SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ * : પિષ્ટ પ્રસ્તાવ.' 287 . ..જનની (માતા), જન્મભૂમિ, પાછલી રાતની નિદ્રા ના પ્રેમ અને સર્જનની ગોછી આ પાંચ દુ:ખે મૂકાય છે-વિસરાય છે. અર્થાત્ ભૂલતા નથી.” . . . . . . : ' વનમાંનો સ્વેચ્છા વિહાર, પોતાની પ્રિયા અને પિતાને પરિવાર એ સર્વનું તેને કદાપિ વિસ્મરણ થયું નહીં. કેમકે ઉંટ કદાચ નંદનવનમાં જઈ ત્યાં કેકેલી વૃક્ષના પલ્લવને આહાર કરે તે પણ તે પોતાની મરૂભૂમિને તે સંભારે જ છે. તે જ પ્રમાણે તે ભિલ પિતાના ચિત્તમાં નિરંતર પિતાના સ્થાનાદિનું સ્મરણું કરતો હતો, પરંતુ નિરંતર તેની પાસે સિપાઈઓ રહેતા હતા, તેથી તે પોતાને સ્થાને નહીં જઈ શકવાથી કેટલાક કાળ ત્યાં જ રહ્યો. એકદા વર્ષો તુમાં મેઘની ગર્જના અને વીજળીના ઝબકારા થતા જોઈ તે વિરહની પીડાથી પીડાવા લાગ્યા. કહ્યું છે કે - . મેવમુર્જરવો વિશુદ્ધિાઃ વિના વરસા, દુસરો વિરહાર્તાિના મહંવત્ છે ? " . “મેઘને ગરવ, વીજળીના ચમકાર અને મોરની વાણી વિગી જનોને યમરાજના દંડની જેવા દુ:સહ છે.” ' ' . ' તે સમયે વિરહથી વ્યાકુળ થયેલા તે ભિલે પિતાના મનમાં વિચાર્યું કે-“જે હું આ વસ્ત્રો તથા અલંકાર લઈને જઈશ તો મારી પાછળ શધ થશે, તેથી મારે અહીંથી નગ્ન થઈને જ જતાં રહેવું સારું છે.” એમ વિચારી વસ્ત્રાલંકારે ઉતારી કઈ પણ પ્રકારે પહેરેગીરેને છેતરી રાત્રિ સમયે રાજમંદિરમાંથી નીકળી ધીમે ધીમે પિતાને સ્થાને ચાલ્યો ગયે. તે વખતે તેનું વિપરીત રૂપ જોઈને તેના કુટુંબ વિસ્મય પામી તેને પૂછ્યું કે “અરે તું કેણ છે?” તે બે -“હું તમારે કુટુંબી છું.”તે સાંભળી તેના પરિવારે તેને ઓળખીને પછી પૂછ્યું કે-“આટલા દિવસ તું કયાં રહ્યો હતે? અને તારા શરીરની કાંતિ આવી કેમ થઈ ગઈ?” ત્યારે તે ભિલે પિતાને સમગ્ર વૃત્તાંત તેની પાસે કો તથા ભજનનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036488
Book TitleShantinath Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorBhavchandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size322 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy