SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો મ(૧૮) જૈનપ્રતિમાભંડાર એવં સંગ્રહાલયની આવશ્યકતા ન (A) જૈન પ્રતિમા એવં ભંડારઃ જેમ આપણા પૂર્વાચાર્યો એ દીર્ધદષ્ટિ વાપરી રાણકપુર, જેસલમેર, જાલોર, કદંબગીરી, ડેમ, હસ્તગિરિ આદિ સ્થાનોમાં પ્રતિમા ભંડારો બનાવ્યા હતા તેમ વર્તમાનમાં પણ આવા પ્રતિમા ભંડારોની આવશ્યકતા છે. આજે જે ઉત્તમ પાષાણમાંથી બનેલી પ્રતિમાજી મળે છે તે આવતીકાલે નહિ મળે..આજે જે ગીતાર્થ,પ્રભાવક ગુરુભગવંતો છે તે આવતીકાલે નહિ મળે. વળી આવતીકાલની નવી પેઢી પ્રતિમાઓ ભરાવશે કે નહિ તેની શંકા છે. આપણે રાખી ગયા હશું તો આવતીકાલે તેમના કામમાં આવશે. 200-300 વર્ષ પછી 500 વર્ષ પછી પ્રાચીન થઈ ગયેલા આ પ્રતિમાજી કામમાં આવશે. વળી દિવસો દિવસ પાષાણના ભાવ વધતા જાય છે તો કવોલીટી પણ ઘટતી જાય છે. યોગ્ય સ્થાનોમાં આવા પ્રતિમા ભંડારોની આવશ્યક્તા છે પ્રતિમાભંડારો નીચે મુજબ અલગ અલગ પ્રકારના બનાવી શકાય. (1) અંજનશલાકા યુક્ત પાષાણના બિંબો (જે અમુક તીર્થોમાં પબાસણ બનાવી મહેમાન તરીકે પધરાવવા) (2) મંગલપ્રતિમાજીઓ જે સમય આવે અંજનશલાકા કરી શકાય તેવી રીતે પધરાવવા (3) શુદ્ધ અષ્ટધાતુના પ્રતિમાજીઓ (અંજનશલાકા વાળા અને વગરના) (4) રત્ન મંદિરો (વર્તમાનમાં અલગ અલગ કલરના મગજ આદિ પાષણો મળે છે તેના, સ્ફટિકના, પ્યોર રત્નોના) (5) પટ્ટમંદિરો (શત્રુંજય, સન્મેદશિખર આદિના ઉત્તમ પટ્ટો બનાવી મુકવા) (6) યંત્રભંડારો (સિદ્ધચક્ર આદિ શુદ્ધિપૂર્વક બનેલા યંત્રોના ભંડારો) (7) ઉપકરણભંડારો ( શુદ્ધ બ્રાસ,પિત્તલ આદિના બનેલા જિનાલયોપયોગી ઉપકરણો) આવા અલગ અલગ પ્રકારના ભંડારો બનાવવા. જે જૈનશાસન ને ભવિષ્યમાં કામ લાગે..અને યતિઓના કાળમાં પણ આવી જ રીતે અલગ-અલગ જગ્યાથી પ્રતિમાજી લાવી પધરાવતા. જે આપણા પૂર્વાચાર્યો એ અનેક પ્રતિમાઓ બનાવી તે સંકટના સમયે કામ આવી..અને ખંડિત થયા પછી પણ મ્યુઝિયમોમાં જૈન
SR No.036511
Book TitleJain Shasanna Vicharniya Prashno
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherMission Jainatva Jagaran
Publication Year2019
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy