SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પ્રસ્તાવ. 199 કહ્યું કે –“હે રાજા! આ પાપીનો વિનાશ કરવાથી તેને પણ તેના પાપને વિભાગ મળશે. પાપી પ્રાણીઓ પોતાની મેળે જ પોતાના કર્મના દેષથી આપત્તિમાં પડે છે.” તે સાંભળી આશ્ચર્ય પામેલા રાજાએ પૂછયું કે–હે વાઘ! તું શ્વાપદ છતાં મનુષ્ય વાણું શી રીતે બેલે છે? અને તારામાં આવી વિવેકભરેલી ચતુરાઈ ક્યાંથી? " વાઘ બે –“હે રાજા ! આ ઉદ્યાનમાં વિશેષ જ્ઞાનવાળા આચાર્ય પધારેલા છે, તેઓ સર્વ વૃત્તાંત કહેશે. તેની પાસે જઈને તમારે આ પ્રશ્ન કર.” એમ કહીને તે વાઘ ચાલે ગયે. પછી રાજાએ તે નિષાદને છોડાવીને પિતાના રાજ્યમાંથી કાઢી મૂક્યા. ત્યાર પછી તે રાજા ગુરૂનું આગમન સાંભળી ઉદ્યાનમાં ગયે. ત્યાં ઘણુ સાધુએ પરિવરેલા આચાર્ય મહારાજને જોઈ તેમને રાજાએ.ભક્તિથી વંદના કરી અને પછી અનુક્રમે સર્વ મુનિઓને પણ વંદના કરી. પછી રાજાએ ગુરૂ સન્મુખ બેસી હાથ જોડીને પૂછયું કે-“હે પ્રભો ! આપ નિર્મળ જ્ઞાનચક્ષુવડે સર્વ જાણે છે, તેથી હું પૂછું છું કે પેલી વાનરી મરીને કઈ ગતિમાં ગઈ?” ગુરૂએ જવાબ આપે કે–“હે રાજા! તે વાનરી શુભ ધ્યાનના વશથી મરીને સ્વર્ગે ગઈ છે. આગમમાં કહ્યું છે કે. तवसंजमदाणरओ, पयइए भद्दो किवालु अ / गुरूवयणरओ निचं, मरिउं देवेसु जाएइ // 1 // * “જે તપ, સંયમ અને દાનમાં રક્ત હય, પ્રકૃતિથી ભદ્ર હોય, કૃપાળુ હોય અને નિરંતર ગુરૂનાં વચનમાં રક્ત હોય, તે મરીને દેવને વિષે ઉત્પન્ન થાય છે.” તે સાંભળી ફરીથી રાજાએ પૂછયું કે –“હે ભગવન ! જે જાતિ અને કર્મવડે નીચ અને પ્રબળ પાપકર્મમાં તત્પર છે તે નિષાદ મરીને કયાં જશે?” સૂરિએ કહ્યું—“એ પાપીનું નરક વિના બીજે કયાંઈ પણ સ્થાન નથી. કહ્યું છે કે जीवहिंसामृषावाद-स्तैन्यान्यस्त्रीनिषेवनैः / હિંઐશ, વિષર્વિશીતા છે ? .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036488
Book TitleShantinath Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorBhavchandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size322 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy