SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે આપને જો એમ હોય તે ભાનુમતીનું રૂપ ચિત્રપટે આલેખાવીને આસન ઉપર વામ ભાગે તેને સ્થાપવું–૮૭૫. - એમ થવાથી કોઈને માનભંગ નહિ થાય, કોઈને લાજ પણ નહિ આવે, આપને વિરહનહિ રહે, ને સભા સર્વદા સાથે રહેશે–૯૭૬. આવું તેમનું સુંદર વચન સાંભળી ચતુર એવા નંદરાજાએ ચિત્તમાં હર્ષ પામી ઘણો વિચાર કર્યો-૯૭૭. કે અહો! આ બધાની બુદ્ધિ કેવી સારી છે, એમના જ્ઞાનની કુશળતા કેવી છે! એમના વિચાર કેવા ઉત્તમ છે! એમની ચતુરાઈ ધન્ય છે–૯૭૮ - એક તરફ ગામ અને રાજયનું રક્ષણ અને રિપુનું નિવારણ કરવાનું છે ને એક તરફ રનેહના સર્વોપરી રાજ્યના જલમાં કેલિ કરવાનું કુતૂહલ છે–૮૭૮. માટે વિચારીને નંદે કઈ સારા ચિત્રકારને બેલા અને ભાનુમતીનું રૂપ પટાંતરે તેને દેખાડવું–૮૮૦. તે તેણે તે ઉપરથી અનુમાન બાંધી તેજ રૂપનું ચિત્ર તૈયાર કર્યું ને તેને સુવર્ણરત્નપુષ્પાદિથી અલંકૃત કર્યું-૯૮૧. ' એ પ્રકારે ચિત્ર તૈયાર કરી રાજાની પાસે મૂક્યું તે સભાસદોએ તે સ્વાભાવિકજ ભાનુમતીનું રૂપ છે, એમ ધાર્યું-૯૮૨ - તેવામાં સર્વ ગુણનું રથાન અને જ્ઞાનવિદ્યાદિ સર્વમાં નિપુણ એ શારદાનંદન નામને નંદ રાજાને પૂજય ગુરુ ત્યાં આવે-૯૮૩. તેને રાજાએ પેલું ચિત્ર બતાવી પરીક્ષા કરવાને કહ્યું -984. તે જ્ઞાનીએ પણ ચિલું રૂપ જોઈને નંદ રાજાને કહ્યું કે, ચિત્ર તે બહુ ઉત્તમ અને આબેહુબ છે-૯૮૫. " પરંતુ કોના કુલમાં કાંઈ પણ ખામી નહિ હોય ? કોણ સર્વજ્ઞ હશે! પણ આ અધમ ચિત્રકારે તે આપનાં રાણી ભાનુમતીનું ચિત્ર યદ્યપિ . ઉત્તમ કાઢ્યું છે તથાપિ વામ ઉસ ઉપર જે ગુહ્ય લાગ્યું છે તે કાઢ્યું નથી, એ દેશ છે-૯૮૬-૯૮૭. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036502
Book TitleVikram Charit
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size358 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy