SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ 18. શ્રી શાંતિનાથ ચરિત્ર. નીકળી અમને તારૂં દર્શન આપ.” આ પ્રમાણે સાંભળી મંદિર રની અંદર રહેલા વત્સરાજે વિચાર કર્યો કે –“અત્યારે મારી. માતા માસીનું અહીં આવવું સંભવતું નથી. ખરેખર આ તે વિદ્યાધરીએ જ માયાએ કરીને કંચુકને માટે અનેક પ્રકારની . કપટરચના કરે છે.” એમ વિચારી તે બુદ્ધિમાને પ્રત્યુત્તરે પણ આપે નહીં. અનુક્રમે સૂર્યોદય સમય થવા આવ્યા ત્યારે તે વિદ્યાધરીએ ઉંચે સ્વરે પિકાર કરી કરીને પોતાને સ્થાને ચાલી ગઈ. . .. ' - ત્યારપછી કુંચીના છિદ્રમાંથી પ્રકાશ થયેલો જોઈ વત્સરાજ કમાડ ઉઘાડી બહાર નીકળે અને ચંદનવૃક્ષના કેટરમાં તે કંચુકને સંતાડી કાવડ લઈને એક સામાન્ય કાષ્ઠ હાથમાં રાખી ઘર તરફ ઘાલતે નગરના દ્વાર પાસે આવ્યા. ત્યાં દ્વારપાળને હાથમાં રાખેલું કાષ્ટ આપી ઘર તરફ ચાલ્યો. બજારમાં જ્યાં જ્યાં ચંદનને સુગંધ પ્રસર્યો, ત્યાં ત્યાં સમગ્ર કો ચેતરફ જેવા લાગ્યા, અને વિચારવા લાગ્યા કે –“આ ચંદનને ગંધ કયાંથી આવે છે ? " એ પ્રમાણે વિસ્મય પામી તે કાષ્ઠવાહકને જોઈ તેઓ વિચાર કરવા લાગ્યા કે– વાયુના વેગને લીધે કોઈ ઠેકાણેથી આ સુગંધ આવે છે.” આ પ્રમાણે લેકે વિચાર કરતા હતા તેટલામાં તેણે પિતાને ઘેર આવી ઘરમાં પ્રવેશ કરી એક ઠેકાણે તે કાષ્ઠના.કડા ગાઠવ્યા. પછી તેમાંથી એક કડે. માસીના હાથમાં આપીને વત્સરાજે કહ્યું કે–“હે માસી ! ગાંધીની દુકાને જઈ આ કકડાના જેટલા પૈસા આવે તેટલા લઈ આવો.” વિમળાએ તે ચંદનને કકડે વેચી ઘણું ધન લાવીને વત્સરાજને દેખાડ્યું. તે જોઈ વત્સરાજે માતા તથા માસીને કહ્યું કે -" હવે તમારે પારકે ઘેર કામકાજ કરવું નહીં. જે કાંઈ અન્ન પાન જોઈએ તે આ દ્રવ્યમાંથી લાવવું, અને શ્રેષ્ઠીને ઘરનું ગ્ય ભાડું પણ આમાંથી આપવું. આટલું ધન ખૂટી જાય ત્યારે બીજે કકડે લઈ ગામમાં વેચી તેનું દ્રવ્ય લાવવું. આ ચંદનના કકડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036488
Book TitleShantinath Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorBhavchandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size322 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy