SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી કરણસાધનમાં પદાર્થોને જાણવામાં અત્યન્ત સાધક જે જ્ઞાન છે તેને જ અહી ગ્રહણ કરાયું છે. એવું જ્ઞાન જ્ઞાનાવરણના ક્ષય અને ક્ષોપશમ સ્વરૂપ જ હોય છે. એ જ પ્રમાણે “પદાર્થ જેના વડે જાણી શકાય તે જ્ઞાન છે,” આ પ્રકારની વ્યુત્પત્તિ કરવામાં આવે તો પણ જ્ઞાનાવરણનો ક્ષય અને ક્ષેપશમ જ્ઞાનરૂપ જ થઈ પડે છે, કારણ કે પદાર્થ જ્ઞાન દ્વારા જ જાણી શકાય છે. “જ્ઞાતે મિન્નિતિ જ્ઞાનમહિમા" “પદાર્થ જેમાં જાણી શકાય તેનું નામ જ્ઞાન છે,” આ પ્રકારની વ્યુત્પત્તિમાં આત્મા જ્ઞાનરૂપ પ્રતિપાદિત થાય છે. અહીં પરિણામ અને પરિણામવાળામાં અભેદ હોવાને કારણે આત્માને જ્ઞાનરૂપ માની લેવામાં આવે છે. કારણ કે નાનાવરણ કર્મના ક્ષય અથવા ક્ષપશમવાળા આત્માનું પરિણામ જ્ઞાન છે અને આત્મા તે પ્રકારના પરિણામવાળો છે. “નાગતિ રતિ જ્ઞાન” આ વ્યુત્પત્તિ અનુસાર પણ જ અથ પ્રાપ્ત થાય છે. જ્ઞાનમાં અર્થની અપેક્ષાએ પાંચ પ્રકારતા તીર્થકરોએ પ્રાપિત કરી છે અને સૂત્રની અપેક્ષાએ પાંચ પ્રકારતા ગણધરોએ પ્રરૂપિત કરી છે. આ બાબતમાં ગણુધરે એ પિતાના તરફથી કપિત કરીને કંઈ પણ મિશ્રિત કર્યું નથી, એજ વાત સૂત્રકારે “U” પદ દ્વારા પ્રકટ કરી છે. અથવા “go7” આ પદની સંસ્કૃત છાયા “પ્રજ્ઞાd” છે. આ પ્રાજ્ઞાપ્તની અપેક્ષાએ જે વિચાર કરવામાં આવે તો તેનો અર્થ આ પ્રમાણે થાય છે-જ્ઞાનમાં પંચવિધતાની પ્રાપ્તિ ગણધરોએ પ્રાજ્ઞ તીર્થકર સર્વજ્ઞ ભગવાન પાસેથી કરી છે. અથવા તેને અર્થ એ પણ થાય છે કે-જ્ઞાનમાં આ પાંચ પ્રકારતા ભવ્ય જીવોએ પિતાની બુદ્ધિથી જ પ્રાપ્ત કરેલ છે. બુદ્ધિ વગર તે તેની પ્રાપ્તિ થઈ શકતી જ નથી. આ રીતે જે પ્રજ્ઞાપ્ત છે, એ જ પ્રાજ્ઞાપ્ત છે. (તે ગા) જ્ઞાનના તે પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે—(ામિળિદિયા) (૧) આભિનિબાધિક જ્ઞાન આ જ્ઞાન વસ્તુ યોગ્ય દેશમાં હોય એવી અપેક્ષા રાખે છે, તથા પાંચ ઈન્દ્રિયે અને મનની સહાયતાથી થાય છે. એજ વાત “મિ” અને “R ઉપસર્ગો દ્વારા પ્રકટ કરી છે. આ રીતે આભિનિબાધિક જ્ઞાનની વ્યાખ્યા આ પ્રમાણે થાય છે— ગ્ય દેશમાં સ્થિત (રહેલી) વસ્તુને ઈન્દ્રિયે અને મનની સહાયતાથી જાણનારા જ્ઞાનનું નામ અભિનિબધ છે. તે અભિનિબોધ જ આભિનિધિક જ્ઞાન છે.” અહીં જ્ઞાન પદ સામાન્ય જ્ઞાનનું વાચક છે અને અભિનિબંધ પદ ઇન્દ્રિયો અને મનની સહાયતાથી ઉત્પન્ન થનાર વિશિષ્ટ જ્ઞાનનું વાચક છે. તેથી “મિનિધિ કરૂ ર ાનિધિ કાન” આ પ્રકારે તે બને સામાન્ય વિશેષ જ્ઞાનમાં સમાનાધિકરણતા થઈ છે. આ અભિનિબાધિક જ્ઞાનનું બીજું નામ અતિજ્ઞાન પણ છે. (૨) શ્રુતજ્ઞાન–૨:દના શ્રવણથી અથવા ભાષણ આદિ વડે જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને શ્રુતજ્ઞાન કહે છે. જ્ઞાનના પ્રભેદોના પ્રકરણમાં આવી જતું હોવાને લીધે અહીં શ્રત શબ્દ વડે જ્ઞાનનું જ ગ્રહણ થયું છે–અહીં થત” પદ દ્વારા શબ્દ ગૃહીત થયેલ નથી. “શ્રય તિ શ્રત” આ પ્રકારની વ્યુત્પત્તિને આધારે શ્રત પદ શબદરૂપ અર્થનું વ.ચક પણ સંભવી શકે છે, પરંતુ તે શબ્દાર્થક શ્રુત અહીં પ્રહ ણ કરવામાં આવ્યું નથી. કારણ કે તે ઇદ પગલિક પર્યાયરૂપ હવ.થી અચન છે, પણ જ્ઞાન આમાના નિજણ૩૫ હાવાથી ચેતન છે, અનુયોગ દ્વાર સુત્રમ
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy