SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ - 322 - એ સાંભળી પેલા પુરુષે કહ્યું હે દુધવારક ! હું મણિમંદિરનગરને ધર્મ પાળનાર રાજા છું -39 જીવદયામૂલક બાર પ્રકારને ધર્મ મેં સાંભળે છે, ધર્મકથા કહેનાર પાસે સાંભળે છે, એજ મેક્ષમાર્ગ છે-૪૦ : પુણ્યની ઇચ્છાથી મેં જીવહત્યા ન કરવાનો નિયમ છે કેમકે જ્યાં જીવદયા નથી ત્યાં ધર્મ નથી–૪૧ . સમુદ્રમાં પથરા તરે, સૂર્ય પશ્ચિમે ઉદય પામે, અગ્નિ ગમે તે પ્રકારે શીતલ થઈ જાય, પૃથ્વીનું પડ લેકની ઉપર ફરી વળે, તથાપિ પ્રાણીને વધ કરવાથી કહીં પણ સુકૃતને ઉદય થાય નહિ–જર | કમલ અગ્નિથી ખલે, સૂરતથી દિવસ થાય, મુખથી અમૃત ઝરે, વિવાદથી સાધુવાદ ફેલે, અજીણથી રોગ ટળે, વિષથી જીવન વધે, તે પ્રાણિવધથી ધર્મ થાય એમ જાણવું–૪૩ આયુષ્ય દીધું છે, શરીર સુંદર છે, ગાત્ર સુદૃઢ છે, વિત્ત, વિપુલ છે, બલ બહુ છે, સ્વામિત્વ મહયું છે, આરોગ્ય રિથર છે, કીર્તિ ત્રણે જગતમાં મહાપ્રસર પામી છે, એ બધું. સંસાર સમુદ્રમાં કૃપાદ્વૈતઃકરણથી જ પ્રાપ્ત થાય છે-૪૪ - - હું સદ્ધર્મનિરત હાઈ ધર્મધ્યાનપરાયણ થઈ રહે ત્યાં મારા ક્રર - દાયાદેએ મળી મને નગરમાંથી હાંકી કાઢ-૪૫ એ ઉપરથી એવા નિય લોકોએ મારું રાજ્ય લઈ લીધું, અને તેનું વૈર વાળવાને હું કેવલ અસમર્થ થઈ પડ-૪૬, સ્વજને એમ મારી હારી કરવા લાગ્યાં તે ઉપરથી તેમને ઉત્કર્ષ સહન ન થઈ શકે એટલે મરવું ઉચિત ધારી હું અત્ર આવ્યો છું-૪૭ " આવું તેનું વચન સાંભળીને બહુ પ્રસન્ન થઈ વિક્રમાદિત્યે પેલી મનવાંછિત આપનારી ત્રણે વસ્તુ તેને આપી દીધી-૪૮ હે ભૂમીશ આ વરતુથી કદાપિ પણ તમારે ભંગ નહિ થાય, અને તમારા વૈરી જરૂર તમારાથી નાશી જશે-૪૯ P.P. Ac. Gunratnasuti M.S. Jun Gun Aaradhak Trust
SR No.036502
Book TitleVikram Charit
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size358 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy