________________ - જૈન શાસનના વિચારણીય પ્રશ્નો (4) જૈન રક્ષક સેના ની આવશ્યકતા જેમ દેશની રક્ષા માટે સેનાની આવશ્યકતા હોય તેમ શાસનની રક્ષા માટે જિન શાસન રક્ષક સેનાની આવશ્યકતા હોય છે...ધર્મો રક્ષતિ રક્ષિત: ના અનુસાર ધર્મની રક્ષા કરનાર વ્યક્તિની રક્ષા ખુદ ધર્મ જ કરે છે... professionaly લગભગ આવા 500-1000 જેટલા યુવાનોની સેના બનાવવા માં આવે. તેમના જીવન નિર્વાહની બધી જવાબદારી સંઘ ઉઠાવે...જૈનોમાં જમ્રતવાળા ઉપરાંત સરાકક્ષેત્ર, બોડેલી ક્ષેત્ર, ગુર્જર-જાટવ ક્ષેત્રમાંથી આવા યુવાનોને પગાર આપી કાયમી ધોરણે રાખવામાં આવે. પાલિતાણા (પાલિતાણા માં ઘણી ધર્મશાળાઓ ખાલી પડી છે, પણ માલિક કોણ? તે સૌથી મોટો પ્રશ્ન છે.) જેવા ક્ષેત્રમાં તેમની વ્યવસ્થા કરવી...એક લઘુ ઉદ્યોગ પણ સ્થાપવો જેના દ્વારા તેમના પાસેથી કાયમી ધોરણે કામ લઈ શકાય...વળી 7-8 ટ્રકો પણ વસાવી લેવી જેથી જરૂરત સમયે આ સેનાને તરત જ ટ્રક માં ભરી ઘટના સ્થળે રવાના કરવી...વળી આ સેના ચોક્કસ ગુરુભગવંત ના માર્ગદર્શનમાં ચાલે તે આવશ્યક છે. તેમણે રહેવા-જમવાની યોગ્ય સગવડ માટે પાલિતાણામાં ખાલી પડી રહેલી ધર્મશાળા અને 1 રૂ.આદિમાં જમાડતી ભોજનશાળામાં વ્યવસ્થા કરી શકાય....વળી તેમને ધર્મભાવનાથી વાસિત બનાવવા માટે દરરોજ ધાર્મિક જ્ઞાન સાથે જેહાદી(ધર્મરક્ષાના ) પ્રવચનો પણ આપવામાં આવે...(૧) તો સાથે તેમણે કરાટે મિલીટરી ની ટ્રેઈનિંગ પણ આપવામાં આવે તે આવશ્યક છે. તેમનો ચોક્કસ સેના જેવો યુનિફોર્મ હોય....સેનાની જેમ કમાન્ડો પણ હોય...તેમણે લડવા માટે government માન્ય ચોક્કસ હથિયાર પણ રાખવામાં આવે...તો થોડા વિસ્તાર પછી દરેક ક્ષેત્રોમાં તેમની આવી શાખા ખોલવામાં આવે તે આવશ્યક છે. આ માટે ચોક્કસ ગુરુભગવંતો આ વાતને ધ્યાનમાં લે. પ્રવચનોમાં સતત પ્રેરણા આપે... પાઠશાળા ના બાળકોને રોજ નાનપણથી જ આવા શૂરવીરતાના પાઠો શીખવવામાં આવે તે અતિ આવશ્યક છે.....આવા સુંદર શાસનરક્ષાના કાર્યો માટે એક મોટા પાયે ફંડ અને દરેક સંઘ લેવલે દર મહિને ચોક્કસ રકમ આપવામાં આવે તે આવશ્યક છે...આવું કાર્ય થતા જૈનશાસનની રક્ષા ખુબ જ સુંદર-યોગ્ય રીતે થઈ શકશે.