SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ શકે છે? ક્ષેત્રાનુવીરૂપતા તે પ્રદેશત્રયાદિરૂપ ક્ષેત્રની સાથે સંબંધ રાખે છે-ત્રિઅણુક પુદ્ગલરકોની સાથે સંબંધ રાખતી નથી શંકાકર્તાને એ અભિપ્રાય છે કે અહીં જ્યારે ક્ષેત્રાનુપૂવને અધિકાર ચાલી રહ્યો છે, ત્યારે પુદ્ગલ દ્રવ્યાનુપૂર્વીને વિચાર કરવાની શી આવશ્યકતા છે? ઉત્તર-અહીં જે ત્રણ પ્રદેશની અવગાહનાવાળા દ્રવ્યરકાધને આનુપૂર્વી રૂપ કહેવામાં આવ્યો છે, તેનો અર્થ અહી આ પ્રમાણે સમજવું જોઈએત્રણ પ્રદેશમાં અવગાહના રૂપ પર્યાયથી યુક્ત દ્રવ્યસ્કંધને અહીં આનુપૂર્વ રૂપ કહેલ છે-ત્રણ પુદગલ પરમાણુવાળા દ્રવ્યધને નહીં તે ત્રણ પુદ્ગલ પસ્માસુવાળા દ્રવ્યસક આકાશ રૂપ ક્ષેત્રના ત્રણ પ્રદેશને રોકીને રહે છે. તેથી આકાશના ત્રણ પ્રદેશોમાં અવગાહી (રહેલે) દ્રવ્યરકંધ આનુપૂર્વી રૂપ છે, એમ સમજવું. જો કે અત્યારે તે અહીં ક્ષેત્રાનુ પૂવને અધિકાર ચાલી રહ્યો છે, અને મુખ્યત્વે ક્ષેત્રાનુ પવી તે ત્રણ પ્રદેશરૂપ ક્ષેત્ર જ છે. આ રીતે ત્રાનુપૂર્વી રૂપતા મુખ્યત્વે ત્રણ પ્રદેશ રૂપ ક્ષેત્રમાં વિવક્ષિત હોવા છતાં પણ જે ત્રણ પ્રદેશરૂપ ક્ષેત્રાવગાહી દ્રવ્યને ક્ષેત્રાનુપૂવ રૂપ કહેવામાં આવ્યું છે, તે ક્ષેત્રાવગાહ રૂપ પર્યાય મુખ્ય વિરક્ષિત રહેવાને કારણે કહ્યું છે. તેથી દ્રવ્યમાં પણ ઔપચારિક રૂપે ક્ષેત્રાનુપૂર્વી રૂપતા વિરૂદ્ધ પડતી નથી. શંકા-જે ક્ષેત્રમાં જ મુખ્યત્વે ક્ષેત્રાનુપૂર્વીતાને સદ્ભાવ હેય તે શા કારણે આ મુખ્યરૂપતાને પરિત્યાગ કરીને ઔપચારિકતાને આધાર લઈને તદવગાહી (તેમાં અવગાહિત થયેલા-રહેલા) દ્રવ્યમાં ક્ષેત્રાનુપૂર્વાનો વિચાર કરવામાં આવી રહ્યો છે? ઉત્તર-સત્પદપરૂપણુતા આદિ રૂપ નીચે દર્શાવેલા ઘણા વિચારોને વિષય દ્રવ્ય હોય છે, અને તેના જ વિચારથી શિની મતિ વ્યુત્પન્ન બને છે. ક્ષેત્ર તે નિત્ય છે તથા સદા અવસ્થિત છે, અને અચલ છે. તેથી સામા ન્યતઃ તેમાં આનુવ આદિની કલ્પના કરવાથી એ વાત શિના મગજમાં સારી રીતે ઉતરી શકતી નથી તેથી તેને અનુલક્ષીને આદિને વિચાર કરવામાં આવ્યું નથી. અહીં તે ક્ષેત્રાવગાહી દ્વવ્યને ક્ષેત્રાનુપૂર્વી રૂપે પ્રકટ કરવામાં આવેલ છે તેથી તે કથનમાં કઈ દેષ નથી એજ પ્રમાણે ચાર પ્રદેશાવગાઢદ્રવ્ય વગેરેના વિષયમાં પણ એમ જ સમજવું જોઈએ. અસંખ્ય પ્રદેશાવગાઢ આનુપૂર્વી આ પદને અર્થ નીચે પ્રમાણે સમજ-આકાશના અસંખ્યાત પ્રદેશોમાં અસંખ્યાત અણુવાળે અથવા અનંત અણુવાળ દ્રવ્યરકંધ આનુપૂર્વી છે એમ સમજવું આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે--એક પુદ્ગલપરમાણુ આકાશના એક જ પ્રદેશમાં અવગાહી હોય છે. પરંતુ બે પ્રદેશવાળા પુદ્ગલસ્કધથી લઈને અસંખ્યાત પ્રદેશવાળા જે પુદ્ગલ કહે છે, તેમને પ્રત્યેક પુદ્ગલ કંધ ઓછામાં ગોછા એક આકાશપ્રદેશમાં રહે છે અને વધારેમાં વધારે તે સ્કંધના જેટલા પ્રો હાય-જેટલા પરમાણને તે સ્કંધ બનેલે હાય-એટલાજ આકાશપ્રદેશમાં તે રહે છે, અનંત આકાશપ્રદેશોમાં તે રહેતું નથી, કારણ કે નો અવગાહ અસંખ્યાત પ્રદેશાવાળા કાકાશમાં જ છે-અનંત પ્રદેશ અનુયોગ દ્વાર સુત્રમ ૧૫ર.
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy