SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ 174 શ્રી શાંતિનાથ ચરિત્ર. 4 ત્યાર પછી એકદા રાજાએ તલનાં ગાડાં મોકલી લોકોને કહેવરાવ્યું કે–“ આ તલ જે માપવડે ભરી લેવા તેજ માપવડે તેલ પણું ભરીને આપવું.” તે સાંભળી લેક રેહક નાનો હતો પણ તેને બેલાવીને પૂછયું, ત્યારે તે બે કે –“મોટા અરિસાના તળીઆ વડે તલ ભરીને . પછી તે જ માપવડે તેલ પણ ભરી આપજે.” લોકોએ તે જ પ્રમાણે કર્યું. તે જાણી રાજા ખુશી થયે. 5 ત્યારપછી રાજાએ એકદા હુકમ કર્યો કે—“ તમારા ગામની નદીની વેળુનાં દોરડાં કરી (વણી) શાળના મૂઢા બાંધવા માટે મેકલે.” ત્યારે રેહકે પ્રત્યુત્તર કહેવરાવ્યું કે—“ અમારે ગમે તે પ્રકારે રાજાનું કાર્ય કરવું જ જોઈએ, પરંતુ તે દોરડાનું પ્રમાણ - જાણવા માટે આપને ત્યાં જૂનાં દોરડાં હોય તેમાંથી એક નમુના તરીકે મોકલે કે જેથી તેને અનુસારે નવાં દોરડાં કરી શકાય.” આ પ્રમાણે જવાબ સાંભળી રાજા ખુશી થયે. 6 ત્યારપછી એકદા રાજાએ અત્યંત વૃદ્ધ અને માંદા હાથીને મોકલી કહેવરાવ્યું કે “આ હાથીને યત્નથી સાચવે, અને હમેશાં તેના સમાચાર મને મોકલવા, પરંતુ તે મરી જાય તે મરી ગયો એવા શબ્દ મારી પાસે બોલવા નહીં. તે સાંભળી લોકોએ તે હાથી રાખ્યો. તેનું પાલન કરતાં છતાં પણ એક દિવસ તે મરી ગયા. ત્યારે રોહકે કહેવરાવ્યું કે-“હે સ્વામિન્ ! આજે તે હાથી ઘાસ ખાતે નથી, પાણી પીતા નથી, પડખું ફેરવતો નથી, નેત્રવડે તે નથી અને શ્વાસોચ્છવાસ લેતું નથી.” તે સાંભળી રાજાએ કહ્યું—“ ત્યારે શું તે મરી ગયે?ગામના લોકોએ કહ્યું “તે તો સ્વામી જાણે, અમે કાંઈ જાણતાં નથી.” તે સાંભળી રાજા મન રહ્યો. - 7 એકદા રાજાએ ફરી આજ્ઞા મેકવી કે –“હે લોકો ! તમારા ગામમાં મીઠા જળનો ભલે એક કુવે છે, તે અહીં મોકલે.” ત્યારે રેહકે વિજ્ઞપ્તિ કરી કે “હે દેવ ! ગામડી કુ બીકણ હોય છે, તેથી તમારે ત્યાંથી નગરવાસી એક કે અહીં મોકલે, કે જેથી તેની સાથે અહીંને કુવા એકલીએ.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે આ બુદ્ધિ સામાન્ય નથી. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036488
Book TitleShantinath Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorBhavchandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size322 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy