SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ .Nષ્ટ પ્રસ્તાવ. 369 " પહેલી પરશી પૂર્ણ થયે શ્રી જિનેશ્વર ઉભા થઈ બીજા પ્રાકારમાં રહેલા દેવજીંદામાં વિશ્રાંતિ લેવા ગયા. ત્યારે શ્રી જિનેના પાદપીઠ પર બેસી પ્રથમ ગણધર ચકાયુધે બીજી પિરશીમાં સભા સમક્ષ વ્યાખ્યાન આપ્યું. તેમાં તેમણે જિન ધર્મમાં સ્થિરતા કરવા માટે શ્રી સંઘની પાસે પાપનો નાશ કરનારી અંતરંગ કથા આ પ્રમાણે કહી– ' . હે ભવ્ય જીવ ! આ મનુષ્યલેક નામનું ક્ષેત્ર છે. તેમાં શરીર નામનું નગર છે. તેમાં મેહ નામે રાજા સ્વેચ્છાથી વિલાસ કરે છે. તે રાજાને માયા નામની પત્ની છે. તેમને અનગ નામે પુત્ર છે. તે રાજાને લેભ નામનો મહામંત્રી છે. સર્વ સુભટેમાં શિરોમણિ ક્રોધ નામને મહાયો તે મહારાજાની પાસે રહેલો છે. રાગ દ્વેષ નામના બે અતિરથી દ્વાએ છે. મિથ્યાત્વ નામને માંડળિક રાજા છે. માન નામનો માટે હસ્તી મેહરાનું વાહન છે. તે રાજાને ઇંદ્રિરૂપી અવાપર પડનારા વિષય નામના સેવક છે. ઈત્યાદિક મોટું સૈન્ય તે રાજાને છે. તે નગરમાં કર્મ નામના ખેડુતો વસે છે. પ્રાણ નામના મેટા વ્યાપારીઓ છે. માનસ નામને તલારક્ષક છે. એકદા ધર્મ નામના રાજાએ માનસ નામના તલારક્ષકને ગુરૂપદેશરૂપી દ્રવ્યવડે ભેદ પમાડી સન્ય સહિત તે નગરમાં પ્રવેશ કર્યો. તે ધર્મરાજાને ઋજુતા નામની રાણી છે, સંતાપ નામનો મહાપ્રધાન છે, સમ્યકત્વ નામને માંડળિક રાજા છે, મહાવ્રતો રૂપી સામતે છે, અણુવ્રતરૂપી પત્તિઓ છે, માર્દવ નામને ગજેંદ્ર છે, ઉપશમ વિગેરે દ્વાઓ છે અને સચ્ચારિત્ર નામના રથ પર આરૂઢ થયેલો શ્રત નામનો સેનાપતિ છે. આવા પ્રકારના ધર્મરાજાએ મેહરાજાને જીતીને તે નગરમાંથી કાઢી મૂક્યો. પછી તે ધર્મરાજાએ સર્વ સૈન્યને આજ્ઞા આપી કે–“આ નગરમાં કેઈએ મેહરાને જરાપણ અવકાશ આપવા નહીં.” આવી ધર્મરાજાની આજ્ઞા છતાં કદાચ કઈ મેહને વશ થઈ જાય તે તેને કર્મ પરિણુતિ ફરીથી માર્ગમાં સ્થાપન કરે છે, જેમ અની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036488
Book TitleShantinath Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorBhavchandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size322 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy