________________ સુપઢ ચરિત્ર રાજાએ જમણા હાથમાં આહારને કવળ લઈ, કુંવરને પૂછયું : “કહે, કુંવરજી! હવે તે કુશીલીઆનું નામ કહો. વળી તે રાજાએ કહ્યું : “કદાપિ તેનું નામ લેતાં ભજન ન પામીએ એમ ખરેખર બનશે તો હું તેનું પાપ પ્રત્યક્ષ દેખીને પરિવાર સહિત દીક્ષા લઈશ એવી પ્રતિજ્ઞા લઉં છું.” 156 * ત્યારે કુમારે કહ્યું : “તે ચક્ષુકુશલીઓ અધમ, પાપી–રૂપરાય નામે છે. તેણે પિતાને મનુષ્યભવ નિષ્ફળ ક. ૧૫ણા , " તે જ સમયે શાસનદેવીનું આસન ચળ્યું. દેવીએ વિચાર્યું કે રખેને આ શીલવંત કુંવરનું વચન મિથ્યા થાય! માટે તેમ ન થાય એમ મારે કરવું જોઈએ.” એમ વિચારી દેવીએ પરશગુને લાવલશ્કર સહિત પેલા વિચારસાર રાજાની નગરીની ભાગોળે મોકલ્યો. 158 - શ્રી મહાવીર દેવ કહેતા હતા ? હે ગૌતમ ! તે શત્રુએ તેનું નગર તરફથી ઘેરી લીધું એ જાણી વિચારસાર રાજા હાથમાંને કવલ નીચે મૂકી કુંવરને પ્રણામ કરી રાજ્ય ભળાવી શીઘ નાઠો. ૧૫લા તે જોઈ શીલસનાહ કુંવર મનમાં વિચારવા લાગ્યો, સ્વામી વિનાના આ શહેરને છોડી નાશી જવું મને ન ઘટે તેમજ શ૩ સાથે સંગ્રામ કો પણ ઘટે નહિ. કારણ કે -16 પ્રાણાતિપાત વિરમણ નામે વ્રત મેં આદરેલું હોવાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust