SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ 118 મરીને છેલ્લાં કુંકડાની જોડી થયાં અને એ પર્યાયમાંથી મરીને તારા. સ્વરછ ઉદરથી પુત્ર પુત્રી થયા, તે માટે છે વર્તમાન ભવની માતા ! હે પૂર્વભવની પૂત્રવધુ ! હવે તું મુનિરાજને પ્રણામ કર.” __कुमार अभयरुचिने राज्यप्राप्ति ( આ પ્રમાણે કહેવાથી તમારી માતા રાજા યશોમતિ અને કલ્યાણમિત્ર શેઠ સહિત હમને લઈને નગરમાં પાછી આવી. ત્યાર પછી કલ્યાણમિત્ર છે. હમને કહ્યું-“અભયરૂચિ કુમાર ! તમારા પિતા યશેમતિ મહારાજ તો દીક્ષા ગ્રહણ કરવાને તૈયાર થયા છે, માટે હવે તમે સપ્તાંગ રાજ્યનું ન્યાયપૂર્વક પાલન કરે, અને કુટુંબીઓને તથા તમારી માતાને સંતોષિત કરે વગેરે.” . શેઠનું આ પ્રમાણે કહેવું સાંભળીને અનેક ભવોનાં દુઃખથી ખેદિત મેં કહ્યું-“શ્રેષ્ટિવય ! એ યશોમતિ પૂર્વ ભવમાં નેત્રાનંદદાયક મારા પુત્ર હતો અને એને મેંજ રાજ્યપદ આપ્યું હતું, અને હવે આ ભવમાં ચંદ્રમાસમાન મુખને ધારક હું એનો પુત્ર થયો છું. શેઠજી ! હવે આપ જ કહે કે શું હું મારા હાથે આપેલું રાજ્ય પાછું ગ્રહણ કરું? હવે તો મોહપટલરૂ૫ સઘન વસ્ત્રથી વેણિત નેહરૂપ પર્વતની ગુફાને ફેડીને તપાલક્ષ્મિનું સુખાવલોકન કરીશ.” * * કલ્યાણમિત્ર૦-“પ્રિયકુમાર ! હમણું તપશ્ચરણને વખત નથી. આ સમયે તો આપે સૌથી પહેલાં રાજ્યવિધાનું શિક્ષણ લેવું જરૂરનું છે કેમકે રાજ્યવિધા વિના રાજ્યશાસન કરવું અઘરું છે, અને રાજ્યશાસને વિના સઘળી પ્રજા અન્યાય માર્ગે ચાલે છે, જેથી શ્રાવક ધર્મ અને મુનિધર્મ બને નષ્ટ થઈ જાય છે. કુમાર! જ્યારે જિનરાજે કહેલા બન્ને માર્ગ નષ્ટ થઈ જાય, તો રાજ્ય કુટુંબમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036506
Book TitleYashodhar Charitra
Original Sutra AuthorN/A
AuthorIshwarlal Karsandas Kapadia
PublisherMoolchand Karsandas Kapadia
Publication Year1918
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size109 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy