છે. સિદ્ધાંતની પરિભાષા પ્રમાણે અહીઃ “તિર્ય' પદને અર્થ “મધ્ય ” થાય છે. તેથી મધ્યમાં રહેલા લકનું નામ તિય (મધ્ય) લેક પડયું છે અથવા “તિર્ય' આ ૫ અનુયોગ દ્વાર સુત્રમ ૧૭૭
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy