SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિક્રમનારેશ્વર સદા ધર્મપરાયણ હતો, અને છત્રીસ રાજવંશના સામતેથી બહુ શોભી રહેતો હતો-૩૮ છત્રીસ રાજપાત્રથી અને દંડાયુધથી પરિવૃત, તથા બહેતર કલાના , જાણ એવા પંડિતોથી અલંકૃત રાજા બહુ શોભતો હત–૩૯ મહીનાથથી સેવિત, સેવકોથી પૂજિત, બંદીથી સ્તુત, એમ એ રાજા . રાજય કરતો હતો-૪૦ . . એકવાર તેવા વિક્રમભૂપાલની સભામાં પ્રતીહારે આવી નમન કરી હાથ જોડી વિનતિ કરી કે હે રાજ કુલવંસ રાજન! વંશકલોત્તસી બારણું આગળ એક ષિરાજા દુઃખી દશામાં આવેલા છે -41-4-43 તેને શું કામ છે તે સમજાતું નથી તેમ તે કહેતો પણ નથી, કાઈ દુષ્ટને લીધે મહાપીડા પામ્યું હોય એવું લાગે છે–૪૪ - પ્રતીહારનું વચન સાંભળીને રાજાએ કહ્યું કે તુરત બેલાવ, એનું - દુઃખ દૂર કરીએ–૪પ એ ઉપરથી ઋષિશિષ્ય સભામાં આવે, અને ઉંગે સ્વરે રાજાને શુભાશિષ આપવા લાગ્ય-૪૬ - સસ્તક ઉપર આભૂષણરૂપે રાખેલી ચંદ્રકલાથી શોભાયમાન, ચપલ એવા કામરૂપી પતંગને લીલા માત્રથી બાળી નાખનાર, મોક્ષદશામાં મુખ્ય, અંતરમાં ભરાઈ રહેલા અપાર મોહાંધકારને હરનાર, એવા જ્ઞાનપ્રદીપરૂપ હર ગીઓનાં ચિત્તરૂપી ઘરમાં વિજયી વર્તે છે-૪૭ : છે સ્વામિન! તમે પ્રજાના પાલનાર કહેવાઓ છે, તેમ વર્ણમાત્રના તેમ તપસ્વિના પણ તમેજ પાલનાર છે-૪૮ તમે પૃથ્વીના ધણી છે ત્યાં સર્વત્ર આનંદ વર્તાય છે, પણ ઋષિઓના આશ્રમમાં કુશલ નથી-૪૯ : - દેશ, ગામ, પુર, લેક, આશ્રમ, મઠ, જે જે પાપ થાય તે રાજાને સર્વ ગળે વળગે છે-પ૦ : " * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036502
Book TitleVikram Charit
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size358 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy