________________ - 362 ચતુર એવા ચારે પુત્રને પિતાએ બોલાવ્યા, ને તે આવીને પ્રણામ કરી પિતાના ચરણ આગળ હાથ જોડી ઉભા-૪૩ તેજ પુત્ર કહેવાય જે પિતાની ભક્તિ કરે, માતાનું વચન ઉઠાવે ને નિત્ય કલાચાર પાલે, બાકી બીજા તે પેટના કીડા જાણવા-૪૪ જે પિતાને પુ નામના નરકમાંથી તારે તે સુતને શાસ્ત્રના જાણનારા પંડિતો પુત્ર કહે છે-૪૫ - ધનપતિએ પોતાના પુત્ર આગળ હિતવચને કહ્યું કે પુત્ર! સાંભળે, હું તે હવે જાઉં છું-૪૬ - તમારી પાસે મારે એટલું માગી લેવાનું છે કે તમારે પરસ્પર સ્નેહ, રાખી નખ અને માંસની પેઠે ભેગા જ રહેવું-૪૭ - તમારામાં જે જેને જયેષ્ઠ છે તેના ઉપર પિતા જેવી ભક્તિ રાખવી, ને જે જેને કનિષ્ઠ છે તેના ઉપર પુત્ર જેવો પ્રેમ રાખ–૪૮ . જયાં કુટુંબકલહ થાય છે ત્યાં લક્ષ્મી રહેતી નથી, સુખ, રાજ, રાન્માન, ધર્મ, યશ, કાંઈ આવતું નથી–૪૯ કુટુંબમાં સંપ હોવાથી રિદ્ધિ, વૃદ્ધિ, સુખ, યશ, જય, ધર્મ, સમાધિ સત્કાર્ય, પ્રતિષ્ઠા, બધું બની આવે છે.-૫૦ | માટે તમારે મારી આટલી વાત લક્ષ રાખીને કરવી ને જે પ્રકાર લોક હસે નહિ તેમ કરવું–૫૧ પણ કાલગથી વહઓની વઢવાડને લીધે કદાપિ ભેગા ન જ રહેવાય તો વૃથા કલહ ન કરશો --પર તમારે ભેગા થઈ, મેં જે ધનના વિભાગ કર્યા છે તે લઈ લેવા, હું તમને કોઇને વધતું એાછું આપી જવાને નથી–૫૩ : - ' જયાં મારે સુવાનું છે ત્યાં ખુણામાં ચાર કલશ ગુમવસ્તુથી ભરેલા તે દાટેલા છે-૫૪ , મેં તે પ્રત્યેક ઉપર તમારામાંના એક એકનું નામ લખેલું છે, તે તમારે તમારી બુદ્ધિથકી, ભેદ કર્યા વિના, લેઈ લેવા-૫૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.