SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ 34 - વરવતનું કુરિત્ર. એક સુદત્ત નામના પુરૂષે એક વીરવતી નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા અને કેટલાક દિવસ પછી તે સ્ત્રીને તેડવાને માટે સાસરે ગયો. વીરવતી એક અંગરક નામના ચાર ઉપર આસક્ત હતી. સુરતના જવાથી - તે સ્ત્રીને અંગારકની પાસે જવાનો વખત મળતો નહોતે, જેથી તે - રાત દિવસ વ્યાકુળ રહેતી હતી. એક દિવસ કોઈ અપરાધને લીધે અંગારકને સ્મશાનમાં શૂળીએ ચઢાવવામાં આવ્યું. આ વાતની ખબર વીરવતીને પડેલી હતી, પરંતુ દિવસના અવકાશ ન મળવાથી રાતની વખતે જ્યારે એને ભત્તર નિદ્રામાં ઘેરાટવા લાગ્યો ત્યારે અડધી રાત્રે ગુપ્ત રીતે સ્મશાનમાં પોતાના પ્રેમી આસકની પાસે જઈને શળીની નીચે મુડદાંઓને ઢગલે કરીને તેના ઉપર ઉભી થઈ અને તે ચારને આલિંગન કર્યું !! ! પછી જે વખતે તે અંગારક એના અધરામૃત (હોઠની મીઠાશ) નું પાન કર્યું તે વખતે અંગારકને જીવ જવાથી તેના દાંત બંધ થઈ ગયા અને નીચે જે મુડદાંઓને ઢગલો બનાવ્યો હતો તે ખસી ગયે, જેથી વીરવતીના હોઠ કપાઈને અંગારકના મેઢામાં રહી ગયેલી પછી વીરવતી મેઢું છુપાવીને જે પ્રમાણે ગુપ્ત રીતે આવી હતી તેજ પ્રમાણે પોતાને ઘેર જઇને ભર્તારની સાથે સૂઈ ગઈ. તે પછી તે દુષ્ટ વ્યભિચારીણીએ યુકિત પૂર્વક પોકાર કર્યો કે-“ હાય ! હાય ! ! મારા પતિએ મારા હોઠ કાપી લીધો.” એને પોકાર સાંભળીને મહાલાના સઘળા લોકો એકઠા થઈ ગયા. જયારે સવાર પડી ત્યારે રાજદરબારમાં જઈને રાજાને સઘળી વાત સંભળાવી એટલે રાજાએ સુદ- . ગુન્હેગાર જાણીને શૂળીએ ચઢાવવાને હુકમ કર્યો. જ્યારે રાજાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036506
Book TitleYashodhar Charitra
Original Sutra AuthorN/A
AuthorIshwarlal Karsandas Kapadia
PublisherMoolchand Karsandas Kapadia
Publication Year1918
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size109 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy